Home Current ‘હિર’ના હિંડોળા,દાદા ખાચરનો દરબાર,વચનામૃતના ૨૦૦ વર્ષ અને ૨ લાખ ઝાડ – ભુજ...

‘હિર’ના હિંડોળા,દાદા ખાચરનો દરબાર,વચનામૃતના ૨૦૦ વર્ષ અને ૨ લાખ ઝાડ – ભુજ મંદિરનો સંકલ્પ

1204
શ્રાવણ મહિનાના પ્રારંભને હજી વાર છે, પણ કચ્છમાં અત્યારથી જ ધાર્મિક ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે ખાસ કરીને આ સમય હિંડોળા ઉત્સવની ઉજવણીનો છે અને હિંડોળા મહોત્સવની વાત આવે ત્યારે વર્ષોથી ભુજના સ્વામિનારાયણ મંદિરનું સ્થાન એ ઉજવણીમાં શિરમોર રહ્યું છે આ વખતે તો અદ્ભૂત ધાર્મિક ત્રિવેણી સંગમ રચાયો છે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આ અંગે મીડિયાને માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં શાસ્ત્રી સ્વામીશ્રી શુકદેવસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, આ વખતે હિંડોળા મહોત્સવનું આકર્ષણ ‘હિર’ ના હિંડોળા છે ‘હિર’ એટલે દોરા !! ત્રીસ વર્ષ પછી ફરી એકવાર ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા “હિર’ ના કલાત્મક હિંડોળાની રચના કરાશે આ માટે ખાસ કાશ્મીરથી રેશમી દોરા ‘હિર’ મંગવાયા છે તો ‘હિર’ ના હિંડોળા માટે ખાસ ખંભાતથી આવેલા કારીગરોની સાથે ૩૦ જેટલા હરિભક્તો ‘હિર’ ના હિંડોળાને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે ૧૮ જુલાઈથી ભુજ સ્વામિનારાયણ મંદિરમાં શરૂ થનાર હિંડોળા મહોત્સવ એક મહિનો ચાલશે. હિન્દુ સનાતન ધર્મમાં હિંડોળા મહોત્સવનો મહિમા ૬૦૦૦ વર્ષ જૂનો છે ‘હિર’ ઉપરાંત ડ્રાયફ્રુટ સહિતની અલગ અલગ ચીજ વસ્તુઓમાંથી હિંડોળાની રચના કરાશે હિંડોળા મહોત્સવ આકર્ષણની સાથે ‘આત્મરંજન’ નુ ભક્તિ પર્વ બની રહે તેવી લાગણી કોઠારી સ્વામીશ્રી દેવપ્રકાશદાસજી અને શ્રી શુકદેવસ્વરૂપદાસજી એ વ્યક્ત કરી હતી.

ભુજમાં ૨૦૦ વર્ષ પહેલાનો ગઢડાના દાદા ખાચરનો દરબાર

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષાપત્રી ‘વચનામૃત’ ને ૨૦૦ વર્ષ પુરા થઈ રહ્યા હોઈ આ વખતે ધાર્મિક ઇતિહાસને સજીવન કરતી ખાસ ઉજવણીનું આયોજન કરાયું છે મંદિર પરિસરમાં એક ડોમ ઉભો કરાયો છે, જેમાં દાદા ખાચરના દરબારની રચના કરાઈ છે શિક્ષાપત્રી-વચનામૃતના રચનાર ભગવાન સહજાનંદસ્વામીએ પોતાના જીવનનો વધુ સમય ગઢડામાં વ્યતિત કર્યો હતો ગઢડાના દાદા ખાચરના દરબાર સાથે તેમની અનેક સ્મૃતિઓ જોડાયેલી હોઈ આ યાદોને સજીવન કરવા ભુજ મંદિરમાં દાદા ખાચરનો દરબાર ઉભો કરાઈ રહ્યો છે, જેનું ઉદ્દઘાટન ૨૮ મી જુલાઈ રવિવારે થશે આ સિવાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયેલી અપીલને પગલે પર્યાવરણની જાળવણી અર્થે કચ્છભરમાં ૨ લાખ ઝાડનું વાવેતર ભુજ મંદિર દ્વારા કરાશે તૈયારીઓના આ ધમધમાટ વચ્ચે ભુજ મંદિરના કોઠારી સ્વામીશ્રી દેવપ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામીશ્રી શુકદેવસ્વરૂપદાસજી, સ્વામીશ્રી ધર્મસ્વરૂપદાસજી અને ટ્રસ્ટીઓ મુળજીભાઈ શિયાણી, રામજીભાઈ દબાસિયા અને શશીકાંતભાઈ ઠકકરે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.