ધણા લાંબા સમયથી જેની રાજકીય દખલગીરીની ચર્ચા સમગ્ર કચ્છમાં છે. તેવા કચ્છ ભાજપના મહામંત્રી ધવલ આચાર્યના બોયકોટ આહિર સમાજ લખેલી પોસ્ટ વાયરલ થતા હડકંપ મચ્યો છે. પોસ્ટમાં વિવિધ ઉદ્યોગોમાં ધવલ આચાર્યની ચંચુપાતનો ઉલ્લેખ પણ કરાયો છે. જેને પગલે રાજકીય ગરમાવો વધ્યો છે. જો કે સત્તાવાર રીતે આહિર સમાજ કે ધવલ આચાર્ય તરફથી આ પોસ્ટને લઇ કોઇ જાણકારી નથી.
ગુજરાત સહિત કચ્છમાં પણ નવા સંગઠનની જાહેરાત માટેની તૈયારીઓ તેજ છે. અને ઇચ્છિત ઉમેદવારો અને દાવેદારો દાવપેચ સાથે રાજકીય લોંબીગ કરી રહ્યા છે. સાથે બંધ બારણે ટાટીયાખેંચની પ્રવૃતિ પર થઇ રહી હોવાની ચર્ચા છે. તે વચ્ચે કચ્છ ભાજપના એક મોટા નેતાને બોયકોટ કરવાની પોસ્ટથી કચ્છનુ રાજકારણ ગરમાયુ છે. કચ્છ ભાજપના મહામંત્રી ઉદ્યોગપતિ અને જેના ગાંધીનગરના ખાસ રાજકીય અગ્રણીઓ સાથેના ધરોબાની ચર્ચા છે. તેવા ધવલ આચાર્યના વિરૂધ્ધની એક પોસ્ટ વાયરલ થઇ છે જેમાં આહિર સમાજ જોગ એક પોસ્ટ કરાઇ છે. જેમાં કહેવાયુ છે. કે આહીર સમાજને વિવિધ ક્ષેત્ર તેમજ જુદીજુદી રીતે હેરાન કરનાર રોયલ ગ્રુપના ધવલ આચાર્યનો આહિર સમાજ જાહેરમાં વિરોધ કરી હોયકોટ કરે છે. એટલુજ નહી પોસ્ટમાં ગળપાદરમાં આહિર સમાજના ટ્રાન્સપોર્ટર લુંટમાં ખોટા કેસમાં ફસાવવા, વરસામેડી એરપોર્ટ રોડ પર મોટી ગાડીઓના પ્રવેશ બંધ કરાવવા,કંડલા પોર્ટના 10 લાખ ટન મેટલ જેની કામ 30 કરોડનુ છે. તેમાં ઇસી રદ્દ કરાવી સમાજના ભાઇઓના ભેડીયા બંધ કરાવ્યા આ ઉપરાંત મોરબીમાં ખનીજ ચોરીનો માલ પહોંચાડી ગડાણા-મોખાણાના લીગલ ખાણોને નુકશાન પહોચાડ્યુ તથા તાજેતરમાં કંડલા પોર્ટમાં 16 કરોડનુ ઓફલાઇન ટેન્ડર લઇ સમાજના મીઠાના કારખાના તોડવાનુ કામ રાખ્યુ એમાં એવો પણ આક્ષેપ કરાયો છે. કે ખુદ ધવલ આચાર્યના ગેરકાયદેસર મીઠાના અગરો ચાલી રહ્યા છે. આ સાથે મીઠીરોહરમાં બંધ કરાવાયેલા મીઠાના કારખાનાનો ઉલ્લેખ પણ પોસ્ટમાં કરાયો છે. સમાજજોગ વાયરલ થયેલા આ સંદેશમાં અંતે એવુ પણ કહેવાયુ છે. કે રાજકીય અગ્રણી ગામમાં પ્રવેશ કરે તો તેનો વિરોધ્ધ કરવામાં આવે અને જો સમાજના કોઇ વ્યક્તિ તેને સમર્થન કરશે તો તેનો પણ વિરોધ કરવામાં આવશે તેવુ પોસ્ટમાં અંતે લખાયુ છે. જો કે એવુ પણ સામે આવ્યુ છે. કે ધવલ આચાર્યના સમર્થનમાં પણ કેટલાક પોસ્ટરો બહાર પડ્યા છે.
શુ રાજકીય દવા માટે પોસ્ટ વાયરલ?
આ પોસ્ટ આહિર સમાજ દ્વારા સત્તાવાર રીતે કરાઇ હોય તેવુ આ પોસ્ટ જોતા લાગી રહ્યુ નથી કે નથી કોઇ સમાજના અગ્રણીએ આ વાતને સમર્થન આપ્યુ તેવામાં શુ તાજેતરમાં સંગઠનમાં થનારી નવાજુની પહેલા રાજકીય દવા કરવા માટે આવી પોસ્ટ વાયરલ કરાઇ તેવા સવાલ ચોક્કસ થાય જો કે આ અંગે ધવલ આચાર્યનો સંપર્ક કરાતા તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. પરંતુ એક વાત ચોક્કસ છે. કે તાજેતરમાં કંડલામાં મીઠાના ગેરકાયદેસર અગરોનો સામે આવેલો વિવાદ અને તાજેતરની રાજકીય નિમણુંકો આવી પોસ્ટ પાછણ કારણભુત હોય તેવુ લાગી રહ્યુ છે.જો કે આ પહેલી વાર નથી અગાઉ પણ ધવલ આચાર્ય વિરૂધ્ધ આવા ગંભીર આરોપ લાગી ચુક્યા છે. અને તેમની રાજકીય ચંચુપાત અને ઉદ્યોગો તથા તંત્રમાં દખલગીરીને લઇને સવાલો ઉઠ્તા રહ્યા છે.
કચ્છ ભાજપમાં હાલ નિમણુંકોને લઇને ભારે રાજકીય ઉત્તેજના અને આંતરીક જુથ્થવાદ ચાલી રહ્યો છે.જેને લઇનેજ હજુ સુધી બધુ બરોબર હોવાના દાવા વચ્ચે નિમણુંકો થઇ રહી નથી તેવામાં કચ્છ ભાજપના મોટા નેતા એવા ધવલ આચાર્યની પોસ્ટ વાયરલ થતા ભારે રાજકીય ઉત્તેજના જાગી છે. જો કે આહિર સમાજ કે ધવલ આચાર્ય તરફથી આવી પોસ્ટને લઇને કોઇ સત્તાવાર નિવેદન કે સમર્થન સામે આવ્યુ નથી.પરંતુ જોવુ એ અગત્યનુ રહેશે કે સમાજના નામે અને ભાજપના મોટા નેતા સામે આવી પોસ્ટ વાયરલ કરનાર સામે કોઇ કાયદેસર કાર્યવાહી કરાય છે કે નહી..? જો કે વાયરલ થયેલી પોસ્ટ તપાસ માંગી લે તેવી છે.