નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે નેપાળમાં ભારે તબાહી મચી હતી.ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા.રીપોર્ટ મુજબ અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સાથે 500થી વધુ લોકો ગુમ છે.જેમાં 105 ભારતીયો સહિત 291 વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે.નેપાળમાં હજી પૂરનો ખતરો છે. ભારતે ઈમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
તિબેટથી આવેલા અચાનક,વિનાશક પૂરથી નેપાળના રસુવા જિલ્લાના તિમુર બજાર વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ છે.લેંડ ખોલા (ભોટેકોશી) વિસ્તારમાં આવેલા પૂરથી રસુવા બોર્ડર ક્રોસિંગ પર વ્યાપક નુકસાન થયું છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર,તિમુર સહિત નજીકના બે બજારો પૂરથી સંપૂર્ણપણે નાશ પામ્યા છે.આ વિનાશમાં ૧,૦૦૦ લોકો તબાહીમાં માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.જોકે, સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.અત્યાર સુધી 96 લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે.આ સાથે 500 યાત્રીઓ લાપત્તા છે જેમાં ૨૯૧ વિદેશી નાગરિક છે.તેમાં ૧૦૫ ભારતીય અને ૯૩ નેપાળી નાગરિક સામેલ છે.આ પુરના કારણે તિબેટ સીમાની પાસે રસુવા જિલ્લાનો કેટલોક ભાગ વહી ગયો હતો ધરો,ગાડીઓ,પુલો અને માળખાકીય સુવિધાની પરિયોજનાઓને ભારે નુકસાન પહોંચ્યું છે.ભારે વિનાશ વચ્ચે પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની કટોકટી બેઠક બોલાવી હતી.તેમના સલાહકાર,અસીમ શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શાહ અસરગ્રસ્ત વિસ્તારોના મુખ્ય જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે સીધા સંપર્કમાં છે અને મિનિટ-દર-મિનિટ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.નેપાળની સ્વતંત્ર વિજળી ઉત્પાદક સંધના જણાવ્યા અનુસાર પુરથી ૧૫ હાઇડ્રો પાવર પરિયોજનાઓ પ્રભાવિત થઇ છે.તેમાંથી ૧૦ ચાલુ છે અને પાંચ નિર્માણાધીન છે.પ્રધાનમંત્રી કાર્યાલયે તમામ હેલિકોપ્ટર કંપનીઓને સ્ટેન્ડબાય રહેવાનો નિર્દેશ પણ આપ્યો છે.ગૃહમંત્રીની તાત્કાલિક જાહેર સૂચનામાં જણાવાયું છે કે મુગલીન સુધીના ભોટેકોશી અને ત્રિશુલી નદીના તટપ્રદેશો ઉચ્ચ ચેતવણી પર છે અને ઉચ્ચ જોખમમાં છે.તેથી,રાસુવા, ધાડિંગ, ગોરખા, ચિતવાન અને નુવાકોટ જિલ્લાઓમાં નદી કિનારે રહેતા પરિવારોને આગામી સૂચના સુધી સલામત સ્થળોએ રહેવા વિનંતી કરવામાં આવે છે.અગાઉ, ૮ જુલાઈ,૨૦૨૫ ના રોજ તિબેટથી આવેલા ભયંકર પૂરે રાસુવાના રાસુવાગઢી-તિમુરે વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી.
નેપાળ પૂરમાં ૧૦૫ ભારતીય પ્રવાસીઓ ગુમ
ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર..
ભારતના પડોશી દેશ નેપાળમાં બુધવારે સવારે આવેલા અચાનક પૂરે ભારે વિનાશ મચાવ્યો છે. અત્યાર સુધીમાં 96 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.નેપાળ પ્રવાસન બોર્ડના જણાવ્યા અનુસાર, નેપાળના રાસુવા વિસ્તારમાં અચાનક પૂર પછી ગુમ થયેલા ૨૯૧ વિદેશી નાગરિકોમાં ઓછામાં ઓછા ૧૦૫થી વધુ ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે.આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નેપાળ સાથે સંકલન સાધીને મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે.પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઝડપથી સુરક્ષિત બહાર લાવી શકાય. દૂતાવાસે ભારતીય નાગરિકોની માહિતી અને મદદ માટે બે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +977 985 131 6807 અને +977 970 910 7500 જાહેર કર્યા છે.અચાનક પૂર આવતા કૈલાશ માનસરોવર યાત્રા પર જઈ રહેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે.
