૪ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ૫ વચેટિયાઓ સામે બોગસ ફોર્મ ૧૫સીબી (Form 15CB) બનાવી વિદેશમાં નાણાં મોકલવા અને સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ પોલીસ મથકે ગુનો દાખલ
ગાધીધામ:
ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવકવેરા વિભાગ દ્વારા રાજ્ય અને દેશને હચમચાવી નાખનાર અંદાજે ૮૦૪.૩૦ કરોડના આર્થિક કૌભાંડ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આવકવેરા વિભાગના ઇન્સ્પેક્ટર નિખિલ શાંતીલાલ પાટીદારની ફિયાદના આધારે ગાંધીધામના ૪ નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) અને ૫ વચેટિયાઓ સહિત કુલ ૯ આરોપીઓ સામે ગુનાહિત કાવતરું,છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વિગતે વાત કરીએ તો ગઈ તારીખ ૧૮/૦૮/૨૦૨૬ના રોજ અમદાવાદ આવકવેરા વિભાગની તપાસ શાખા દ્વારા ગાંધીધામ ખાતે આવકવેરા અધિનિયમ-૨૦૨૫ ની કલમ ૨૪૭ તથા ૨૫૩ હેઠળ સી.એ.પેઢીઓ ઉપર સર્ચ અને સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે,આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા ભારત બહાર નાણાં મોકલવા માટે જરૂરી ચકાસણી કર્યા વિના જ ખોટા અને બોગસ પ્રમાણપત્રો (આવકવેરા નિયમો,૧૯૬૨ હેઠળનું ફોર્મ 15CB) ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ સી.એ એ નાણાં મોકલનાર સંસ્થાઓના કોઈ હિસાબી ચોપડા,કરાર કે દસ્તાવેજો તપાસ્યા વગર માત્ર વચેટિયાઓના ઈશારે બોગસ પ્રમાણપત્રો બનાવી આપ્યા હતા. તપાસમાં સંડોવાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને પેઢીઓની વિગતની વાત કરીએ તો પુનીલકુમાર અતુલકુમાર દાંડ સી.એ. પુનીલકુમાર દાંડ એન્ડ એસોસિએટ્સ, ઓફિસ નં. ૨૪, બીજો માળ, પ્લોટ નં. ૧૦૨, કોર્પોરેટ પાર્ક, સેક્ટર નં. ૮,ગાંધીધામ,નિખિલ અવધેશ મિશ્રા ઓફિસ નં.૨૧-૨૨, ગ્રાઉન્ડ ફ્લોર, ગુરુકુલ સિટી સેન્ટર, પ્લોટ નં. ૬૮-૬૯, વોર્ડ-૭, ગાંધીધામ,રાહુલ સાધુ સી.એ. રાહુલ સાધુ એન્ડ એસોસિએટ્સ, ૨૧૦, નિલેશ પાર્ક, સેક્ટર ૮, ગાંધીધામ; રહે. પ્લોટ નં. ૭૩, ગોકુલધામ સોસાયટી, ગળપાદર,આદિપુર કરણ અગ્રવાલ મે. કરણ પી.અગ્રવાલ એન્ડ એસોસિએટ્સ, ઓલ્ડ એ ડિવિઝન, ઓફિસ નં. ૦૬, બીજો માળ,આદિનાથ આર્કેડ ૨,પોલીસ સ્ટેશન રોડ, ગાંધીધામનુ નામ સાવે આવ્યુ હતુ.તપાસ દરમિયાન સી.એ એ ખુલાસો કર્યો હતો કે તેઓ વાસ્તવિક ડિરેક્ટરોને બદલે નીચે મુજબના વચેટિયાઓ મારફતે ગેરકાયદેસર રોકડ નાણાં કમાવાના ઈરાદે આ ખોટા પ્રમાણપત્રો ઇશ્યૂ કરતા હતા.આ કૌભાંડમાં મદદગારી કરનાર ઇસમો પણ તપાસના દાયરામાં આવ્યા છે જેમાં રવિન્દ્ર શિશુપાલ કેલા (રહે. શક્તિનગર, ગાંધીધામ,પ્રવિણ જૈન,લેન્દ્ર શેહરાવત ઉર્ફે સાહીલ ભાઇ ઉર્ફે વકીલ સાહેબ,આલોક મિતલ, અજયકુમાર અખાનીનો સમાવેશ થાય છે. આ સમગ્ર કૌભાંડ અંગે ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ ૩૧૬(૨),૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) અને ૬૧(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આગામી દિવસોમાં આ પ્રકરણમાં સંડોવાયેલા બેંક કર્મચારીઓ,કંપનીઓના અસલી ડિરેક્ટરો અને અન્ય વચેટિયાઓની ધરપકડ થાય તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે તેજ કરાઇ છે.
કચ્છમાં ઓદ્યોગીક વિકાસની સાથે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં પણ વધારો થયો છે. એકાઉન્ટ ભાડે આપવાના આંતરરાષ્ટ્રીય કૌભાડો સહિતના મામલાઓ કચ્છમાં પ્રકાશમાં આવ્યા બાદ હવે બોગસ ફોર્મના આધારે ૮૦૪.૩૦ કરોડના આર્થિક કૌભાંડનો પ્રર્દાફાસ થયો છે. ત્યારે તપાસમાં શુ નવા ખુલાાસા થાય છે. તે જોવુ રહ્યુ..