Home Crime રાપરના જાટાવાડા ગામે તળાવમાં ડુબી જતાં બે બાળાઓના મોત !

રાપરના જાટાવાડા ગામે તળાવમાં ડુબી જતાં બે બાળાઓના મોત !

5605
થોડા સમય પહેલા પણ રાપરમાં આવી દુખદ ધટના પ્રકાશમાં આવી હતી તેવામાં વધુ બે બાળકો ડુબીને મૃત્યુ પામતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ હતી કલાકોની જહેમત બાદ મૃત્દેહ શોધાયા
રાપર
રાપર તાલુકા ના પ્રાંથણ વિસ્તારના જાટાવાડા ગામે સીમમાં આવેલ તળાવના પાણીમાં ગઈકાલે જાટાવાડા ગામે રહેતા પારકરા કોળી પરિવારની દયાબેન નાગાજી કોળી ઉ.વ.14 અને આરતી રાણાભાઇ કોળી ઉ.વ.15 રહે જીલારવાઢ જાટાવાડા તા.રાપર અકસ્માતે પડી ગઈ હતી. જે બાદ તેના પરિવારજનો એ શોધખોળ હાથ ધરી હતી. જો કે તેમાં સફળતા ન મળ્યા બાદ બનાવ અંગે ગામ લોકોએ તલાટી ને જાણ કરતાં તલાટીએ રાપર તાલુકા મામલતદાર એચ બી.વાઘેલા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાને જાણ કરી હતી સાથે આ સમગ્ર બનાવ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડેના ધ્યાને મુકવામાં આવ્યા બાદ ચીફ ઓફિસર તરુણદાન ગઢવી ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથા રાઠોડને કરાતા રાપર-ભચાઉ નગરપાલિકા ની ફાયર ટીમ કેમેરા સાથે ઘટના સ્થળે પહોંચી હતી તથા રાપર તાલુકા મામલતદાર દ્વારા સ્થળ પર ટીમ મોકલી સતત પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં કલાકોની જહેમત બાદ બને બાળાઓને કેમેરા દ્વારા શોધી લેવામાં આવી હતી. અને બનેની લાશો બહાર કાઢવામાં આવી હતી આ બનાવથી ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા પરિવારમાં શોક ફેલાયો હતો. સાથે વાગડ વિસ્તારમાં અરેરાટી વયાપી ગઈ હતી પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અને કઇ રીતે બાળાઓ પાણીમાં પડી અને બુડીને મૃત્યુ પામી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.