Home Crime મુન્દ્રાના ઝરપરામાં પત્નીની હત્યા બાદ શંકાશીલ પતિના આપધાતથી ચકચાર !

મુન્દ્રાના ઝરપરામાં પત્નીની હત્યા બાદ શંકાશીલ પતિના આપધાતથી ચકચાર !

8596
ઝરપરા ગામના લૈયારી વાડી વિસ્તારમાં પતિએ પત્નીની તીક્ષણ હથિયારના ઘા થી હત્યા કરી બાદ માં જાતે ગામની નજીક ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ગામમાં અરેરાટી પતિ પત્નીના ગૃહ ક્લેશમાં આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસ બાદ મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુંમ્મરે વિગતો આપી
મુન્દ્રા તા
આજકાલ નજીવી બાબતે હત્યા સહિત સંબધોમાં ખટાસના બનાવો છાસવારે બની રહ્યા છે તેવામાં મુન્દ્રા નજીક આવેલ ઝરપરા ગામના લૈયારી વાડી વિસ્તારમાં રહેતા પતિએ મધ્ય રાત્રીના કોઈ પણ સમયે પત્નીને તીક્ષણ હથિયાર ના છ ઘા મારી કરુણ હત્યા નીપજાવી દેતા ભારે ચકચાર ફેલાઇ છે. જો કે બનાવમાં નવો વંણાક ત્યારે આવ્યો જ્યારે હત્યા કરનાર પતિએ બાદમાં આજે સવારના સમયે જાતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા મુન્દ્રા પંથકમાં અરેરાટી વ્યાપી હતી..બનાવની મળતી વધુ વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામથી એક કિમિ દૂર લૈયારી વાડી વિસ્તારમાં આજે સવારે સાડા ચાર વાગ્યાં પહેલા કોઈ પણ સમયે વૃદ્ધ પતિ સવરાજ સેડા ઉંમર 68 એ પોતાની પત્ની હીરબાઇ સવરાજ સેડા ઉંમર 64 ને શરીરના ભાગે તીક્ષણ હથિયાર ના છ ઘા મારી કરુણ હત્યા નીપજાવી હતી.બાદમાં બનાવ બાદ આ વૃદ્ધ સવરાજ સેડા ત્યાંથી નાશી છુટ્યા હતા અને નાગમતી નદીના પૂર્વ કિનારે પોતાની શાલથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવે પંથકમાં સનસનાટી ફેલાવી હતી.બનાવ અંગે મુન્દ્રા પોલીસ મથક ના પીઆઈ રાકેશ ઠુંમ્મરે જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ગૃહ ક્લેશ હોવાથી પ્રાથમિક તપાસમાં વિગતો જાણવા મળી છે.તેમજ મૃત્યુ પામેલા હતભાગી દંપતી ના બે પુત્રો છે.એક પુત્ર ખેતીવાડી કરે છે અને બીજો પુત્ર ખાનગી કંપનીમાં સિક્યુરિટી માં નોકરી કરે છે.આ બનાવ બાદ ઝીરો પોઇન્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ જમાદાર જયેન્દ્રસિંહ ઝાલા મુન્દ્રા જનરલ હોસ્પીટલ પહોંચી આવ્યા હતા અને જનરલ હોસ્પીટલના મુખ્ય તબીબ ડો મંથન ફફલ એ પી એમ સહીતની કાર્યવાહી કરી હતી.બન્નેના મૃતદેહ મુન્દ્રા જનરલ હોસ્પીટલ લઈ આવવામાં આવ્યા હતા જે સંદ્રભે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બનાવની જાણ થતા હોસ્પીટલમાં ઝરપરા ગામના નારાણ ગઢવી,કરસન ગઢવી, નારાણ થારુ સેડા, ધનરાજ કરસન ગઢવી, સામરા ધના ગઢવી, ભીમશી સેડા, ભરત સેડા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા.આગળની તપાસ મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુંમ્મર ચલાવી રહ્યા છે.સંપતિમાં પોતાનુ નામ નિકળી જવાની શંકા આ હત્યાના મુળ પાછળ કારણભુત હોવાનુ સ્પષ્ટ રીતે સપાટી પર આવ્યુ છે. પરંતુ પોલીસ તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે