Home Social ધાણેટી સ્થિત કંપનીમાં બેદરકારીનો મામલો માનવાધિકાર આયોગમાં !

ધાણેટી સ્થિત કંપનીમાં બેદરકારીનો મામલો માનવાધિકાર આયોગમાં !

1998

જાણીતા દાનવીર તથા ગો સેવા અને ખેતીમાં જેનુ મોટુ નામ છે. તેવા સમાજસેવકની મંગલ ગ્લોબલ ચાઇના કલે કંપનીમાં રહસ્યમય મોતો તથા શ્રમિકોના આરોગ્ય બાબતે બેદરકારી સહિતના આક્ષેપો સાથે થયેલી અરજીના પગલે આયોગ 6 જુલાઈના સુનાવણી કરશે 

કચ્છમાં વધી રહેલા ઓદ્યોગીક વિકાસની સાથે તેમાં વધી રહેલા અકસ્માતો પણ કચ્છમાં ચિંતા પ્રસરાવી રહ્યા છે. જો કે મોટા ભાગના કેસમાં કોઇ ગંભીર કાર્યવાહી ઉદ્યોગગૃહો પર ન થઇ હોય તેવુ ચિત્ર સામાન્ય માણસોના જનમાનશ પર છે.અને ધણા મામલાઓમાં ગંભીર બેદરકારી સ્પષ્ટ હોવા છંતા અસરકારક કામગીરીનો અભાવ જોવા મળ્યો હોવાના આક્ષેપ થતા રહે છે. તે વચ્ચે કચ્છના જાણીતા દાનવીર,સમાજસેવક અને રાષ્ટ્રવાદી આગેવાનને સાંકળતી એક કંપનીમાં બેદરકારીના ગંભીર આરોપનો મામલો ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગની કોર્ટમાં પહોચ્યો છે. ફરીયાદી જાણીતા એક્ટીવીસ્ટ ધીરજ ગરવાએ આ મામલે ફરીયાદ કરી ધાણેટી સ્થિત મંગલ ગ્લોબલ એન્ડ સેન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચાઇનાક્લે પ્રોસેસ દરમિયાન ઝેરી ડસ્ટ તથા જીવલેણ કેમિકલના પરિણામે શ્રમિકોના રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયેલ છે આ શ્રમિકોને પહેલા ખાંસી દમ તાવ ત્યારબાદ સારવારના અભાવે અને કંપનીમાં કોઈ પણ આરોગ્ય સારવાર સમયસર ન થતા જીવલેણ કેમિકલના હિસાબે મૃત્યુ થયેલા તે બાબતે દાદ માંગી છે.ગુજરાત રાજ્ય ગાંધીનગર,અધ્યક્ષ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સહિત વિવિધ સ્થળે કરાયેલી રજુઆત બાદ આ બાબતે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા આ બાબતને ગંભીરતા ગણી તા.6 જુલાઈ2026ના સુનાવણી યોજી છે.અને જિલ્લાના આ બાબતે જવાબદાર તંત્રને તપાસ કરી અહેવાલ સુપ્રત કરવા પણ જણાવ્યુ છે.ફરીયાદીએ આ સાથે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ છે. કે કંપનીના ભાગીદારો જયમીત મનોજ પુરુષોતમ સોલંકી તથા બ્રિજેશ હરીલાલ ગોહિલ સામે સામૂહિક નરસંહારના મુદે ફોજદારી ગુનો નોંધવામાં આવે,સાથે કંપનીના સંચાલકોની બેદરકારીથી ચાલી રહેલ આ કંપનીમાં વધુ શ્રમિકો મોતના મુખમાં ન ધકેલાય તે માટે કંપની ત્વરિત બંધ કરી લેબર લાયસન્સ તથા મંજૂરીઓ રદ કરવામાં આવે સાથે આરોપ લગાવ્યો છે. કેઆ કંપનીના સંચાલકો વગદાર હોય કોઈ તટસ્થ કાર્યવાહી થવા દેતા નથી અને મૃત્યુ જેવા ગંભીર બનાવોને આયોજનબદ્ધ રીતે દબાવી દેવામાં આવે છે.સાથે આ કંપનીના સંચાલકો જયમીત સોલંકી તથા બ્રિજેશ હરિલાલ ગોહિલ દ્વારા આ કંપનીના ધાણેટી ગામની અંદાજિત 50 એકરથી વધારે વિસ્તારમાં ઔદ્યોગીક પ્રવૃતિ કરી રહેલ છે જેમાં સરકારી જમીન ઉપર મોટાપાયે દબાણ કરેલ છે તેની તપાસની પણ માંગ કરાઇ છે. જાણીતા સમાજ સેવક મનોજ સોંલકીને સાંકળતી આ કંપની સામે ગંભીર સવાલો ઉઠતા આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જેના પર આયોગ છ તારીખે સુનવણી કરશે જે બાદ સામે આવશે કે ફરિયાદીની ફરિયાદમાં કેટલું તથ્ય છે અને ખરેખર કંપનીમાં બેદરકારીથી કોઈના મોત થયા છે કે કેમ જો કે જાણીતી વેપારી પેઢી પર થયેલા ગંભીર આક્ષેપો હાલ ચર્ચામાં છે.

