Home Social ભાંગરાબાજ ભુજ નગરપાલિકાનો વહીવટ પણ આમજ ચાલતો હશે ?

ભાંગરાબાજ ભુજ નગરપાલિકાનો વહીવટ પણ આમજ ચાલતો હશે ?

2234
ભુજ નગરપાલિકાના વહીવટથી લોકો ત્રસ્ત છે. તેવામાં એક સામાન્ય કહી શકાય તેવા મહત્વના નામ અને હોદ્દાની પણ જો જવાબદારોને ખબર ન રહેતી હોય તો પાલિકાનો વહીવટ કેવો ચાલતો હશે તેનો અંદાજ લગાવી શકાય પાલિકાના મતે જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ નહી પરંતુ દેવરાજ છે. અને જીલ્લા ભાજપના પ્રમુખ તો હજુ પણ કેશુભાઇ છે.
નેતાઓની જીભ લપસી જવાના બનાવો આમતો સામાન્ય છે. કોઇ નેતા મુખ્યમંત્રી બદલી નાંખે છે. તો કોઇ વર્તમાન કૃષીમંત્રી કોણ છે. તેમાં ભાંગરો વાટે છે. આવા ભુતકાળમાં તો અનેક બનાવો બન્યા છે. પરંતુ તાજેતરના બનાવોની જ વાત કરીએ તો કચ્છ જીલ્લાના મુખ્ય મથક ભુજના ધારાસભ્ય કેશુ પટેલ આવી ભુલને કારણે હાલ ચર્ચામાં છે. તેમણે વિધાનસભામાં કૃષી મંત્રી તરીકે રાધવજી પટેલને યથાવત રાખ્યા છે. ત્યા બીજી તરફ કમલમ ફ્રુટને ડ્રેગન ફ્રુટ કહેતા હાલ તેઓ રાજકીય વર્તૃળોમાં ચર્ચામાં છે. જો કે આવી ભુલો દરેક વહીવટમાં ચાલુ છે. વાત સામે આવી છે. ભુજ પાલિકાની કે જ્યા આજે બુધવારે જ ભુજ પાલિકા દ્વારા ભુજ હાર્ટમાં એક સ્વદેશી મેળાનુ આયોજન કરાયુ છે. જો કે જ્યારે તેનુ નિમત્રંણ સામે આવ્યુ ત્યારે સૌ કોઇ ચોંકી ગયા કેમકે તેમાં જીલ્લા ભાજપના પ્રમુખ કે જે મુખ્ય અતિથી તરીકે હાજર રહેવાના હતા તે દેવજીભાઇ નિમત્રંણમાં દેવરાજભાઇ થઇ ગયા..પાલિકાએ જે આમત્રંણ આપ્યુ તેમાં ઉદ્દધાટકમાં કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખનુ નામ બદલી દેવજીભાઇની જગ્યાએ દેવરાજભાઇ વરચંદ કરી નાંખ્યુ જો કે આ પહેલીવાર નથી. પાલિકામાં ચર્ચા છે કે આવા તો ભાંગરા અનેકવાર વટાયા છે. જો કે ચર્ચામાં ન જઇએ તો તાજેતરમાંજ ઉજવાયેલી સરદાર પટેલની પુણ્યતિથિના પ્રસંગે પણ આવીજ મોટી ભુલ સામે આવી હતી. જેમાં પાલિકાએ મોકલેલી સત્તાવાર પ્રેસનોટમાં કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે દેવજી વરચંદના બદલે કેશુભાઇ પટેલને નગરપાલિકાએ યથાવત રાખ્યા હતા. જો કે ભાજપ જ નહી તાજેતરમાં 6 ડીસેમ્બરની કોગ્રેસની એક યાદીમાં પણ આવોજ ભાંગરો વટાયો હતો જેમાં કોગ્રેસે પોતાની યાદીમાંજ જણાવ્યુ હતુ.કે કોગ્રેસના નેતાઓ ગાંધીજી સરદારના નામને વટાવી ખાય છે. જો કે કદાચ ભાજપના આવા આક્ષેપને ઉદ્દેશીને આવુ લખાયુ હશે પરંતુ વાંચનાર સમજી ગયા કે ભાંગરો વટાયો છે. કોગ્રેસથી જો કે થોડા સમયમાંજ ભુજ પાલિકાની નામ અને હોદ્દામાં ખામીનો આ બીજો મામલો સામે આવ્યો છે.
આમતો માણસ માત્ર ભુલને પાત્ર એમ આવી ભુલ સહજ અને હવે રાજકીય પાર્ટીઓમાં સામાન્ય બની ગઇ છે. પરંતુ જ્યારે મોટી રાજકીય પાર્ટી અને વહીવટી સંસ્થા આવી ભુલ કરે ત્યારે ચોક્કસ પ્રજાને પ્રશ્ન જરૂર થાય કે શુ આ લોકોનુ વહીવટ પણ આમજ ચાલતુ હશે? જો કે મહત્વની વાત એ છે કે આ ત્રણે કિસ્સામાં બાદમાં ભુલ ધ્યાનમાં લઇ કોઇ સુધારો પણ કરાયો હોય…તેવુ જણાયુ નથી..