Home Current કચ્છ કલેકટરે મહેસૂલમાં મોટાપાયે ફેરબદલ કરી સપાટો બોલાવ્યો !

કચ્છ કલેકટરે મહેસૂલમાં મોટાપાયે ફેરબદલ કરી સપાટો બોલાવ્યો !

1977

૧૬ નાયબ મામલતદારોની આંતરિક બદલીના હુકમ સાથે મહત્વની જગ્યાએ ચીપકી બેઠેલા અધિકારીઓને તાત્કાલીક અસરથી બદલીની અમલવારી કરવાના કચ્છ કલેકટરના હુકમ લાંબા સમય બાદ થયેલા બદલીના હુકમોએ મહેસૂલી તંત્રમાં ભારે ચર્ચા સર્જી
ભુજ
કચ્છ જિલ્લા મહેસૂલી મહેકમમાં વહીવટી સરળતા અને કામગીરીની સુચારુ વ્યવસ્થા અર્થે કલેક્ટર અનિલ રણવાસીયા દ્વારા વર્ગ-૩ નાયબ મામલતદાર સંવર્ગના ૧૬ કર્મચારીઓની તાત્કાલિક અસરથી આંતરિક બદલીઓના આદેશ કરવામાં આવ્યા હતા.કલેક્ટર કચેરી,ભુજ દ્વારા જારી કરાયેલા અધિકૃત હુકમ અનુસાર જિલ્લાની વિવિધ શાખાઓ તેમજ તાલુકા કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની જગ્યાઓમાં ફેરબદલ કરવામાં આવી છે.જેમાં આર.પી. પ્રજાપતિ અંજાર ચોમાસું શાખામાંથી કલેક્ટર કચેરી, ભુજ ખાતે નવી મંજૂર થયેલ લેન્ડ ગ્રેબિંગ-૨ શાખામાં નાયબ મામલતદાર તરીકે નિયુક્ત કરાયા છે.જ્યારે એમ.એસ.ઝાલા: ભુજ કલેક્ટર કચેરીના હક્કપત્રક શાખામાંથી પ્રાંત કચેરી,ભુજ ખાતે શિરસ્તેદાર તરીકે ટ્રાન્સફર કરાયા છે.ઝાલા કચ્છ કલેકટરના પી.એ તરીકે પણ કાર્યરત હતા.તો આ તરફ એમ.જે.સીસોદીયાને કલેક્ટર કચેરીની જનરલ શાખામાંથી હક્કપત્રક શાખા (P.A. ટુ કલેક્ટર) તરીકે નિમણૂક અપાઇ છે.જી. એલ.હુનને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાંથી હક્કપત્રક શાખા (P.A. ટુ કલેક્ટર) ખાતે મૂકવામા આવ્યા હતા. પી.એ.મોદી જમીન સંપાદન શાખામાંથી મામલતદાર કચેરી,ગાંધીધામ ખાતે બદલી (ચોમાસું-૨૦૨૬નો વધારાનો હવાલો).એ. આર. ઝાલા: ભચાઉ પ્રાંત કચેરીના શિરસ્તેદાર પદેથી મામલતદાર કચેરી, ભુજ (ગ્રામ્ય) ખાતે મહેસૂલ નાયબ મામલતદાર, જે.એન.ઝાલા: કલેક્ટર કચેરી, ભુજની અપીલ શાખામાંથી પ્રાંત કચેરી,નખત્રાણા (એટીવીટી-લખપત તાલુકા) ખાતે મૂકાયા હતા આ ઉપરાંત એ.પી.બૈડીયાવદરા,એચ.એ.કટારા,ટી.આર.વ્યાસ,કે. સી.સુથાર, વી. એમ. ગઢવી,એચ.એમ.જોષી,એમ.પી.અંદરપા,એસ.જી.ઠક્કર અને આર.એ.વ્યાસ સહિતના અધિકારીઓની પણ ભુજ,લખપત, અબડાસા અને અંજાર ખાતે બદલીઓ કરવામાં આવી હતી. કલેક્ટરના આદેશ મુજબ તમામ કર્મચારીઓએ આ બદલીની અમલવારી તાત્કાલિક અસરથી કરવાનુ પણ કહેવાયુ છે.બદલી થયેલી જગ્યાઓ માટે સંબંધિત કચેરીના વડાઓએ આંતરિક વ્યવસ્થા કરવાની તથા આ બદલીઓની નોંધ કર્મયોગી પોર્ટલ પર કરવા માટેની સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી હતી.જો કે બદલી પામેલા ૧૬ કર્મચારીઓમાંથી કેટલાક મહત્વની જગ્યાએ તો કેટલાક સજારૂપ બહાર ગયો હોવાની ચર્ચા કર્મચારીગણમાં છે.

