Home Social શુ અંજાર ભાજપના બે નેતાઓની આંતરિક લડાઈમાં રોડનું કામ અટક્યુ ?

શુ અંજાર ભાજપના બે નેતાઓની આંતરિક લડાઈમાં રોડનું કામ અટક્યુ ?

2349

દુધઈ-અમરાપર રોડનું મંજૂર થયેલું રિસરફેસિંગ કામ શરૂ થાય તે પહેલાં જ મશીનરી હટાવ્યાનો કોગ્રેસ પ્રમુખનો આક્ષેપ પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિરને કામના પ્રારંભ પ્રસંગે બોલાવ્યા બાદ વિવાદ સર્જાયો હોવાનો વી.કે. હુંબલના દાવાએ ફરી બે નેતાઓની લડાઇનો મુદ્દો ચર્ચિત બનાવ્યો?

જાહેરમાં ધણી વાર સાથે અને એક દેખાતા અંજારના બે નેતાઓની લડાઇ કચ્છથી લઇ ગાંધીનગર સુધી પ્રચતિલ છે.જો કે થોડા સમયથી ચુંટણી સિવાયના કોઇ મુદ્દે તેમની આંતરીક લડાઇ સામે આવ્યુ હોય તેવુ હાલમાં બન્યુ નથી.પરંતુ કચ્છ જીલ્લા કોગ્રેસ પ્રમુખના એક પત્રએ ફરી એક મોટો ધટસ્ફોટ કર્યો છે.જો કે પત્રમાં પણ કેટલીક વિસંગતતા અને તેમનો એક તરફી પ્રેમ છંતો થઇ રહ્યો છે.પરંતુ ખરેખર જો આવુ હોય તો રાજ્યકક્ષાએથી આ મામલાની નોંધ લેવાવી જોઇએ વાત જાણે એમ છે.કે તાજેતરમાંજ આરએસએસની શાખા મુદ્દે પત્ર લખી વિવાદમાં આવેલા કચ્છ કોગ્રેસ પ્રમુખે ફરી એક વિસ્ફોટક પત્ર લખ્યો છે.જેમાં તેણે આક્ષેપ કર્યો છે. કે અંજાર તાલુકાના દુધઈથી-અમરાપર સુધીના આશરે 5 કિલોમીટર લાંબા રોડના રિસરફેસિંગનું મંજૂર થયેલું કામ આંતરિક રાજકીય ખેંચતાણના કારણે અટકી પડ્યું છે.યાદી મુજબ,લાંબા સમયથી દુધઈ-અમરાપર માર્ગ જર્જરિત હાલતમાં હોવાથી રિસરફેસિંગનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને કામ શરૂ કરવા માટે મશીનરી પણ સાઇટ પર પહોંચી ગઈ હતી.જોકે, અમરાપર અને દુધઈના ગ્રામજનોએ પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિરને કામના પ્રારંભ પ્રસંગે બોલાવ્યા બાદ વિવાદ સર્જાયો હોવાનો કોંગ્રેસનો દાવો છે.યાદીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અંજારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ કોન્ટ્રાક્ટરને કામ શરૂ નહીં કરવા તેમજ સાઇટ પરથી તમામ મશીનરી હટાવી લેવા સૂચના આપી હતી.કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને ભાજપના બે નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ સાથે જોડીને સવાલો ઉઠાવ્યા છે.કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, વાસણ આહિર લાંબા સમય સુધી ભાજપના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી રહી ચૂક્યા છે અને અંજાર વિસ્તારમાં તેમની લોકચાહના છે.ગ્રામજનોએ તેમને રોડના કામના પ્રારંભ માટે આમંત્રણ આપ્યું હતું,પરંતુ ત્યારબાદ કામ અટકી ગયું છે.વિકાસના કામો જનતાના કરવેરાના નાણાંમાંથી થતા હોય છે,ત્યારે આંતરિક રાજકીય મતભેદોના કારણે મંજૂર કામો અટકાવવા ન જોઈએ.તેમ કહી ભાજપના નેતાઓને આંતરિક ખેંચતાણ છોડીને મંજૂર થયેલા વિકાસ કામો સમયસર પૂર્ણ કરાવવા ધ્યાન આપવા અપીલ કરી છે.

