Home Current જ્યાં અન્યાય થાય છે ત્યાં ABVP બાંયો ચડાવશે,કચ્છ યુનિવર્સિટીમાં ક્યા બે કોંગ્રેસીઓને...
કચ્છ યુનિવર્સિટીના ૬ સેનેટ મેમ્બરોની ચૂંટણી અત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે,ત્યારે શાહીકાંડ ની ઘટનાની કચ્છના મીડીયાએ લીધેલી ગંભીર નોંધને પગલે એક તબક્કે ABVP ના પ્રાંત મંત્રી નિખિલ મેઠીયાએ મીડીયા દ્વારા એક જ બાજુ રજૂ કરાઈ હોવાનું જણાવીને ABVP વતી પોતે તેમનો પક્ષ મૂકી રહ્યા હોવાનું કહ્યું હતું. જોકે,શાહી લગાડવાની ઘટનાને તેમણે વખોડી હતી પણ તેની સાથે એ સવાલે’ય કર્યો હતો કે વિદ્યાર્થીઓ આવું શા માટે કરવું પડ્યું? એ યુનિવર્સિટીએ અને સૌએ વિચારવું જોઈએ. મતદાર યાદીમાં ખોટું થયું છે અને વારંવારની રજુઆત પછીયે કુલપતિ કે પ્રો. બક્ષીએ વિદ્યાર્થીઓને સાંભળ્યા નથી. ન્યૂઝ4કચ્છ સાથેની વિશેષ વાતચીતમાં નિખિલ મીઠીયાએ ગર્ભિત ભાષામાં કહ્યું હતું કે જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં ત્યાં ABVP ના વિધાર્થી કાર્યકર્તાઓ બાંયો ચડાવીને લડ્યા છે અને લડતા રહેશે. ABVP ના વિદ્યાર્થી કાર્યકર્તાઓની કરાયેલી ધરપકડ માં પોલીસ પોતાનું કામ કરી રહી હોવાનું જણાવતા નિખિલ મીઠીયાએ છાત્રોના એડમીશન રદ કરવાની પ્રક્રિયા સંદર્ભે ABVP દ્વારા કુલપતિને રજુઆત કરાશે એવું જણાવ્યું હતું. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ABVP એ મતદારયાદી માં થયેલી ધાંધલી અંગે તપાસ કરવાની માંગ કરી છે. ડખા ના કારણે નવું એડમીશન લેનારા વિધાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાને થઈ રહેલી અસર માટે કુલપતિને જવાબદાર ગણાવ્યા હતા. જોકે,વારંવાર તેમણે કુલપતિ અને ઈલેક્શન કોઓર્ડીનેટર પ્રો. બક્ષી ઉપર કોંગ્રેસના ઈશારે કામ કરવાનો આક્ષેપ મૂકી અને આ સમગ્ર મામલે ABVP સરકારમાં રજુઆત કરશે એવી વાત કરી હતી. ૭૦૦ માંથી ૫૫૦ જેટલા ફોર્મ રદ કરવાના પ્રશ્ને તેમણે કોંગ્રેસના ઈશારે કુલપતિ તેમ જ કોઓર્ડીનેટર દ્વારા આ કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. દોષીતોને છાવરવા માટે જાતિવાદના રાજકારણનો ઉપયોગ કરવાની વાતને દુઃખદ ગણાવીને ABVP વતી નિખિલ મેઠિયાએ શિક્ષણક્ષેત્ર માં પ્રવેશેલા ભ્રષ્ટાચાર અને અનીતિની લડાઈમાં સાથ આપવા સમાજ અને સરકારને જાહેર અપીલ કરી છે.
ABVP ની પત્રકાર પરિષદમાં કચ્છ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર મનોજ ગઢવીએ કરેલા આક્ષેપો સંદર્ભે ન્યૂઝ4કચ્છ એ રમેશ ગરવાનો સંપર્ક કર્યો તો તેમણે શું કહયું? મારા અથવા યશપાલસિંહ દ્વારા એક પણ ફોર્મ રદ કરાવાયા નથી. આ આક્ષેપો ખોટા છે તેનું કારણ છે મારુ પોતાનું ફોર્મ રદ થતા મારુ નામ પણ મતદાર યાદી માંથી નીકળી ગયું છે. જોકે, ગત ટર્મમાં સેનેટ મેમ્બર રહી ચૂકેલા રમેશ ગરવાએ ભાજપના ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા, ભૌમિક વચ્છરાજાની, વિમળાબેન નરેશ મહેશ્વરી સહિત અનેક આગેવાનોના ફોર્મ રદ થયા હોવાનું જણાવ્યું હતું.