યુધ્ધની સ્થિતીમાં દુબઇમાં ફસાયેલા અનેક ભારતીય પરિવારો માટે રહેવાથી લઇ તમામ પ્રકારની વ્યવસ્થા દોશી પરિવારે કરી મુશ્કેલ સ્થિતીમાં મદદ કરી હુંફ આપી ફ્લાઇટ ન મળી ત્યા સુધી 150 લોકોની તમામ જરૂરીયાતની માંગ પુર્ણ કરી કચ્છી ખમીરના વિદેશમાં દર્શન કરાવ્યા
તાજેતરમાં શરૂ થયેલા નવા યુધ્ધ મોરચાની અસર સમગ્ર વિશ્વ પર થઇ રહી છે. ખાસ કરીને વિદેશમાં વસતા કરોડો નાગરીકોને લઇને સરકાર સાથે વિપક્ષ અને ફસાયેલા લોકોના પરિવારના સભ્યો પણ ચિંતીત છે. તેવામાં આવી કપરી પરિસ્થિતીમાં સરકાર સાથે સેવાભાવી લોકો પણ ભારતીયોની મદદે આવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઇરાને દુબઇ પર કરેલા હુમલા પછી ત્યા ફરવા ગયેલા અને વસવાટ કરતા અનેક લોકો ફસાયા હતા જેને મદદ માટે સરકાર તો પ્રયત્ન કરી જ રહી હતી. પરંતુ મુળ કચ્છના અને દુબઇ સ્થાયી થયેલા એક દાતા પણ આગળ આવ્યા હતા.વિશ્વના સૌથી વ્યસ્ત દુબઇ એરસ્પેશ હુમલા પછી બંધ કરી દેવાતા અનેક લોકો એરપોર્ટ અને હોટલમાં ફસાયેલા હતા. તેવામાં નાગરીકોએ ઇન્ડીયન કાઉન્સીલેટને મદદ માટે અપિલ કરી હતી જે બાદ મુળ કચ્છના બે દાનવીરો યોગેશ દોશી તથા અશોક દોશી મદદ માટે આગળ આવ્યા હતા. અને ઇન્ડીયન પીપલ ફોરમની અપિલ પર પોતાના ફ્લેટ તથા અન્ય સ્થળો પર 150 થી વધુ લોકો માટે રહેવા તથા અન્ય જરૂરી સગવળી ઉભી કરી માનવતા સાથે કચ્છીયતના દર્શન કરાવ્યા હતા. અને જ્યા સુધી ફ્લાઇટની વ્યવસ્થા ન થઇ ત્યા સુધી તમામ પ્રકારની વ્યવસ્થા સાથે દુબઇની મહેમાનગતી આવી કપરી સ્થિતીમાં પણ કરાવી હતી.જો કે માત્ર આ બે ભાઇઓ નહી પરંતુ તેનો પુરો પરિવાર આ સેવાના કાર્યમાં જોડાયો હતો.અને બનતી તમામ મદદ સાથે પરિવારની હુંફ ફસાયેલા પરિવારને આપી હતી. જેણે આવી સ્થિતીમાં પણ લોકોમાં ચહેરા પર હાસ્ય લાવ્યુ હતુ. જે કપરા સમયમાં ફસાયેલા લોકો માટે હુંફ સાબિત થઇ હતી. ભારત સરકારની મદદ સાથે સ્થાનીક આગેવાનો આગળ આવતા ફસાયેલા લોકો માટે કપરો સમય સરળ બન્યો હતો અને તમામે હુંફ માટે દોશી પરિવારનો આભાર માન્યો હતો. જો કે દોશી પરિવાર ભલે વિદેશમાં સ્થાયી થયુ હતુ પરંતુ કચ્છી દાતારી તેમના લોહીમાં વસી છે. આ પહેલા પણ માદરે વતન અને ભારતીયોની મદદ માટે તેઓ અનેક કાર્યો કરી ચુક્યા છે. પોતાના ઘરના પ્રસંગ સમયે વતનમાં લાખો વૃક્ષો વાવવાનો સંકલ્પ સાથે કેટલાય બાળકોના અભ્યાસનો ભાર આ દોશી પરિવારે ઉઠાવી માનવતા મહેકાવી છે. તો આ સાથે આરોગ્યથી લઇ વિવિધ ક્ષેત્રમાં તેની સેવા અનેક જરૂરીયાત મંદ લોકો સુધી પહોચી છે. તેવામાં વિદેશમાં પણ કપરી પરિસ્થિતીમાં તેમના પરિવારે કરેલી પહેલ ઉદાહરણીય છે. સરકાર સાથે દોશી પરિવારે કરેલી મદદથી ફસાયેલા લોકોને કપરી સ્થિતીમાં મોટી હુંફ અને હિંમત મળી હતી.
કચ્છી હોય કે ગુજરાતી હોય કે ભારતીય તે વિદેશમાં પણ ભલે વસવાટ કરતો હોય પરંતુ જ્યારે વાત માનવતાની આવે ત્યારે હમેંશા તે મદદ માટે આગળ હોય છે. તેવુ દોશી પરિવારે ફરી એક વાર સાબિત કર્યુ છે.