પીએમ મોદીએ બાલેન શાહ સાથે વાત કરી
નેપાળ-ચીન સરહદી વિસ્તારોમાં અચાનક,વિનાશક પૂરથી ભારે વિનાશ થયો છે.આ વિનાશ વચ્ચે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડા પ્રધાન બાલેન શાહ સાથે વાત કરી. વડા પ્રધાન મોદીએ નેપાળના વડા પ્રધાનને સહાયની ખાતરી આપી હતી.અહેવાલો અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડા પ્રધાન બાલેન શાહ સાથે વાત કરી અને નેપાળમાં પૂરને કારણે થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો.વડા પ્રધાન મોદીએ નેપાળને શક્ય તેટલી વહેલી તકે માનવતાવાદી અને રાહત સહાયની ખાતરી પણ આપી.સરકારી સૂત્રો અનુસાર, ભારત શક્ય તેટલી વહેલી તકે નેપાળને રાહત સામગ્રી મોકલવાની કામગીમાં લાગ્યુ છે જેમાંથી કેટલોજ જથ્થો ત્યા પહોચ્યો પણ છે.
નેપાળમાં પૂરને કારણે બિહારમાં ચેતવણી
નેપાળમાં ગંડક નદીના ઉપરના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા પૂર બાદ, બિહારમાં હવે પૂરનો ભય ઉભો થયો છે.ગંડક નદીમાં પાણીના પ્રવાહમાં અચાનક વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને,બિહારમાં ચેતવણી જારી કરવામાં આવી છે.ગંડક નદીમાં ૩ મીટર ઊંચામોજા ઉછળવાની શક્યતા છે.ગંડક નદી કિનારાના જિલ્લાઓમાં પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.મુખ્ય સચિવ પ્રત્યય અમૃતની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી.ઘટનાનો સામનો કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફને પણ તૈનાત કરવામાં આવી રહી છે.રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક છે,
શું ચીને પૂરની માહિતી ૪૫ મિનિટ મોડી શેર કરી ?
ચીન દ્વારા આપત્તિ સંબંધિત માહિતી સમયસર શેર કરવામાં નિષ્ફળતાએ ફરી એકવાર નેપાળના સરહદી વિસ્તારોમાં ગંભીર કટોકટી ઉભી કરી છે.નેપાળી સૂત્રોના જણાવ્યા અનુસાર,નેપાળને તિબેટના કેરુંગ ક્ષેત્રમાં આવેલા વિનાશક પૂરની ચેતવણીમાં ૪૫ મિનિટનો વિલંબ થયો હતો,જેના કારણે રાસુવાના તિમુર વિસ્તારના સ્થાનિકોને પોતાનો જીવ બચાવવા માટે ભાગવાની ફરજ પડી હતી.દ્વિપક્ષીય સંકલનના દાવાઓ છતાં,ચીનની આ ઘોર બેદરકારીએ ક્ષેત્રમાં આપત્તિ વ્યવસ્થાપન અને સરહદ સુરક્ષા પ્રોટોકોલ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.આ સતત બીજું વર્ષ છે જ્યારે ચીને નેપાળને આપત્તિ વિશે અગાઉથી માહિતી શેર કરવામાં નિષ્ફળ ગયુ છે.ગયા વર્ષે,ચીની અધિકારીઓ એ જ નદી પર અચાનક પૂર દરમિયાન નેપાળને સમયસર ચેતવણી આપવામાં નિષ્ફળ ગયા હતા.