કલેકટર,જવાબદાર તંત્ર અને સરકારને લખવાને બદલે….!

ચોક્કસ મુદ્દાઓ લખવા માટે જાણીતા કોગ્રેસ પ્રમુખે આ પત્ર તો લખ્યો છે.પરંતુ તેને રાજકીય વિખવાદ પુરતો સિમીત રાખ્યો છે.ખરેખર જો પ્રજાના કામ અટકી ગયા હોય અને કોઇપણ રાજકીય ખેંચતાણમાં વિવાદને કારણે કામ અટક્યુ હોય તો જવાબદાર એજન્સી અથતા તંત્રના વિભાગને પત્ર વિપક્ષી પાર્ટીના નેતા તરીકે લખવો જોઇએ પરંતુ માત્ર જાણે ચર્ચામાં રહેવા માટે પત્ર લખાયો હોય તેવુ વાંચ્યા પછી સમજી સકાય તેવુ છે.અને રાજકીય પાર્ટીઓમાં ચર્ચા પણ છે. તો વડી પુર્વ મંત્રીના ભારોભાર વખાણ અને લોકચાહનાની વાત કરી પોતાનો પુર્વ મંત્રી પ્રત્યેનો છુપો પ્રેમ પણ ઉજાગર કર્યો હોય તેવુ જણાઇ આવે છે. કેમકે વિપક્ષનુ કામ હમેંશા લોકોના પ્રશ્નો રજુ કરવાનો અને સરકાર તથા સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધીઓની ભુલો પ્રત્યે કાન આંબડવાનો હોય છે.પરંતુ તેના બદલે વિપક્ષી નેતાએ તો પુર્વ નેતાની લોકપ્રિયતાના ફુલ વિખેરી નાંખ્યા..

 

કચ્છમાં બેફામ ખનીજ ચોરી,વાઇટ કોલર મીઠા માફીયાઓ દ્વારા જમીન દબાણ અને મીઠાનુ ગેરકાયેદસર ઉત્પાદન પ્રવૃતિ અને આવીતો અનેક સમસ્યાઓ છે.જેની અસરકારક રજુઆતો કરવા જેવી છે. પરંતુ તે વચ્ચે વિપક્ષી નેતાએ ભાજપના બે નેતા મામલે લખેલી અખબારી યાદી ખરેખર ભાજપની સાથે તેના પક્ષમાં પણ ચર્ચાનો વિષય બની છે.

 

મામલો ભાજપનો આંતરીક વિખવાદ નો હોય કે પ્રજાનો માત્ર રાજકીય રોટલા સેકવા વિપક્ષનુ કામ નથી.પરંતુ લોકોના નામે લખાયેલા પત્ર બાદ ખરેખર અખબારી યાદી કરતા જવાબદાર તંત્રને તથા સરકારનુ આ બાબતે વિપક્ષે પત્ર લખી ધ્યાન દોરવુ જોઇએ..તો વિપક્ષના આક્ષેપો મામલે જાહેર જીવનના બન્ને નેતાઓએ પણ જો વાતમાં તથ્ય હોય તો આ મુદ્દે નિવેદન આપવા જોઇએ.જો કે હાલ તો વિપક્ષી નેતાના પત્રએ માત્ર સનસની સર્જી છે.આ તમામ વચ્ચે હાલ અંજાર ભાજપના રાજકીય વિવાદો તાત્કાલીક ગાંધીનગર પહોંચી રહ્યા છે.તેવામાં આ મામલો પણ ત્યા પહોંચે તો નવાઇ નહી..જો કે અંજારના બે નેતાઓ વચ્ચેનો કોલ્ડવોર એ રાજકારણમાં કોઇ નવી વાત પણ નથી..