
સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર એસીબીએ સફળ દરોડો પાડી વનરક્ષક અને એક ખાનગી ઈસમને રૂપીયા ૧૦૦ની લાંચ લેતા ઝડપ્યા વાહતુક પાસમાં સિક્કો મારી રજીસ્ટરમાં નોંધ કરાવવા લાંચ માંગી હતી.
ગાંધીધામ
ગુજરાતમાં ભષ્ટ્રાચાર વ્યાપક પ્રમાણમાં થાય છે. પરંતુ તે દેખાતો નથી આ ચોક્કસથી એસીબી જ્યારે કાર્યવાહી કરે છે. ત્યારે તેના કિસ્સા પરથી સામાન્ય લોકો અંદાજ લગાવે છે. કે કોઇ કામ આજે પૈસા વગર થતુ નથી સુરજબારી ચેકપોસ્ટ પર આવોજ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કે જે સાંભળી લોકો વિચારતા થયા છે. કે જો સામાન્ય કામગીરી માટે કર્મચારીઓ 100 રૂપીયા લેતા અચકાતા નથી. તો વનવિભાગમાં અન્ય કેટલો વ્યાપક ભષ્ટ્રાચાર થતો હશે વિગતે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં લાકડા ભરીને જતા વાહનો પાસેથી ગેરકાયદેસર લાંચ વસૂલવામાં સક્રિય એસીબીની ટીમે એક સફળ કાર્યવાહી કરી હતી.ભચાઉ નોર્મલ રેન્જ હેઠળ આવતી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર એસીબી ગાંધીધામ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં વનરક્ષક અને એક ખાનગી વ્યક્તિ વાહતુક પાસમાં સિક્કો મારી એન્ટ્રી કરવાના બદલે લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.એસીબી પોલીસ સ્ટેશન, ગાંધીધામને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે કચ્છમાંથી લાકડા ભરીને પસાર થતા વાહનોના ચાલકો પાસેથી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટના અધિકારીઓ,કર્મચારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા વાહતુક પાસમાં સિક્કો મારી રજીસ્ટરમાં નોંધ કરવાના બદલે રૂ. ૧૦૦ થી લઈને રૂ. ૧૦૦૦ સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે છે.આ બાતમીના આધારે એસીબી ગાંધીધામની ટીમ દ્વારા એક જાગૃત નાગરિક (ડિકોયર) ના સહકારથી લાંચનું ડિકોય ઓપરેશન આયોજિત કરવામાં આવ્યું હતું.આ ટ્રેપ દરમિયાન ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીના કહેવાથી ખાનગી વ્યક્તિએ વાહતુક પાસમાં સિક્કા કરી નોંધ કરી આપવાના બદલે ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી જે દરમ્યાન એસીબીએ કાર્યવાહી કરતા જામનસા ઓસામણ સૈયદ (રહે. બુઢાર મોરા, તા. અંજાર, કચ્છ – ખાનગી વ્યક્તિ) તથા હરેશ હેમરાજ ચૌધરી (વનરક્ષક, ભચાઉ નોર્મલ રેન્જ, કચ્છ) લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ સફળ ઓપરેશન એચ.વી.ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર, કચ્છ-પૂર્વ એસીબી પોલીસ સ્ટેશન,ગાંધીધામ) અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતુ.એસીબીની આ કડક કાર્યવાહીથી ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કચ્છમાં વનવિભાગ સામે જાગૃત નાગરીકોની અનેક ફરીયાદો ભષ્ટ્રાચાર અને કથિત કૌભાડોની છે. પરંતુ તે આક્ષેપો માત્ર ફરીયાદ બની કાગળ સ્વરૂપે જ રહી જાય છે. પરંતુ એક વાહતુક પાસ માટે પણ જ્યા 100 થી 1000ની લાંચ મંગાતી હોય ત્યા અન્ય કેટલો વ્યાપક ભષ્ટ્રાચાર થતો હશે તેની કલ્પના જ કરવી રહી….જો એસીબી સુધી ભષ્ટ્રાચારની ફરીયાદો પહોંચતી હોય તો શુ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી આવી ફરીયાદો નહી પહોંચતી હોય તે પ્રશ્ન સ્વાભાવીક થાય….