Home Current અંતે બળદિયા,જુમખા,વડજરના ગ્રામજનોનો સંયમ તૂટી પડ્યો, ચક્કજામ !

અંતે બળદિયા,જુમખા,વડજરના ગ્રામજનોનો સંયમ તૂટી પડ્યો, ચક્કજામ !

5158
ખાણની ટ્રકોના અતિશય વાહનવ્યવહાર સામે ગ્રામજનોનો રસ્તા બંધ કરી વિરોધ નોંધાવ્યો ઓવરલોડ વાહનોની સતત અવરજવરથી નાગરીકો મુશ્કેલીમાં તંત્રને વેધક સવાલ શુ કોઇના જીવ જશે પછી કાર્યવાહી કરવામાં આવશે જ્યા સુધી ઉકેલ નહી ત્યા સુધી વિરોધ યથાવત
ભારે વાહનોની અવરજરથી ગામની સમસ્યા એ કોઇ નવી વાત નથી ઓદ્યોગીક વિકાસ સાથે અનેક ગામો એવા છે જ્યા સતત થતી અલરજવરથી ગ્રામજનો પરેશાન છે આવીજ સમસ્યાથી લાંબા સમયથી પિડાતા બળદિયા, જુમખા અને વડજર ગામના ગ્રામજનોનો સંયમ અંતે તૂટી પડ્યો છે. સરપંચો, ઉપસરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો તથા ખેડૂતો સૌ સાથે મળી બળદિયાથી જુમખા અને વડજર તરફ જતો મુખ્ય માર્ગ સદંતર બંધ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.સ્થાનિક કચેરીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ગ્રામજનોને આ પગલું ભરવું પડ્યું.કેરા સીમ તળમાં ચાલી રહેલા ખાણ કામમાંથી દરરોજ અંદાજે ૩૦૦ જેટલી ભારે ટ્રકો આ માર્ગ પરથી પસાર થવાથી માર્ગ અત્યંત ધૂળમય બની ગયો છે. સાથે વાહનોની અવરજવરના પરિણામે રોજબરોજ નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે અને સ્થાનિકો તેમજ આસપાસના ગામોના નાગરિકો ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.ત્યારે આજે રસ્તો બંધ કરી લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ખાણ કામના વાહનવ્યવહાર માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા,ધૂળ નિયંત્રણ (પાણી છંટકાવ), માર્ગ સલામતી અને નિયમિત દેખરેખ જેવી તાત્કાલિક કાર્યવાહી નહીં થાય,ત્યાં સુધી તેમનો શાંતિપૂર્ણ પરંતુ દ્રઢ વિરોધ ચાલુ રહેશે. પ્રશાસન તાત્કાલિક યોગ્ય કાર્યવાહીની ખાતરી આપે અને જનહિતમાં યોગ્ય નિર્ણય લે તેવી ગ્રામજનોની માંગ છે. વિરોધ કર્તા અગ્રણીઓએ જણાવ્યુ હતુ કે વૈકલ્પીક રસ્તો બની ગયો છે છંતા અહીથી ઓવરલોડ વાહનો પસાર થઇ રહ્યા છે. જેને કારણે રસ્તાની હાલત દયનિય બની છે. સ્થાનીક અગ્રણીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે લોકોના વિરોધ છંતા તરફથી કોઇ ફરક્યુ નથી. છેલ્લા ઘણા લાંબા સમયથી બળદિયા જુમખા તથા વડઝર ના ગ્રામજનો ખેડૂતોને જિલ્લાવહીવટી તંત્ર ખાણખનીજ તથા આરટીઓ વિભાગની બેદરકારી અને ઓવરલોડ વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિના ભોગે ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે ઓવરલોડ વાહનો બેફામ દોડતા અવારનવાર અકસ્માતો સર્જાય છે પરંતુ લોકોનું રહેવું પણ દુષ્કર બની ગયેલ છે આ બાબતે સ્થાનિકોએ આજે બળદિયા જુમખા માર્ગ પર ચકાજામ કરતા સેકડો વાહનોના પૈડા થંભી જતા ગાડીઓના થપ્પા લાગી ગયા હતા
ઓવરલોડ વાહનોના ત્રાસથી બચાવો : કોગ્રેસ
આ તરફ સ્થાનીક લોકોના વિરોધ વચ્ચે કોગ્રેસના અગ્રણીઓ પણ ત્યા પહોચ્યા હતા.આ ગામોની મૂળભૂત સમસ્યાના સમર્થનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલ, જિલ્લા મહામંત્રીઓ ડો.રમેશ ધીરજ રૂપાણી વિગેરેએ ચાલી રહેલ ચક્કાજામ આંદોલનને ખુલુ સમર્થન આપવા ઘસી ગયા હતા હુંબલે રોષપૂર્વક જણાવ્યું હતું કે સ્થાનિકો બળદિયા ઝૂમખા વડઝરના લોકોએ અવારનવાર લેખિત મૌખિક પ્રતિનિધિ મંડળ સ્વરૂપે, સ્થાનિક પંચાયતો સરપંચોએ અવારનવાર રજૂઆતો છતાં યોગ્ય ન કરતા આખરે ચકાજામ કરવું પડે તે ખૂબ જ દુઃખદ બાબત છે તેઓએ સ્થળ પર જઈ પ્રાંત અધિકારી ભુજ જાદવ આરટીઓ કચ્છ તથા ખાણખનીજ વિભાગને ટેલીફોન કરીને જાણ કરી તરત ઉકેલ લાવવા નહિતર આગામી સોમવારના જિલ્લા કલેક્ટર આરટીઓને રૂબરૂ મળી રજૂઆતો કરાશે અને કેરાના સીમાડા માંથી બાયપાસ રોડ બનાવી અને બળદીયા ઝૂમખા વડઝરના ગ્રામજનોને ત્રાસમાંથી છોડાવવા રજૂઆત કરી હતી.
કેરા ગામમાં મંજુર થયેલી આ લિઝાના કારણે ઉપરોક્ત ત્રણ ગામમાંથી પસાર થતા ઓવરલોડ વાહનોથી ગ્રામજનો પરેશાન થઇ ગયા છે જેનો ચક્કાજામ કરી ગ્રામજનોએ સમસ્યાના ઉકેલ સુધી રસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે તો કોગ્રેસે પણ સમર્થનમાં વિરોધની ચીમકી ઉચ્ચારી છે ત્યારે જોવુ રહ્યુ.તંત્ર આ સમસ્યાનો શુ ઉકેલ લાવે છે હાલ તો હજારો વાહનોના પૈડા થંભી ગયા છે.