Home Social ભુજની કહેવાતી સૌથી મોટી નવરાત્રીના બહિષ્કારની ઉઠી માંગ !

ભુજની કહેવાતી સૌથી મોટી નવરાત્રીના બહિષ્કારની ઉઠી માંગ !

10356
એક તરફ કચ્છમાં શેરી નવરાત્રીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સમાજો પાંજો સમાજ પાંજી નવરાત્રી શરૂ કરી રહ્યા છે. ત્યા બીજી તરફ વિવિધ બિલ્ડર જુથ તથા કહેવાતી સેવાકીય સંસ્થાઓ નવરાત્રીના ભવ્ય આયોજનો કરી દર વર્ષે ચર્ચામાં રહે છે ત્યારે આ વર્ષે ભુજમાં અત્યારથી જ નવરાત્રીનો પ્રચાર થઇ રહ્યો છે. તેનો બહિષ્કાર કરવાની હિન્દુ આગેવાનો અપિલ કરી રહ્યા છે.
મોટા શહેરોની જેમ કચ્છમાં પણ નવરાત્રીનુ સ્વરૂપ બદલાયુ છે. પારંપરીક શેરી નવરાત્રી સાથે હાઇફાઇ ગરબા આયોજનો હવે કચ્છમાં પણ થવા લાગ્યા છે. અને દર વર્ષે તેમાં વધારો થઇ રહ્યો છે. જોકે દર વર્ષે આવા પ્રોફેશનલ ગરબાના આયોજનો ચર્ચા અને વિવાદમાં રહેતા હોય છે. ક્યાક સેવાના નામે થતી નવરાત્રીનો વિવાદ તો ક્યાક ગરબા આયોજનમાં એન્ટ્રી માટે ઉંચી ફી ના દર, તો ક્યાક વિધર્મી કલાકારોની હાજરી…ત્યારે ચાલુ વર્ષે પણ જ્યારે નવરાત્રીને લઇને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યા બીજી તરફ પ્રોફેશનલ નવરાત્રી સંચાલકો નવરાત્રીના પ્રચારમાં એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે.જો કે તે વચ્ચે ભુજમાં શિવાલીકા ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રીના બહિષ્કાર માટે હિન્દુ આગેવાનોએ અપિલ કરી છે. જેમાં કેટલાક આગેવાનોએ નવરાત્રીના નામે મનોરંજનના નામે ખીંચા ભરવાનો આરોપ લગાવ્યો છે. તો કેટલાકે વિધર્મી કલાકારોને લઇને ટીપ્પણી કરી નવરાત્રી આયોજકો સામે સવાલો ઉઠાવ્યા છે.
વીઆઇપી એન્ટ્રીના એક લાખ….!
કચ્છમાં વિવિધ ગ્રુપ દ્વારા પાછલા કેટલાક વર્ષોથી આવી નવરાત્રીના આયોજન થઇ રહ્યા છે જે દર વર્ષે કોઇને કોઇ વિવાદમાં રહે છે. કેટલાક જાગૃત નાગરીકોની ફરીયાદ છંતા આવા નવરાત્રી સંચાલકો સામે કાર્યવાહી નથી થતી તેવી ફરીયાદો પણ ઉઠે છે તેવામાં ચાલુ વર્ષે શિવાલીકા ગ્રુપ અન્ય સામાજીક અને ખાનગી સંસ્થાના સહયોગથી નવરાત્રીનુ આયોજન કરી રહી છે તેવામાં હિન્દુ યુવા સંગઠન ભારતના આગેવાન કચ્છના રધુવિરસિંહ જાડેજાએ આ નવરાત્રી આયોજન સામે સવાલો ઉઠાવ્યા છે. હિન્દુ તહેવારમાં હનીફ-અસલની જોડીના સંગીત સથવારા સામે સવાલો ઉઠાવતા રધુવિરસિંહ જાડેજાએ એન્ટ્રી ફી થી લઇ નવરાત્રીના હાઇફાઇ ભાવપત્રક દર્શાવી નવરાત્રી ધાર્મીક તહેવાર છે. ન કોઇ મનોરંજન કે કમાવવાનુ સાધન તેવા સવાલો ઉઠાવી હિન્દુ લોકોને નવરાત્રીનો બહિષ્કાર કરવાનુ કહી જાગૃત થાવા અપિલ કરી છે. તો અન્ય એક હિન્દુ આગેવાન રામજી વેલાણીએ હિન્દુ તહેવારમાં મુસ્લિમ કલાકારોના પ્રદર્શન સામે રોષ ઠાલવી સવાલો ઉઠાવ્યા છે. જે ફેસબુક પોસ્ટને અનેક લોકોએ શેર કરી સમર્થન આપ્યુ છે.
પ્રોફેશનલ નવરાત્રી અને વિવાદ…
આમતો ગુજરાતભરમા અનેક સંગઠનો દ્વારા નવરાત્રીના તહેવાર દરમ્યાન બનતા બનાવો અંગે સવાલો ઉઠાવવા સાથે લાખો રૂપીયાની કમાણી કરતા આયોજનો સામે સવાલો ઉઠતા આવ્યા છે. ભુજમાં પણ વિવિધ ક્લબ દ્વારા થતા આયોજન અને તેના ઉદ્દેશ સામે સવાલો દર વર્ષે ઉઠે છે. તો ગયા વર્ષે પણ ભુજની નવરાત્રીમાં વિધર્મી સાંજદાઓનો ભારે વિરોધ થયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ નવરાત્રી પહેલા ખાનગી ગરબા સંચાલકોના ભવ્ય આયોજનો સામે સવાલો ઉઠી રહ્યા છે. અને હિન્દુ આગેવાનોએ ખુલ્લેઆમ આવી નવરાત્રીના બહિષ્કારની વાત કરી છે. તો નવરાત્રીમાં એન્ટ્રીથી લઇ વીઆઇપી સુવિદ્યા માટેના ભાવ વાંચી ને પણ વાંચકો મોંઢામાં આંગણા નાંખી ગયા છે.તો ધણા લોકોએ કોમેન્ટમાં આવા આયોજન સામે સવાલો ઉઠાવ્યા છે.

જો કે આવા વિરોધ એ કોઇ નવી વાત નથી દર વર્ષે આવા આયોજન સામે અનેક સવાલો ઉઠે છે. અને વિરોધ થાય છે.પરંતુ પારંપરીક નવરાત્રી વચ્ચે આવા આયોજન દર વર્ષે સફળ જાય છે તે પણ એટલુજ સત્ય છે.ત્યારે જોવુ એ અગત્યનુ રહેશે કે હિન્દુ આગેવાનોની લોકોને જાગૃત કરવાની અપિલ કેટલી સફળ રહે છે અંતે તો આવા વિવાદ નવરાત્રી સંચાલકો માટે મફત પ્રચાર સમાન બની રહે છે. જો કે પ્રોફેશનલ નવરાત્રીના વધતા ક્રેઝ વચ્ચે પાંજો સમાજ પાંજી નવરાત્રી અને હિન્દુ સંગઠનો દ્વારા થતા નવરાત્રી તરફ પણ લોકો વળી રહ્યા છે.