Home Crime તમે.. નખત્રાણાના આ પરિવારની જેમ તાંત્રિક વિધિના નામે છેતરાયા નથી ને….?

તમે.. નખત્રાણાના આ પરિવારની જેમ તાંત્રિક વિધિના નામે છેતરાયા નથી ને….?

5053
નખત્રાણામાં તાંત્રિક વિધિના નામે છેતરપીંડીના કેસમાં રોકડ સાથે બે શખ્સો ઝડપાયા અવારનવાર બનતા આવા બનાવો છંતા ઠગ તાંત્રિકનો ભોગ બનેલા નખત્રાણાના પરિવાર સાથે છેતરપીંડી કરનાર બે શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપ્યા લોકોને સતર્ક રહેલા અપિલ
તાંત્રિક વિધિના નામે ગુન્હા આચરવાના મામલે હવે કચ્છમાં પણ ગંભીર મામલાઓ સામે આવી રહ્યા છે તાજેતરમાં આવીજ વિધીના બહાને છેડતીના બનાવ પછી હવે આવી વિધી કરી ઠગાઇ મામલે નખત્રાણા પોલીસે બે શખ્સોને ઝડપ્યા છે.રેન્જ આઇજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સુચના મુજબ આવાજ ગુન્હામાં નખત્રાણા પોલીસે કાર્યવાહી કરી છેતરપીંડી કે છળપકટના બનાવો અટકવવા માટે પ્રયત્નશિલ હતી તેવામાં એક જાગૃત નાગરિકે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આવી છેલ્લા ૦૭ વર્ષથી પોતાની સાથે બે શખ્સો ફકીર(બાપુ) હોવાનુ જણાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરીને વિશ્વાસમાં લઇ નડતર દૂર કરવાની તાંત્રિક વિધિ તેમજ તેમની પાસે રહેલ રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી રોકડા રૂપિયા ૭,૫૦,૦૦૦/- લઇ લીધેલ છે.અને હજુ પણ તાંત્રિક વિધિ કરવાનું કહી વધારે રૂપિયાની માગણી કરી રહ્યા છે.ફરીયાદી માનસિક રીતે હતાશ જણાતા નખત્રાણા પોલીસે તેની સાથે બનેલ બનાવની પુરેપુરી માહિતી મેળવી તાત્કાલિક ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી અને બંન્ને આરોપીઓને પકડી પાડી તેની પાસેથી ગુના કામે ગયેલ મુદ્દામાલ રોકડા રૂ.૭,૨૦,૦૦૦/- કબ્જે કરી ફરીયાદીને માનસિક ત્રાસ તેમજ આર્થિક નુકશાન થતું અટકાવી કાયદેસરની કરી હતી.શનિવારે પશ્ચિમ કચ્છ પોલીસે યોજેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવાયુ હતુ કે આરોપી પીરમામદ ફકીરમામદ ફકીર ઉર્ફે ફિરોજ ફકીર ઉ.વ.૫૦, તથા લતીફ ફકીરમામદ ફકીર ઉ.વ.૪૫ બન્ને રહે.રહીમનગર, ભુજને આ ગુન્હામાં પકડવામાં આવ્યો છે જે અવનવી વિધીના બહાને ભોગ બનનારને છેતરી રૂપીયા પડાવતા હતા. પોલીસે મોબાઇલ-રોકડ સહિત ૭,૨૪,૦૦૦/- નો મુદ્દામાલ તેની પાસેથી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં કામગીરીમાં પો.ઇન્સ.એ.એમ.મકવાણા,એ.એસ.આઇ. જયંતી માજીરાણા, સબીર બાયડ ,વિરેન્દ્રસિંહ જાડેજા,મોહન આયર,નરેન્દ્રસિંહ સોઢા,મોહન ગઢવી, મીતકુમાર પટેલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસે આ રીતે ઓ ટોળકીના કોઇ ભોગ બન્યો હોય તો આગળ આવવા માટે પણ અપિલ કરી હતી.તો ભોગ બનનાર પરિવારે પોલીસની સારી કામગીરી માટે આભાર માન્યો હતો.
નકલી તાંત્રિકની મોડસ ઓપરેન્ડી
ઝડપાયેલા આ આરોપીઓ કોઇ એવા વ્યક્તિને શોધીને કે જેના ઘરમાં નાના મોટા દુ:ખના પ્રસંગો બનેલ હોય જેને દુ:ખ દૂર કરવા માટે તાંત્રિક વિધિઓ કરીને વિશ્વાસમાં લઇને અલગ-અલગ જગ્યાએ બોલાવીને તાંત્રિક વિધિઓ કરીને તેની પાસેથી રૂપિયા પડાવી તેમજ તેમને એવું કહેતા કે, તમારી વાડીમાંથી સોનાના ભરેલા માટલા તેમજ રોકડા રૂપિયા ભરેલા કોથળા નિકળશે તેમજ તમે દેવને આપેલા રૂપિયા ડબલ થઇને તમને મળશે તેવી લાલચ આપી લોકો સાથે રોકડા રૂપિયા લઇને છેતરપીંડી કરી ગુનાને અંજામ આપતા હતા.
છાસવારે કચ્છ સહિત ગુજરાતમાં બનતા આવા બનાવો અને સરકારના પ્રયાસો છંતા લોકો આવી લાભામણી વાતમાં આવી આવી છેતરપીંડીનો ભોગ બને છે તેવામાં પોલીસ તો કામગીરી કરશે પરંતુ લોકો આવી લોભામણી વાતોમાં ન આવી જાગૃત બને તે વધુ જરૂરી છે.