આમતો કચ્છની તમામ પાલિકાઓમાં લોકોની ફરીયાદ છે કે અનેકવાર રજુઆતો કરવા છંતા તેમની સમસ્યાનો ઉકેલ આવતો નથી. જો કે અંજારનો એક કિસ્સો હાલ ભારે ચર્ચામાં છે. જેમાં સમસ્યા માટે ફોન કરનાર એક નાગરીકને અંજાર પાલિકાના સેનીટેશન ચેરમેને રોકડુ પરખાવ્યું હતુ કે સમસ્યા માટે “મને ફોન ન કરો” ! જે મામલે ઓડિયો ક્લીપ વાયરલ થવા સાથે ભાજપના વરિષ્ટ લોકો સુધી ફરીયાદ સ્વરૂપે આ મામલો પહોચ્યો છે.
રોડ-રસ્તા,સફાઇ,ગટર સહિત અને એવા સમસ્યાના મુદ્દાઓ છે. જે શહેરી વિસ્તારમાં સામાન્ય બન્યા છે. તેમાય જ્યારે વરસાદની સિઝન છે. ત્યારે આવી સમસ્યા વધીને વિકરાળ બની રહી છે. તે વચ્ચે અંજાર પાલિકાનો એક કિસ્સો હાલ ભારે ચર્ચામાં આવ્યો છે. સોસિયલ મિડીયામાં વાયરલ થયેલા એક ઓડિયો અને તેની સાથેના લખાણે ભારે સવાલો સર્જયા છે. કેમકે સામાન્ય રીતે લોકોની ફરીયાદ એવી હોય છે. કે તેની સમસ્યાનો ઉકેલ અનેક રજુઆતો પછી આવતો નથી અને ચુંટાયેલા સભ્યો યોગ્ય કાર્યવાહી કરતા નથી….પરંતુ અંજારમાં તો જવાબદાર કહી શકાય તેવા સેનીટેશન વિભાગના ચેરમેને રજુઆત કર્તાને ફોન પર જ કહી દીધુ કે મને આવી ફરીયાદો નહી. કરવાની જે મામલો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તેવામાં સુત્રો અને વાયરલ લખાણ મુજબ રજુઆત કરનાર નાગરીક સાથે સત્તાધારી ભાજપનો સભ્ય હોવાનુ પણ સામે આવ્યુ છે. જેથી લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. કે તેની પાર્ટીના સભ્યના લોકોને જ્યારે આવા જવાબો મળી રહ્યા છે. અને ફરીયાદના ઉકેલના બદલે રજુઆત સંભળાતી જ નથી તો સામાન્ય નાગરીકોની સ્થિતી શુ હશે…જો કે આ અંગે જ્યારે અંજાર પાલિકાના સેનિટેશન ચેરમેન તેજપાલ લોચાનીનો સંપર્ક કરાયો ત્યારે તેઓએ કોઇ કામમાં રોકાયેલા હોવાનુ કહી એ સમસ્યાનો ઉકેલ આવી ગયો હોવાનુ કહી રજુઆત કર્તાની સમસ્યા દુર કરી હોવાનો ખુલાસો કરી તે સાંજના સમયે અન્ય કોઇમાં રોકાયેલા હોવાનો પક્ષ રાખી મામલો થાડે પડી ગયો હોવાનુ કહ્યુ હતુ…જો કે ભાજપના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ ચેરમેન બન્યા બાદ અગ્રણીના સુર તો ચોક્કસ બદલાયા છે.
શુ હતો સમગ્ર મામલો?
અંજાર નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન અને એક જાગૃત નાગરિક વચ્ચે ફોન પર થયેલી વાતચીતનો કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.શહેરમાં સફાઈ અને સેનિટેશનની સમસ્યાઓ અંગે જ્યારે એક નાગરિકે ચેરમેનને ફોન પર રજૂઆત કરી,ત્યારે ચેરમેને જવાબદારી સ્વીકારવાના બદલે એવું કહીને હાથ અધ્ધર કરી લીધા હતા કે,”આ બાબતે મને ફોન ન કરો, પાલિકાના સેનિટેશન વિભાગમાં જઈને કહો.”જો કે ફોન પર રજૂઆત કરનાર વ્યક્તિ કોઈ સામાન્ય નાગરિક નથી પરંતુ ચેરમેનની જ સત્તાધારી પાર્ટીના સભ્ય હોવાનું સામે આવ્યું છે.જ્યારે ખુદ પોતાની જ પાર્ટીના આંતરિક સભ્ય અને કાર્યકરને સેનિટેશન ચેરમેન તરફથી આવો નકારાત્મક જવાબ મળતો હોય,તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે તે સવાલ ઉભા થઇ રહ્યા છે.પ્રજાની કે પોતાની જ પાર્ટીના સભ્યોની રજૂઆત સાંભળવામાંથી હાથ અધ્ધર કરનાર ચેરમેનનો કિસ્સો હાલ ચર્ચામાં છે. જો કે મામલો અહી અટક્યો નથી અને ઓડિયો સાથે અંજાર પાલિકાના જવાબદાર અને પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો સુધી આ મામલે રજુઆત થઇ હોવાનુ કહેવાય છે…
કિસ્સો સામે આવ્યા બાદ લોકોમાં પ્રશ્નો થઇ રહ્યા છે.કે શું ચેરમેનનો આ જવાબ યોગ્ય ગણાય?નગરપાલિકાના નિયમો અને લોકશાહીની રૂએ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખાસ કરીને વિવિધ સમિતિના ચેરમેનો પ્રજાની સમસ્યાઓ સાંભળવા અને તેનો ઉકેલ લાવવા માટે જવાબદાર હોય જ છે. જો હાલ તો સમસ્યાનો ઉકેલ આવી ગયો હોવાનુ ચેરમેને જણાવ્યુ છે પરંતુ આ ઘટનાને પગલે પાલિકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને શાસક પક્ષની આંતરિક ખેંચતાણ પણ તેવામાં જોવુ રહ્યુ ભાજપ મોવડી મંડળ આ મામલે શુ આંતરીક કાર્યવાહી કરે છે…જો કે ચર્ચા એવી પણ છે. કે ભવિષ્યમાં પાલિકા પ્રમુખ પદ્દની રેસમાં રહેલા સેનિટેશન ચેરમેનને ટુંકા કરવા માટે આ મામલો વધુ ચગાવાયો છે. પરંતુ હાલ આ કિસ્સો અંજારમાં ભારે ચર્ચામાં છે.