આ આરોપ ગંભીર અને તપાસની માંગ ?

શ્રમિકોના હિતમાં અને રાષ્ટ્રહિતમાં કાર્યવાહી કરવા અને દલિત એક્ટીવીસ્ટ અને સામાજિક કાર્યકર ધીરજ ગરવાએ ફરીયાદ સાથે ગંભીર આરોપ કરતા ફરીયાદમાં જણાવ્યુ છે. કે 2015 થી 2025 દરમિયાન મોટી સંખ્યામાં મજુર અહીં કામ કરી ગયેલ છે પરંતુ તેઓને સારવારના અભાવે મૃત્યુ થાય તેવા બનાવોમાં મૃતકની વિગતો પણ ગુમ કરી દેવામાં આવી રહેલ છે.કંપનીની સ્થાપના પછી અત્યાર સુધીના શ્રમિકોને પીએફ કે અન્ય ફંડ સરકારમાં જમા કરાવેલ છે કે કેમ?? શ્રમિકોના પરિવારોને આ રકમ મળેલ છે કે કેમ ??તેની પણ તપાસ કરવામાં આવે સાથે આ કંપનીમાં શરૂઆતથી આજ દિન સુધી કેટલા કામદારો હતા?કેટલા મૃત્યુ પામ્યા?? કેવા પ્રકારની અને ક્યાં સારવાર સારવાર આપવામાં આવી?કેટલું વળતર આપવામાં આવ્યું? કેટલા પરપ્રાંતીય તેમજ સ્થાનિક શ્રમિકોને ઓળખકાર્ડ આપવામાં આવ્યા?શ્રમિકો,કર્મચારીઓ હેલ્થ કર્મચારીઓનું રજીસ્ટર કંપની શરૂ થયા બાદ નિભાવેલ છે કે કેમ??સ્થાનિક પધ્ધર પોલીસ સ્ટેશનમાં કેટલા શ્રમિકો આ કંપનીમાં નોંધાયોલ છે??તેઓના બી-રોલ ફોર્મ ભરેલ છે કે કેમ??વી.બાબતે તટસ્થ તપાસ થાય તો મસમોટું કૌભાંડ અને મોટો સામુહિક નરસંહારની ઘટના બહાર આવે તેવી દહસેત અરજીમાં વ્યક્ત કરાઇ છે. આ તમામ મામલે તટસ્થ તપાસ કરવા અને ત્વરિત રેકર્ડ જપ્ત કરવાની માંગ સાથે ફરીયાદીએ આયોગમાં સંપર્ક કર્યો છે.

કચ્છ સ્થિત મોટા ઉદ્યોગગૃહો સાથે કચ્છમાં સ્થિત અનેક કંપનીમાં કામદારોના મોત બાદ હંગામો થયો છે. અને વિવાદો પણ સર્જાયા છે. આવા અનેક વિવાદો ભુતકાળમાં ચાઇનાક્લે હબ ગણાતા ભુજના ધાણેટી સહિતના વિસ્તારોમાં પણ સર્જાયા છે. પરંતુ આવા મામલા દબાઇ ગયાનો આક્ષેપ જેતે સમયે પણ થયો હતો તેવામાં જાણીતી કંપનીમાં રહસ્યમય મોતોનો મામલો હવે આયોગમાં પહોચ્યો છે.ત્યારે તમામની નજર છ તારીખની સુનવણી પર મંડાઇ છે. સાથે સવાલો પણ ઉઠી રહ્યા છે કે પહોચેલા પામેલા અગ્રણીની કંપની સામે યોગ્ય તપાસ થશે…? જો કે ફરિયાદનું સાચું સત્ય યોગ્ય તપાસ બાદ જ સામે આવશે