બાતમી આધારે દરોડો પાડી પોલીસે ૩.૫૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૨ શખ્સોને ઝડપ્યા ,૩ ફરાર આ વિસ્તારમાં લાંબા સમયથી આવી પ્રવિતીની બાતમી આધારે પોલીસની સફળ કામગીરી
ભુજ:
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારના પૈયા ગામની સીમમાં દરોડો પાડી ગૌવંશ કતલખાનાના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી કરીમ ભયુ મમણ (રહે. નાના વરનોરા, તા. ભુજ) – તથા હનીફ આમદ ત્રાયા (રહે. નાના વરનોરા, તા. ભુજ) – પકડી પડ્યા હતા જ્યારે ઝિયાદ કરીમ મમણ (રહે. નાના વરનોરા, તા. ભુજ),આદિલ જુમા ઉર્ફે ડાડા મમણ (રહે. નાના વરનોરા, તા. ભુજ),તથા અલ્લાઉદ્દીન હનીફ ત્રાયા (રહે. નાના વરનોરા, તા. ભુજ) ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે દરોડા દરમ્યાન રૂ. ૩,૫૧,૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જેમાં કતલ માટેના સાધનો સહિત માસનો જથ્થો જપ્ત કર્યો હતો.દરોડા દરમિયાન LCB ની ટીમે સ્થળ પરથી ગૌવંશનું માંસ: ૧૦૦ કિલો (કિંમત રૂ. ૧૦,૦૦૦/-)
વાહનો: એક બોલેરો મેક્સી ટ્રક અને એક ટ્રેક્ટર.હથિયારો/ઓજારો: કોયથા નંગ-૦૩, નાની-મોટી છરી નંગ-૦૯, કુહાડી નંગ-૦૨, વજન કાંટો-૦૧, વજનિયું, તપેલું, તાસ નંગ-૦૪, ચમચો, પાવડો, લોખંડની ટામી, ના નાના-મોટા રસ્સા અને તાલપત્રી,રોકડ રકમ અને અન્ય: રોકડા રૂ. ૩,૩૫૦/- તથા ૧ નંગ મોબાઈલ ફોન સહિત કુલ મળીને પોલીસે ૩,૫૧,૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ દરોડાની સમગ્ર સફળ કામગીરીમાં પીઆઈ એ.એમ. મકવાણા,એમ.એચ. શિણોલની આગેવાની હેઠળ અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશ ભટ્ટ, સુરેન્દ્રસિંહ ઝાલા, સુનિલ પરમાર, ધર્મેન્દ્ર રાવલ,નવીન જોષી, રણજિતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ ભરત ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો. વરનોરાના ઝડપાયેલા આરોપીઓની વિશેષે પૂછપરછ શરૂ કરાઈ છે.જે સીમ વિસ્તારમાંથી આ ગૌ કતલખાનું ઝડપાયું છે ત્યાં અવારનવાર આવી પ્રવૃતિ થતી હોવાની ફરિયાદો ઉઠતી હતી.અગાઉ પણ પોલીસે આ વિસ્તારમાં બાતમી આધારે કાર્યવાહી કરી હતી પરંતુ સફળતા મળી ન હતી.પરંતુ હવે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળ દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે…તાજેતરમાંજ ગામ પર હુમલો અને ત્યાર બાદ ની કાર્યવાહી ને લઈને ચર્ચામાં આવેલા વરનોરા ગામના શખ્સોની ગૌવંશના કતલખાનામાં સંડોવણી ખૂલતા ફરી અનેક સવાલો ઉઠ્યા છે……પોલીસ આ પ્રવુતિ કેટલા સમયથી થતી હતી અને અન્ય કોની કોની સંડોવણી આ મામલામાં છે તેની વિસ્તૃત તપાસ શરૂ કરી છે. એક તરફ ગૌ માતા ને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટેની માંગ પ્રબળ બની છે તે વચ્ચે આવી પ્રવૃતિ ઝડપાતા હિન્દુ સમાજમાં કચવાટ ફેલાયો છે..