પરિવારમાં થયેલા બે મૃત્યુ અને ત્યાર બાદ નશાના રવાડે ચડેલા અસ્થિર મગજના રમેશ ઉર્ફે કોતો સંગ્રામ કોલીને પોલીસે ઝડપ્યો મંદિરે ખાવાનું મળશે તેવી આશાએ ગયેલા શખ્સે તોડફોડ કરી પોલીસે આરોપીને સાથે રાખી રિકન્ટ્રક્શન કર્યુ. મંદિર તોડફોડથી ભારે રોશ ફેલાયો હતો.
રાપર તાલુકાના ખીરઈ ગામે કોઈ અસામાજિક તત્વો દ્વારા ખીરઈ ગામની બાજુમાં આવેલ પાબુજી દાદાના મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી.આ ઘટનાની જાણ થતા આજુબાજુના ગામના આગેવાનો ધર્મ પ્રેમીઓ સહિત પોલીસ પણ પહોંચી હતી અને તપાસ આરંભી હતી.ગામના આગેવાનોએ ધટના અંગે ભારે રોષ વ્યક્ત કરતા તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન પોલીસ તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો છે.જે.બી.બુબડીયાની આગેવાનીમાં તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા માટે પોલીસ પ્રયત્નશીલ હતી દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે જાણવા મળ્યુ હતુ કે નીલપર ગામનો રમેશ ઉર્ફે કોતો સંગ્રામ કોલી જે માનસિક અસ્થિર છે.અને પોતાના ઘરે પોતાની માં ને માર મારી નિલપર ગામમાં આવેલ શક્તિમાંના મંદિરમાં પણ તોડફોડ કરી વેર વિખેર કર્યુ છે.જે આધારે આ કામના આરોપીને બાદરગઢ ગામની સીમમાંથી પોલીસે પકડી પાડ્યો હતો અને જેની તપાસમાં તેને પાબુદાદાના મંદિરમાં પણ તોડફોડ કરી હોવાનુ કબુલ કર્યુ હતુ. ત્રણ તારીખે રાપર તાલુકાના ખીરઈ ગામે આવેલ પાબુદાદાના મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરી ધટનાને અંજામ આપનાર આરોપી કાતો ઉર્ફે રમેશ સંગ્રામ જાટ (કોલી) ઉ. વ 35 રહે. નીલપર વાડાને જે પાબુદાદાના મંદિરમાં તોડફોડ કરી હતી.તે બનાવનુ રિકન્ટ્કશન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.
તોડફોડ કરવાનુ ચોંકવનારૂ કારણ !
સમગ્ર પંથકમાં આ ધટનાએ ભારે ચકચાર સર્જી હતી ત્યારે આરોપી રમેશ સંગ્રામ જાટને પકડી પોલીસ તપાસ કરી મંદિરમાં તોડફોડ કરવાનું કારણ પુછતાં તેણે જણાવ્યુ હતુ કે પોતાના પિતાનું મરણ થઈ ગયા બાદ આઠ મહિના બાદ તેના ભાઈનું મરણ થઈ ગયુ હતુ.જેથી પોતે ગાંજાનો નશો કરવા લાગ્યો હતો.તેમજ અસ્થિર મગજનો હોઈ તેને ભુખ લાગતા મંદિરે ખાવાનું મળશે તેવી આશા રાખી પાબુદાના મંદિર ગયો હતો જો કે ખાવાનું ના મળતા તેમજ ગાંજાનો નશો કરતો હોય મંદિરમાં તોડફોડ કરી હતી.
મંદિરમાં તોડફોડ સાથે ચોરીના બનાવો પણ પોલીસ માટે પડકાર જનક છે તોડફોડ વચ્ચે રાપરના સેલારી ગામના સીમાડે મેટાસરી મહાદેવ મંદિરમાં તસ્કરીનો બનાવ સામે આવ્યો હતો.જેમાં બે શિવલિંગ પરથી પંચધાતુની લાખોની બે મૂર્તિ ચોરાઈ ગઇ હતી તેવામાં તોડફોડનો મામલો તો પોલીસે ઉકેલી નાંખ્યો છે પરંતુ મંદિર ચોરીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.