Home Current અંજાર ભાજપના ‘લેટર કાંડ’ના મુળમાં ગત વર્ષે અપાયેલુ એક ટેન્ડર?

અંજાર ભાજપના ‘લેટર કાંડ’ના મુળમાં ગત વર્ષે અપાયેલુ એક ટેન્ડર?

1670

શહેર ભાજપના પ્રમુખ સહિતના નેતાઓના પત્ર દ્વારા ગંભીર આક્ષેપ બાદ વધુ ત્રણ નેતાએએ પત્ર લખી જીલ્લા ભાજપ પ્રમુખને ફરીયાદ કરી રાજકીય ઘટનામાં એક પછી એક પાના ખુલતા ચકચારી આ કિસ્સાના મુળમાં ટેન્ડરના વિખવાદમાં આખો મામલો હોવાની શહેરમાં ચર્ચા

શિસ્તબધ્ધ છાપવાળી ભાજપ પાર્ટીમાં આતંરીક વિખવાદો સમયાતેર સામે આવે છે.સ્થાનીક ચુંટણી સમયે અંજાર,માંડવી,ભુજમાં આવા અનેક વિખવાદ સપાટી પર પત્ર સ્વરૂપે સામે આવ્યા હતા. તેવામાં તાજેતરમાં અંજાર શહેરમાં વહીવટ સાથેના આરોપ સહિતની રજૂઆતવાળા પત્રએ ભારે રાજકીય ચર્ચા ઉભી કરી છે. શહેર ભાજપના પ્રમુખ હિતેન વ્યાસ સહિતના નેતાઓેએ જીલ્લા ભાજપના પ્રમુખને લખેલા પત્રની ચર્ચા હજુ સમી નથી ત્યા આ પત્રોની રજુઆતના સમર્થનમાં અન્ય ત્રણ પત્ર પણ વાયરલ થતા આ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બનતો જાય છે.સૌ પ્રથમ અંજાર નગરપાલિકાના ત્રણ જવાબદાર હોદેદારોની સહીવાળા પત્રએ આ સમગ્ર મામલાને બહાર લાવવાની ભૂમિકા ભજવી હતી.આ પછી હવે નગરપાલિકાના અન્ય ત્રણ જવાબદાર પદાધિકારીએ કરેલી રજૂઆતોવાળા પત્ર પણ વાયરલ થયા છે.જેમાં પણ અંજાર પાલિકાના પ્રમુખ પતિ દ્વારા થતા ભષ્ટ્રાચાર સામે ગંભીર પ્રશ્નો ઉભા કરાયા છે. આ પત્રમાં અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રકાશ રવિલાલ લોદરીયા,શાસક મક્ષના નેતા આશિષ સી.ઉદવાની અને સુધરાઇના ઉપપ્રમુખ પરેશ ધનજી માલસતર દ્વારા કરાઇ છે.જેમાં પણ નગરપાલિકાના પ્રમુખના પતિ દ્વારા વહીવટ સાથે નિયમ વિરૂધ્ધની અને પક્ષે જેના માટે મનાઈ ફરમાવી છે તેવી ફંડફાળા સહિતની પ્રવૃત્તિ કરાઈ રહી હોવાના આક્ષેપો કરાયા છે.

ખરેખર ભષ્ટ્રાચાર કે પછી મુળમાં કોન્ટ્રાક્ટનો વિવાદ

એક તરફ ભાજપના અગ્રણીઓને પત્ર લખી ખુલ્લા ભષ્ટ્રાચારના આક્ષેપ ખુદ પાર્ટીના અગ્રણીઓએ કર્યા છે. તેનો મામલો ચર્ચામાં છે. તેમાં આપ અને કોગ્રેસ જેવા પક્ષ પણ કુદી પડ્યુ છે. અને અગાઉ તેઓએ પણ કરેલી ફરીયાદ સાથે યોગ્ય તપાસની માંગ કરાઇ છે. તો બીજી તરફ શહેરમાં અલગ જ ચર્ચા જોવા મળી રહી છે. જો સુત્રોનુ માનીએ તો ગત ટર્મમાં પાલિકા દ્વારા મંજુર કરાયેલા એક કરોડો રૂપીયાનો ટેન્ડર આ સમગ્ર વિખવાદ પાછળ હોવાની ચર્ચા છે. જેમાં ગત ટર્મમાં તો મોટા વહિવટ સાથે તેને મંજુરી આપી દેવાઇ પરંતુ હવે ‘નવી ધોડી નવો દાવ’ તેમ આ ટેન્ડરમાં નવા જવાબદારો વચ્ચે કોઇ વિખવાદ થતા આ પત્ર કાંડ શરૂ થયો હોવાની ચર્ચા અંજારમાં ચોળે ને ચોકે છે. એટલે પત્રની સાથે તેના વિવાદમાં મુળમાં પણ ભષ્ટ્રાચાર જ હોવાની ચર્ચા સામાન્ય નાગરીકોમાં છે.

