Home Crime મુન્દ્રામાં દર્શનાર્થે ગયેલા વૃદ્ધનુ અકસ્માતમાં મોત, લોકોનો ચક્કાજામ !

મુન્દ્રામાં દર્શનાર્થે ગયેલા વૃદ્ધનુ અકસ્માતમાં મોત, લોકોનો ચક્કાજામ !

6267
મુન્દ્રામાં મંદિરે દર્શન કરી પરત ફરતા વૃદ્ધને હાઈડ્રો ક્રેને અડફેટે લેતા માથું છુંદાઈ જતા મોત ઘટના સ્થળે જ મોત, લોકોએ ચક્કાજામ કર્યો મોડી રાત્રી સુધી લોકોએ વિરોધ નોંધાવ્યો અગ્રણીના મોતથી મુન્દ્રામાં અરેરાટી સાથે લોકોમાં આક્રોશ
મુન્દ્રામાં બુધવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાતા ભારે અરેરાટી સાથે મોટો વિરોધ થયો હતો રોકડીયા હનુમાનજી મંદિરેથી દર્શન કરી બહાર નીકળતા 55 વર્ષીય વૃદ્ધ પર ક્રેન ફરી વળતા તેનુ મોત થતયુ હતુ અકસ્માત એટલો ભયકંર હતો કે વૃદ્ધનું માથું છુંદાઈ ગયું હતું. અકસ્માતના પગલે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતા અને લોકોએ ચક્કાજામ કર્યો હતો. મુન્દ્રાના શાસ્ત્રી મેદાન નજીક 55 વર્ષીય ઉમેલભાઈ માલમ રોકડીયા હનુમાનજી મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળેતા હતા ત્યારેજ આ અકસ્માત સર્જાયો હતો આ ઘટનાથી સમગ્ર નગરમાં શોકની લાગણી ફેલાયો હતો હતભાગી ઉમેદ માલમ દરરોજ રોકડીયા હનુમાન મંદિર અને દરિયાલાલ મંદિર દર્શનાર્થે જતા હતા અને આજે અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા.તેઓ અગાઉ મસ્કત માં ખાનગી કંપનીમાં ફરજ બજાવી ચુક્યા છે.દરમ્યાન અ કરણ બનાવ બાદ ખારવા સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં શાસ્ત્રી મેદાન પહોંચ્યા હતા અને ચારે બાજુ માર્ગે વાહનો આડા મૂકી રસ્તો બંધ કરી દીધો હતો. આ વિરોધમાં ખારવા સમાજની બહેનો પણ અહીં આવી પહોંચી વિરોધ દર્શાવ્યો હતો અને રામધૂન સાથે વિરોધ કર્યો હતો.મુન્દ્રા ખારવા સમાજ ના પ્રમુખ રાજેશ કષ્ટા એ માંગ કરી હતી કે શાસ્ત્રી મેદાનથી ખાનગી કંપની તરફ જતા ભારે વાહનો અન્ય રૂટ પરથી પસાર થાય એવું સ્થાનિક પ્રશાસન લેખિત માં આપે બાદ માં જ અમે અહિંથી ઉભા થઈશું. આ ટ્રાફિક ચક્કાજામ થતા શાસ્ત્રી મેદાન તરફ આવતા વાહનો રોકાઈ ગયા હતા અને વાહનોના થપ્પા લાગ્યા હતા મુન્દ્રા પોલીસ મથક ના ઇન્ચાર્જ પી આઈ ડીડી સિમફની તેમજ તેમનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો.અને લોકોને સમજાવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ લોકોએ પોતાની અડગ માંગણી સાથે વિરોધ ચાલુ રાખ્યો હતો આ બનાવ ની જાણ થતા રાજકીય સામાજિક આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને મામલો થાડે પાડવા પ્રયત્નો કર્યા હતા જો કે અવાર-નવાર ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માત અને સમાજના અગ્રણીના નિધન બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો ગઇકાલે પણ મુન્દ્રા વિસ્તારમાં એક ચાલકે નશાની હાલતમાં ટ્રેલરને આડેધડ ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જે ધટના હજુ તાજી છે ત્યા આજે મોટા હાઇડ્રાની અડફેટે દર્શન કરી પરત ફરતા વૃધ્ધ આવી જતા લોકોમાં ભારોભાર રોષ છે જો કે મોડી રાત્ર સુધી આ મામલે કોઇ નિર્ણય શક્ય છે ત્યા સુધી લોકો રસ્તા પર બેસી વિરોધમાં ઉતર્યા છે.જો કે બાદમાં મુન્દ્રા પ્રાન્ત અધિકારી તથા મામલતદારની સુચનાથી વહીવટી તંત્રએ હરપાલસિંહ ઝાલાને સ્થળ મોકલ્યા હતા જેથી પોલીસ તથા તંત્રની મધ્યસ્થિતી મામલો શાંત થવાની શક્યતા છે.