કૈલાસ-માનસરોવરના કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત
ચીને તિબેટના ગ્યિરોંગ બોર્ડર પોર્ટ પર કાટમાળના પ્રવાહ પછી મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે.આ માટે 574 બચાવકર્મીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.આ તરફ કચ્છથી ગયેલ યાત્રા સંધના તમામ પ્રવાસીઓ સુરક્ષીત હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.ભુજના જાણીતા ટૂર ઓપરેટર શૈલેષ માહેશ્વરીના નેતૃત્વ હેઠળનો કૈલાસ-માનસરોવર યાત્રાળુઓનો સમૂહ આ સમયે સુરક્ષિત છે.આ સમૂહમાં ભુજ,અમદાવાદ અને મુંબઈ સહિતના વિસ્તારોના યાત્રાળુઓનો સમાવેશ થાય છે.સમૂહમાં મોટાભાગના યાત્રાળુઓ કચ્છી હોવાનું જાણવા મળ્યું છે.જે તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે.આ યાત્રાળુઓએ મંગળવારે સાંજે નેપાળ-ચીન વચ્ચેનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો.તેના આઠેક કલાક બાદ રસુવા જિલ્લાના તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું હતું.
આ તરફ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી,આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ભુજ દ્વારા જાહેર નોટીસ દ્વારા નાગરીકોને જણાવાયુ હતુ. કે નેપાળ-તિબેટ સરહદે આવેલા સ્ત્રુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે અમુક ભારતીય પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર જાણવા મળેલ છે.આ આકસ્મિક ઘટનામાં અત્રેના કચ્છ જિલ્લાના કોઈ પ્રવાસીઓ-નાગરિકો ફસાયેલા હોય તો તે અંગે કોઈપણ પ્રકારની જાણકારી,મદદ કે સહાય માટે કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખાના કંટ્રોલ રૂમ (ફોન નંબર- 02832250923) નો સંપર્ક કરવા અપીલ કરાઇ હતી. કચ્છની સાથે રાજ્યમાં વિવિધ જીલ્લાઓ માટે આવા હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે.
કૈલાસ-માનસરોવરના કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત
ચીને તિબેટના ગ્યિરોંગ બોર્ડર પોર્ટ પર કાટમાળના પ્રવાહ પછી મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે.આ માટે 574 બચાવકર્મીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.આ તરફ કચ્છથી ગયેલ યાત્રા સંધના તમામ પ્રવાસીઓ સુરક્ષીત હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.ભુજના જાણીતા ટૂર ઓપરેટર શૈલેષ માહેશ્વરીના નેતૃત્વ હેઠળનો કૈલાસ-માનસરોવર યાત્રાળુઓનો સમૂહ આ સમયે સુરક્ષિત છે.આ સમૂહમાં ભુજ,અમદાવાદ અને મુંબઈ સહિતના વિસ્તારોના યાત્રાળુઓનો સમાવેશ થાય છે.સમૂહમાં મોટાભાગના યાત્રાળુઓ કચ્છી હોવાનું જાણવા મળ્યું છે.જે તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે.આ યાત્રાળુઓએ મંગળવારે સાંજે નેપાળ-ચીન વચ્ચેનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો.તેના આઠેક કલાક બાદ રસુવા જિલ્લાના તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું હતું.
કચ્છના યાત્રીઓની માહિતી આપવા અપિલ
આ તરફ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી,આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ભુજ દ્વારા જાહેર નોટીસ દ્વારા નાગરીકોને જણાવાયુ હતુ. કે નેપાળ-તિબેટ સરહદે આવેલા સ્ત્રુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે અમુક ભારતીય પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર જાણવા મળેલ છે.આ આકસ્મિક ઘટનામાં અત્રેના કચ્છ જિલ્લાના કોઈ પ્રવાસીઓ-નાગરિકો ફસાયેલા હોય તો તે અંગે કોઈપણ પ્રકારની જાણકારી,મદદ કે સહાય માટે કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખાના કંટ્રોલ રૂમ (ફોન નંબર- 02832250923) નો સંપર્ક કરવા અપીલ કરાઇ હતી. કચ્છની સાથે રાજ્યમાં વિવિધ જીલ્લાઓ માટે આવા હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે.
નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સર્જાયેલા જળતાંડવને પગલે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તો નુકશાનીના સમાચારો પણ સામે આવી રહ્યા છે. તે વચ્ચે ભારત પર ભારતીયો અને નેપાળની મદદ માટે આગળ આવ્યુ છે. વિવિધ દેશોની મદદથી નેપાળમાં રાહત-બચાવ કામગીરી પુરજોશમાં છે. જો કે અચાનક આવેલી મુશ્કેલી પર સમગ્ર વિશ્વની નજર છે.