Home Crime ગાંધીધામના વેપારીનુ પૈસા માટે અપહરણ કરવા રાજસ્થાની ગેંગ આવી હતી !

ગાંધીધામના વેપારીનુ પૈસા માટે અપહરણ કરવા રાજસ્થાની ગેંગ આવી હતી !

5808
ગાંધીધામ આંગણીયા પેઢીના સંચાલકના અપહરણ મામલે બે દિવસ બાદ પોલીસને ગુન્હો ઉકેલવામાં સફળતા મળી છે.પોલીસના હાથે એક આરોપી પકડાયો છે જ્યારે અન્ય કાવત્રામા સામેલ શખ્સોના નામ ખોલ્યા છે. રાજસ્થાનથી કુખ્યાત શખ્સોને બોલાવી પૈસા માટે અપહરણ કરાયુ હોવાનુ પ્રાથમીક રીતે સ્પષ્ટ થયુ છે.
ઉદ્યોગીક હબ એવા ગાંધીધામમાં દિનદહાળે આંગણીયા પેઢી સંચાલકનુ અપહરણનો પ્રયાસ કરી ચકચાર મચાવતા કિસ્સામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. અને એક આરોપી પકડવા સાથે રાજસ્થાની ગેંગ આ અપહરણમાં સામેલ હોવાનુ તપાસમાં ખોલવામાં સફળતા મેળવી છે. બે દિવસ પહેલા ગાંધીધામના જૂના પોલીસ રોડ પર આવેલી સંકેતનીધી આંગડિયા પેઢીના સંચાલક કેતનભાઈનુ ગાંધી માર્કેટ પાસેથી કારમાં અપહરણ કરવામાં આવ્યુ હતુ જો કે ધટનાની પોલીસને જાણ થતા પોલીસે સમગ્ર પુર્વ કચ્છમા નાકાબંધી કરી હતી અને સીસીટીવી ફુટેજના આધારે સતર્કતા દાખવતા થોડી કલાકોમાંજ કાર સામખીયાળી જંગી વચ્ચેથી મળી આવી હતી અપહરણ કરનાર આરોપીઓ કાર મુકી નાશી ગયા હતા અને વેપારી પણ કારમાંથી હેમખેમ મળી આવ્યો હતો. ભરબજારમાં વેપારીના અપહરણના કિસ્સાએ અનેક સવાલો ઉભા કર્યા હતા તેવામાં પોલીસે આ ગુન્હામાં સામેલ એક આરોપીને પકડી પાડ્યો છે જ્યારે પોલીસ તપાસમાં છ શખ્સો ઉપરાંત તપાસમાં સામેલ શખ્સોની સંડોવણી અંગે વિગતો બહાર લાવી છે. સીસીટીવી સહિતની દિશામાં તપાસ દરમ્યાન એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો જે ઈસમને આ બનાવ સબંધે યુતિ પ્રયુક્તિથી કેતનભાઈના અપહરણ કરવાના કારણ તેમજ આ અપહરણ પાછળ બીજા કોણ કોણ માણસો સંડોવાયેલ છે તે બાબતે વિગેરે પુછપરછ કરતા પ્રથમ તે અલગ અલગ ખોટી માહિતીઓ પોલીસને આપતો હતો પરંતુ પોલીસ દ્વારા આગવી ઢબે પુછપરછ કરતા ભાંગી પડેલા પવન કિશનલાલ બરોર ઉ.વ. ૨૪ વોર્ડ નં. ૧૨,કેસરીસિંગપુર તા.કરનપુર જી.શ્રીગંગાનગર રાજસ્થાન (હિતેન્દ્રસિંહ નો બોડીગાર્ડે પોલીસને તમામ વિગતો આપી હતી અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા રહે. શકત શનાળા ગામ નવા પ્લોટ વિસ્તાર તા.જી. મોરબી વાળાના કહેવાથી પોતે તેમજ તેની સાથેના આરોપીઓએ મોટી રકમ મેળવવા અપહરણ કરેલાની કબુલાત આપી હતી જેમાં (૧) હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા/દરબાર,તુષાંત ઉર્ફે સુરજ ઉર્ફે ટાઈગર સ/ઓ લેખરાજ વાસુ,શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢા (રાજપુત) આકાશ સ/ઓ નિરંજનસિંહ રાજપુત,અજય નામનો માણસ,ભૈયાજી નામના માણસ સહિત તપાસમાં જે ખુલ્લે તેની સંડોવણી સ્પષ્ટ કરી છે. આરોપીને ગાંધીધામ એ ડીવીમાં સોંપવામાં આવ્યા છે. જેની તપાસ બાદ અન્ય સાગરીતોના નામ ખુલશે આરોપી સામે અગાઉ પણ કેટલાક ગુન્હા નોંધાયેલા હોવાનુ પોલીસ તપાસમાં સ્પષ્ટ થયુ હતુ હિતેન્દ્રસિંહ ઉર્ફે હેતુભા ઝાલા એ ભોગ બનનાર કેતનભાઈ પૈસાદાર વેપારી હોય અને આંગડીયા પેઢીનુ મોટુ કામ કરતા હોય તેઓ પાસે વધારે રૂપિયા હોવાનુ જાણતા હોય અને તેનુ અપહરણ કરવાથી સરળતાથી વધુ રૂપિયા આપી દે તેમ હોય પોતાના અંગત માણસ (બોડીગાર્ડ) તુષાંત વાસુ મારફતે રાજસ્થાનથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને બોલાવી પોતાની જગ્યા ઉપર સાચવી રાખી તમામ મદદ પુરી પાડી હતી. ગાંધીધામથી વેપારીનુ અપહરણ કરી મોરબી ખાતે હિતેન્દ્રસિંહ ઉર્ફે હેતુભા ઝાલાના ફાર્મહાઉસમાં લઈ જઈ ખંડણી માંગવાની હતી.હિતેન્દ્રસિંહ,આકાશ તથા શ્રવણસિંહ સામે અગાઉ પણ થોકબંધ કેસ નોંધાયેલા છે. તેવુ પણ તપાસમાં ખુલ્યુ છે.