Home Crime એક પ્રચંડ વિસ્ફોટ અને નખત્રાણામાં ચાર જીંદગી હોમાઇ ગઇ !

એક પ્રચંડ વિસ્ફોટ અને નખત્રાણામાં ચાર જીંદગી હોમાઇ ગઇ !

1864

નખત્રાણાના કોટડા(જ) નજીક આવેલા ભંગારના વાડામાં અચાનક બલાસ્ટ થતા બે માસુમ સહિત ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.બનાવની જાણ થતા ઘટનાસ્થળે પોલીસે તપાસ આરંભી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે નિષ્ણાંતોએ પહોંચી બનાવની વિગતો મેળવી

નખત્રાણાના કોટડા (જડોદર) પાસે ભંગારના વાડામાં બ્લાસ્ટ થતા ચારના મોત થયા હતા.જેમાં માસુમનો પણ સમાવેશ થાય છે.શનિવારે બપોરે નખત્રાણા સ્થિત એક ઘરમાંજ રખાયેલા ભંગારના વાડામાં અચાનક એક જોરદાર ધડાકો થયો હતો.આ ભયાનક વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સ્થળ પર જ ચાર લોકોના મોત નીપજ્યા હતા.ગાડીમાંથી ઉતરતાજ આ બનાવ બન્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર,આ દુર્ઘટના વાડામાં પડેલા વાહનના ફ્યુઅલ-ડિઝલ ટેન્ક અથવા સ્ક્રેપમાં રહેલી કોઈ વિસ્ફોટક વસ્તુના કારણે થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ફોરેન્સિક ટીમની મદદ લઈને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.આ ગોઝારી ઘટનાને કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.દુર્ધટનામાં કુંભાર મામદ ઉ,30 વર્ષ,કુંભાર નૂર મામદ ઉ.26 વર્ષ કુંભાર હુસેન 3 વર્ષ,અને નૂર ફાતિમા આશરે 3વર્ષનો સમાવેશ થાય છે.બનાવની વિગતો થોડી વારમાં સમગ્ર કચ્છમાં પહોચી હતી.આસપાસના વિસ્તારોમાંથી લોકો અહી દોડી આવ્યા હતા. પ્રાથમીક અનુમાન મુજબ આસપાસના અનેક વિસ્તારોમાં આ બલાસ્ટનો અવાજ સંભળાયો હતો. બનાવની જાણ થતા પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા સહિતના અધિકારીઓ પણ ધટના સ્થળે પહોચ્યા હતા.અને બનાવની વિગતો મેળવી હતી.અને પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. મૃત્દેહ પોસ્ટમાર્ટમ માટે ખસેડવા સાથે એફએસએલની મદદથી પોલીસે ક્યા વિસ્ફોટક પ્રદાર્થથી આ ધડાકો થયો તેની માહિતી મેળવવા કવાયત હાથ ધરી છે.જો કે નખત્રાણા સહિત સમગ્ર કચ્છમાં આ બનાવે અરેરાટી સર્જી હતી.કચ્છમાં અગાઉ પણ ભંગારના વાડામાં થયેલી આવી દુર્ધટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.તેવામાં આ બલાસ્ટ શા કારણે થયો તે જાણવુ પોલીસ માટે પણ અગત્યનુ રહેશે..સ્થળ પર પહોચેલા પશ્ચિમ કચ્છ એસપીએ મિડીયા સાથેની વાતચીતમાં પ્રાથમીક રીતે ડિઝલ ટેન્કમાં બલાસ્ટની વાત કહી નિષ્ણાંતોની મદદથી બલાસ્ટની તપાસ અંગે કહ્યુ હતુ. સમાજના અગ્રણી અને અન્ય સામાજીક અગ્રણીઓએ સરકાર પાસે વળતરીની પણ માંગ કરી હતી.