ગાંધીધામમાં નબીરાઓનો અકસ્માત સર્જી બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજાવતા સમગ્ર ગાંધીધામ શહેરમાં જનાક્રોષ વ્યાપી ગયો હતો. તપાસના અંતે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.
ગાંધીધામમાં ઓદ્યોગીક વિકાસ સાથે કેટલીક પ્રવૃતિઓ એટલી વકરી છે. કે સામાન્ય નાગરીક તેનાથી પરેશાન છે. સતત ટ્રાફીકથી ધમધમતા ગાંધીધામમાં અનેકવાર જીવલેણ અકસ્માત સર્જાય છે. પરંતુ ખાસ કરીને ગાંધીધામમાં રહેતા માલુતેજાર નબીરાઓ દ્વારા સર્જાવામાં આવતા અકસ્માતો ચિંતાનજક રીતે અવાર-નવાર સર્જાઇ રહ્યા છે. અગાઉ પણ ગાંધીધામ વિસ્તારમાં બેફામ કાર ચાલક નબીરાઓએ અકસ્માત સર્જી અનેક જીદંગીઓ પર પુર્ણ વિરામ મુક્યુ છે તેવામાં શુક્રવારે મોડી રાત્રે સર્જાયેલા એક અકસ્માતે કચ્છમાં ભારે ચકચાર સર્જી છે.ટાગોર રોડ પર બેફામ સ્પીડે આવતી કારે બાઈક અને એક્ટિવાને કચડી અકસ્માત સર્જી ભાગી ગયો હતો જો કે નબીરાઓને જનતાએ મેથીપાક ચખાડ્યો હતો જે અકસ્માત બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.વિગતે વાત કરીએ તો ગત મધરાત્રે નબીરાઓએ કાયદાના રીતસરના લીરેલીરા ઉડાવી બે નિર્દોષ યુવાનોનો ભોગ લીધો હતો રાત્રિના આશરે બે વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા એક એક્ટિવા અને મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી.અને વાહનોના ફુરચા બોલી ગયા હતા.આ દુર્ઘટનામાં એક્ટિવા સવાર ભાવિક મહેશ્વરી અને કલ્પેશ મહેશ્વરી નામના બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.ધટનાથી સમગ્ર મહેશ્વરી સમાજ અને પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. સાથે સમગ્ર શહેરમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર અન્ય બે યુવાનો ચંદ્રેશ દનિચા અને ભાવેશ ભાર્યાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત સર્જાયા બાદ કારમાં સવાર નબીરાઓએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ આસપાસ એકઠા થયેલા રોષે ભરાયેલા લોકોએ એક નબીરાને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો.જોકે, અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.જેને શોધવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી હતી અકસ્માતની જાણ થતાં જ ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી પોલીસે તપાસમાં સામે આવ્યુ હતુ. કે કારમાં નીતિન ગોસ્વામી મનીષ ખેમચંદાણી,દીપક દુલાણી તથા તરુણ રીઝવાણી એમ અન્ય ત્રણ યુવકો સવાર હતા.જેની તપાસ બાદ પોલીસે ચારે આરોપીને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસે સાપરાધ મનુષ્ય વધની કલમ ૧૦૫, ૨૮૧, ૧૨-મોટર વેહિકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ તળે દાખલ કર્યો હતો. અને અકસ્માત સમયે કારમાં સવાર ચારે લોકોની ધરપકડ કરી હતી.ગાંધીધામમાં સતત વધી રહેલા નબીરાઓના આતંક સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડકમાં કડક સજાની માંગ ઉઠી છે.