યુવતીના પિતા અને ભાણેજે જ યુવક-યુવતીની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હોવાની ચોંકાવનારી કબુલાત નખત્રાણા પોલીસે બન્નેની અટકાયત કરી પુછપરછ શરૂ કરી
નખત્રાણા તાલુકામાં ખાંભલા ગામ નજીક બનેલી યુવક-યુવતીની ગુમશુદગીની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગુમશુદગીની તપાસ દરમિયાન યુવતીના પિતા અને તેના ભાણેજે જ યુવક-યુવતીની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધાની કબૂલાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, નવીન જીવાભાઈ રબારી (ઉ.વ.૨૧) રહે. અંગિયા નાના તથા નાથી ઉર્ફે સોનુ વંકાભાઈ પન્નાભાઈ રબારી (ઉ.વ.૧૯) રહે.ખાંભલા તા. નખત્રાણા તા. ૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોટડા (જ.) ગામ પાસેથી ગુમ થયા હતા.આ મામલે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ નં.૦૫/૨૦૨૬ અને ૦૬/૨૦૨૬ હેઠળ ગુમ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી.તપાસ દરમિયાન નાથી ઉર્ફે સોનુના પિતા વંકાભાઈ પન્નાભાઈ રબારી અને તેના ભાણેજ પબા ગાભાભાઈ રબારીને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી.પોલીસની સઘન પૂછપરછ અને વિશ્વાસમાં લઈ વાત કરતાં બન્નેએ ચોંકાવનારી કબૂલાત કરી હતી.કબૂલાત મુજબ, તા. ૩ ફેબ્રુઆરીની રાત્રે નાથી ઉર્ફે સોનુ ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરતા તે નવીન રબારી સાથે કોટડા (જ.) ગામે મળી આવી હતી.તેને ઘરે આવવા માટે સમજાવતાં પણ તે તૈયાર ન થતાં બન્નેએ ગુસ્સામાં આવી બંનેને મોટરસાયકલ પર બેસાડી ખાંભલા ગામ તરફ જતા રસ્તા પર લઈ જઈ ગળું દબાવી હત્યા કરી હતી.બાદમાં બંને મૃતદેહોને નજીકના એક કૂવામાં ફેંકી દીધા હતા.આ સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી.ત્યારબાદ પોલીસ, ફાયર બ્રિગેડ,એફ.એસ.એલ. ટીમ,મેડિકલ સ્ટાફ, સરકારી પંચો અને વીડિયોગ્રાફરની હાજરીમાં હાઈડ્રોલિક ક્રેનની મદદથી બંને લાશોને શુક્રવારે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.નાયબ કલેક્ટર નખત્રાણાની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરી લાશોને પોસ્ટમોર્ટમ માટે નખત્રાણા સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી હતી.આ બનાવ અંગે ફરીયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લેવામા આવ્યા છે.નખત્રાણા પોલીસ દ્વારા ખાંભલા ગામે બનેલા આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલાતા જિલ્લામાં ભારે ચકચાર સર્જી હતી જો કે એક મહિના કરતા વધુ સમય પહેલા બનેલા બનાવમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે પુત્રીના પ્રેમથી નારાજ પિતાએજ પુત્રી અને તેના પ્રેમીની નિર્મમ હત્યા કરી લાશ કુવામા ફેકી હતી એક મહિના જુના મામલામા આજે આરોપીની કબૂલાત બાદ લાશને કાઢવા માટેની કવાયત શરૂ કરાતા મોટી સંખ્યામા લોકો એકઠા થયા હતા.નખત્રાણા સહિત સમગ્ર કચ્છમા હત્યાના આ હિંચકારા મામલાથી ભારે ચકચાર ફેલાઇ હતી.
યુવકથી અલગ ન થવાની જીદ્દથી નારાજ પિતાએ ભાણેજ સાથે મળી આ ચકચારી હત્યાને ઠંડા કલેજે અંજામ આપ્યો હતો અને લાંબા સમય સુધી મામલો દબાવવા પ્રયત્ન કર્યો પરંતુ અંતે પોલીસે ગહન તપાસ પછી યુવતીના પિતા અને ભાણેજ ને હત્યાના મામલામાં ઝડપી વધુ તપાસ શરૂ કરી છે જે બાદ સીલસીલા બંધ વધુ સ્ફોટક વિગતો જાહેર થઇ શકે…