આ બદલીઓ રહી ચર્ચામાં !

અગાઉ તલાટીઓની બદલીના હુકમો કર્યા બાદ નાયબ મામલતદાર સંવર્ગના ૧૬ કર્મચારીઓની બદલીના હુકમ ચર્ચામાં છે. એક તરફ કર્મચારીઓમાં 3 વર્ષ થઇ ગયો હોય સાથે પરિવારથી દુર તથા અન્ય મુદ્દાઓને ધ્યાનમાં ન લેવાયા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. તો બીજી તરફ કેટલાક વિવાદાસ્પદ કર્મીઓને ફરી મહત્વના સ્થળે બદલી થતા અનેક ગણગણાટો થઇ રહ્યા છે. જેમાં કે.સી.સુથારનુ નામ સૌથી ચર્ચામા છે.અગાઉ અનેક વિવાદીત જમીન મામલામાં તેનુ નામ ચર્ચામાં આવ્યુ હતુ અને સુરેન્દ્રનગર વાડી કચ્છમાં ન થાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યુ હતુ તેવામાં તેને બદલી ફરી મહત્વની જગ્યાએ ગોઠવવામાં આવતા આ બદલીએ ભારે ચર્ચા સર્જી છે. તો અગાઉ એક જમીનની નોંધ મામલે ચર્ચામાં આવેલા વી.એમ.ગઢવી મહત્વની જગ્યાએથી લખપત બદલી થતા અનેક ગણગણાટ થઇ રહ્યા છે. તો એસ.જે.ઠક્કરની બદલીને લઇને પણ અનેક ચર્ચાએ જોર પકડ્યુ છે. તો કર્મચારીની હિતની વાત કરતા એચ.એમ.જોશીને પણ લખપત બદલાતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.તો કલેકટરના પી.એ મોહિતસિંહ ઝાલાની બદલીની ચર્ચા પણ છે. આ સાથે વર્ષોથી મહત્વના હોદ્દા પર જ રહેતા જી.એલ.હુનની બદલી કલેકટરના પીએ તરીકે થતા તેની બદલીની પણ કર્મચારીગણમાં ભારે ચર્ચા છે. કેમકે અગાઉ અધિક કલેકટર અને હવે કલેકટરના પીએ તરીકે તેને નિયુક્ત કરાતા કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો છે.

આમતો સામાન્ય લોકોમાં આવી બદલીની ચર્ચા બહુ થતી નથી પરંતુ દૈનીક કામકાજ માટે આવતા અને આ વિભાગ સાથે સંકળાયેલા લોકો માટે આ બદલી ભારે ચર્ચાનુ કેન્દ્ર રહે છે. તેવામાં ૧૬ કર્મચારીઓની બદલીની ચર્ચા રેવન્ય વિભાગ સાથે તેની સાથે સંકળાયેલા લોકોમાં ભારે છે. મહત્વની બ્રાન્ચમાંથી સાઇડલાઇન થયેલા કેટલાક કર્મચારીઓની બદલી યોગ્ય થઇ હોવાની ચર્ચા છે. પરંતુ બીજી તરફ કેટલાક ચર્ચાસ્પદ વ્યક્તિઓ ફરી મહત્વના સ્થળે ગોઠવાઇ જવાનો ગણગણાટ કર્મચારીગણમાં છે. તેવામાં હજુ ટુંક સમયમાં થનારી બદલીઓમાં વિવાદીત ભુતકાળ અને થયેલી ફરીયાદો સહિતના મુદ્દાઓને ધ્યાને રખાય તેવુ ચર્ચા પરથી સપાટી પર આવ્યુ છે…