Home Social કચ્છના વિકાસને જોડતા નવા રસ્તાઓ માટે ૨૧૦૦ કરોડની મંજુરી !

કચ્છના વિકાસને જોડતા નવા રસ્તાઓ માટે ૨૧૦૦ કરોડની મંજુરી !

890

કચ્છના માળીયા-સુરજબારી ૮ લાઈન રોડ અને શિકારપુર થી મેવાસા ૬ લાઈન રોડ માટે ૨૧૦૦ કરોડની મંજુરી મળતા નરેન્દ્ર મોદીનો કચ્છના સાંસદે આભાર માની આ પ્રોજેક્ટ પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તાજેતરમાંજ કચ્છના સાસંદે કચ્છના વિવિધ રસ્તાઓ સહિતના મુદ્દે કેન્દ્રીય સડક પરિવહન અને રાજ્ય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી સમક્ષ વિવિધ રજુઆતો કરી હતી. તે વચ્ચે કચ્છ માટે એક સારા સમાચાર આવ્યા હતા અને કચ્છના સાસંદની રજુઆતો અને કચ્છના વિકાસની જરૂરીયાતને ધ્યાને રાખી નવા રસ્તાઓ માટે કેન્દ્રએ ૨૧૦૦ કરોડને મંજુરી આપી છે.આ અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા તથા કચ્છનાં ધારાસભ્યો,અને કચ્છની જનતાની માંગને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કચ્છ પ્રત્યે ની લાગણી તેમજ કેન્દ્રના સડક પરિવહન અને રાજ્ય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો અને પ્રતિભાવ આપતાં સુરજબારીથી માળીયા NH 27-8 લાઈન રોડ ને મંજુરી આપતા 1300 કરોડ અને શિકારપુર-મેવાસા 6 લાઈન માટે 800 કરોડ મંજુર આપી હોવાનુ જણાવ્યુ હતુ. જે બદલ સાંસદે આ મંજુરીને આવકારતાં આભાર વ્યક્ત કર્યો હતો.સાંસદ વિનોદ ચાવડા એ જણાવ્યું હતું કે સરકારે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 (NH-27) ના માલિયા-સામખિયાળી વિભાગ માટે એક મોટો ક્ષમતા વધારો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે.મંજૂર કરાયેલ દરખાસ્તમાં માલિયાથી સામખિયાળી સુધીના હાલના 41.75 કિમી હાઇવે સ્ટ્રેચને 8-લેન કરવાનો અને સૂરજબારી અને મેવાસા વચ્ચે 20.40 કિમી લાંબા 6-લેન ગ્રીનફિલ્ડ બાયપાસનો સમાવેશ થાય છે.આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પૂર્વ-પશ્ચિમ કોરિડોરનો ભાગ બનેલા દેશના સૌથી વ્યૂહાત્મક હાઇવે કોરિડોરમાંથી એકની ક્ષમતા વધારવાનો છે.આ વિભાગ દીનદયાળ (કંડલા), મુન્દ્રા અને નવલખી સહિતના મુખ્ય બંદરો અને મોરબી, જામનગર અને કચ્છના ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી લિંક તરીકે કામ કરે છે,જે માલસામાનની અવરજવરને સરળ બનાવે છે અને પ્રાદેશિક વેપાર અને વાણિજ્યને ટેકો આપે છે.ભારે વાણિજ્યિક વાહનોની અવરજવરને કારણે,હાલના કોરિડોરમાં ટ્રાફિકની ભીડ અને ઓછી ગતિનો અનુભવ થાય છે. પ્રસ્તાવિત 6-લેન બાયપાસ ટ્રાફિક માટે ટૂંકા માર્ગ પ્રદાન કરીને મુસાફરી કાર્યક્ષમતામાં સુધારો કરશે, જ્યારે હાલના હાઇવેને 8 લેન સુધી પહોળો કરવાથી ટ્રાફિક વહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે,માર્ગ સલામતીમાં સુધારો થશે અને મુસાફરો અને માલવાહક વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત થશે. આ પ્રોજેક્ટ પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે અને સમગ્ર ગુજરાતમાં સુરક્ષિત, ઝડપી અને વધુ વિશ્વસનીય પરિવહન નેટવર્ક પ્રદાન કરશે, જેનાથી પ્રદેશના એકંદર વિકાસમાં ફાળો મળશે.આ પહેલા કચ્છના વિવિધ સંગઠનોએ પણ આ અંગે કચ્છના સાસંદ સહિત કેન્દ્ર રાજ્ય સરકારને રજુઆત કરી ક્ષમતાને ધ્યાને રાખી વિવિધ માંગણીઓ કરી હતી.