આપ-કોગ્રેસના સવાલ ભાજપનું નેતૃત્વ ચૂપ કેમ છે?

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અન્સારી આથાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે, ભાજપના લેટરહેડમાં લખેલો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ લેટરહેડમાંઅંજાર શહેર ભાજપની ટીમે ભાજપના જિલ્લા પ્રમુખને ફરિયાદ કરતા કહ્યું છે કે નગરપાલિકાના જે પ્રમુખ છે તેમના પતિ કોન્ટ્રાક્ટમાં હિસ્સેદારી માંગી રહ્યા છે.અહીંયા સવાલ ઉભો થાય છે કે વિકાસ જનતાનો થાય છે કે ભાજપના લોકોનો? ભાજપના પોતાના લોકો આ ફરિયાદ કરી રહ્યા છે તો ભાજપનું નેતૃત્વ ચૂપ કેમ છે? એ લોકોએ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.આ આખી સિસ્ટમ હિસ્સેદારીની સંસ્કૃતિ પર ચાલે છે.નાગરિકોને રોડ,રસ્તા, ગટર વ્યવસ્થા જેવી માળખાકીય સુવિધાઓ જોઈતી હોય છે,અને આ તમામ વસ્તુ માટે લોકો ટેક્સ આપે છે પરંતુ બદલામાં લોકોને હલકી ગુણવત્તાવાળું કામ મળે છે કારણ કે કોન્ટ્રાક્ટમાં પહેલાથી હિસ્સેદારીઓ વહેંચાઈ ગયેલી હોય છે,આ વાત ભાજપના લોકો પોતે કહી રહ્યા છે. તો કોગ્રેસના વિપક્ષી નેતાઓએ પણ શહેરના અનેક પ્રશ્નો છે. પરંતુ આંતરીક રાજકારણ લેટરો લખી ગરમાયુ છે. પરંતુ પ્રજાના કામનુ શુ આ તમામ બાબતે તેને પણ યોગ્ય તપાસની માંગ કરી છે. તો સંગઠન લોકોના પ્રશ્ન માટે કેમ પત્ર લખતુ નથી તેવા સવાલ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ઉઠાવ્યા હતા.

એક પછી એક પત્રો બહાર આવત પત્રની શ્રેણીનો આ સિલસીલો ક્યારે અટકશે તે મોટો પ્રશ્ન છે. જો કે રાજકીય સુત્રોનુ માનીએ તો પાર્ટીનાજ જવાબદારો જુથ્થબંધીમાં આ વિખવાદને પાછલા બારણે હવા આપી રહ્યા છે. જો કે હવે નવા-નવા વિવાદો વચ્ચે પક્ષનું જિલ્લા એકમ કેવા અને કોની સામે પગલા લે છે તેના ઉપર સૌની રાજકીય મીટ મંડાઈ છે.જો કે અગાઉના કિસ્સા જોતા આવા પત્રો મામલે કોઇ સામે કાર્યવાહી થઇ નથી ત્યારે આ મામલે પણ અંદરખાને ઢંકાઇ જાય તો નવાઇ નહી..જો કે આવા પત્રો ભાજપની છબી ખરડી રહ્યા છે. તેવામાં પ્રદેશ કક્ષાએથી આવા મામલાની ગંભીર નોંધ લઇ તેમાં યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી હોવાનુ પાર્ટીને સમર્પિત લોકો જણાવી રહ્યા છે.