લાખો રૂપીયાના વૈભવી ખર્ચે આયોજીત નવરાત્રીમાં રખાયેલા દર સાથે વિધર્મી કલાકારોની હાજરી મુદ્દે લાંબા સમયથી સોસીયલ મિડીયામાં શરૂ થયેલો વિરોધ હવે પ્રબળ બની રહ્યો છે. હિન્દુ સંગઠનો સોસીયલ મિડીયા સાથે હવે વિરોધમાં રસ્તા પર ઉતરી રહ્યા છે. આજે વિશાળ સભા વિરોધ પ્રબળ બનતા આયોજકોએ સેવાકાર્યો શરૂ કર્યાનો પણ વિરોધકર્તાઓનો દાવો
સોસીયલ મિડીયા જેના મુળમાં હતા તેવા બે દેશ નેપાળ તથા ફ્રાન્સમાં થયેલી ક્રાન્તિના સમાચાર વચ્ચે કચ્છમાં આયોજીત એક નવરાત્રી સામેજ પ્રબળ વિરોધ થઇ રહ્યો છે. ભુજના પ્રવેશદ્રારે શિવાલીકા ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રીનો પ્રથમ દિવસથીજ હિન્દુ સંગઠનો અને હિન્દુ સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રબુધ્ધ નાગરીકો વિરોધ કરી રહ્યો છે જે હવે ઉગ્ર બની રહ્યો છે. વિધર્મી કલાકારોની હાજરી સાથે માતાજીની આરાધનાના નામે લાખો રૂપીયાના પ્રવેશ સહિતના દરોને લઇને આયોજકો સામે રીતસરનો મોરચો ખોલાયો છે. જે વચ્ચે હવે સભા સહિતના આયોજનો સાથે હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતરી રહ્યા છે આ તરફ સોસીસલ મિડીયામાં સતત આયોજકો સામે સવાલો ઉઠાવાઇ રહ્યા છે. હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે કે વિરોધના પગલે આયોજનમાં સામેલ બે સંસ્થાઓએ શિવાલીકા ગ્રુપ સાથે અંતર બનાવ્યુ છે તો વિરોધના પગલે આયોજકોએ આસપાસના ગામ લોકોને વિકાસ માટે તથા ગૌ સેવાના નામે ફંડ દેવાનુ પણ શરૂ કર્યુ છે. આજે રવિવારે પધ્ધર ગામે એક મહાસભાનુ આયોજન કરાયુ છે. જેમાં હિન્દુ સંગઠનો અને આગેવાનો ઉપસ્થિત રહી નવરાત્રીના આયોજન અંગે વિરોધ નોંધાવવા સાથે આગામી રણનિતી અંગે ચર્ચા કરશે જો કે તે વચ્ચે આવી નવરાત્રીના બહિષ્કારની મુહિમમાં હજારો લોકો સમર્થન આપી રહ્યા છે.
લાખો રૂપીયાના દાનની સરવાણી
શિવાલીકા ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રીના વિરોધ સાથે મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાઇ રહ્યા છે. તે સાથે વિરોધ વધતા ગૌ સેવા તથા આસપાસના ગામોમાં વિકાસ કાર્યો માટે ફંડની જાહેરાત નવરાત્રી આયોજક ગ્રુપ દ્વારા શરૂ કરાઇ છે. જો કે હિન્દુ સંગઠનોએ તેની સામે પણ વિરોધ નોંધાવી સવાલો ઉભા કર્યા છે કે શુ ગૌ સેવા તથા આ રીતે દાન આપી નવરાત્રીના નામે થતા તાયફા ચલાવી લેવાય તો સોસીયલ મિડીયામાં વિરોધ પછી બે જૈન આયોજક ગ્રુપો ખસી ગયાનો પણ દાવો કરાયો છે.તો સોસીયલ મિડીયામાં અગાઉમાં મીરજાપર ગ્રામ પંચાયતને લાખો રૂપીયાનુ દાન જાહેર કરી હજુ પૈસા ન અપાયા હોવાનો મુદ્દો પણ ચર્ચાઇ રહ્યો છે. તો વિરોધ વધતા તંત્રને સાચવવા માટે લાખો રૂપીયાની લાગહી કરાઇ હોવાનો સુત્રોએ દાવો કર્યો છે.
વિરોધ વધતા પ્રચાર કરાયો
આમતો કચ્છમાં શિવાલીકા ગ્રુપ સાથે અન્ય મોટા નવરાત્રી આયોજનમાં પણ વૈભવી ઠાઠમાઠ સાથે આયોજીત થતી નવરાત્રીમાં માતાજીનુ મહત્વ ન સચવાતા હોવાની ફરીયાદ સાથે વિરોધ થયા છે.ત્યારે સોસીયલ મિડીયામાં વિરોધ વધતા કચ્છમાં સોસીયલ મિડીયા ઈન્ફ્લુએન્સર પાસે પેઇડ પ્રચાર કરવાનુ શરૂ કરી દેવાયુ છે.જો કે કેટલાક આગેવાનોએ કોમી એકતા ધરાવતા કચ્છમાં વિધર્મી કલાકારોની હાજરીને મુદ્દો ન બનાવવાનો પણ સુર વ્યક્ત કર્યો હતો પરંતુ માતાજીની આરાધનાના નામે થનારી ઉધાડી લુંટના વિરોધ કર્યો હતો
કચ્છમાં આવા આયોજનો સામે અગાઉ પણ વિરોધ થયો છે. પરંતુ આવા આયોજનો બંધ કરાવવામાં સફળતા મળી નથી પરંતુ આ વખતે શરૂઆતથી થઇ રહેલો વિરોધ પ્રબળ બની રહ્યો છે. જો કે બીજી તરફ આયજકો વિરોધ વચ્ચે સામ,દામ દંડ ભેદની નિતી અપનાવી આયોજન પાર પાડવા માટે મથી રહ્યા છે. ત્યારે જોવુ રહ્યુ હિન્દુ સંગઠનોના વિરોધના આગામી દિવસમાં શુ પડધા પડે છે.