Home Current ચુંટણી પહેલાજ કચ્છ ભાજપ પ્રમુખને લખાયેલા નનામા પત્રથી હડકંપ !

ચુંટણી પહેલાજ કચ્છ ભાજપ પ્રમુખને લખાયેલા નનામા પત્રથી હડકંપ !

7359

ચુંટણી પહેલાજ કચ્છ ભાજપના પ્રમુખને સંબોધીને લખાયેલા એક પત્રએ ચુંટણી પહેલા ભાજપમાં આંતરીક રાજકીય ગરમાવો લાવી દીધો છે. બારાતુ અગ્રણીઓ અને સમાજ અને પાર્ટીના ઉચ્ચ લોકોને ખુશ કરી ટીકીટ મેળવી લેવાના દાવા સાથે સામાન્ય કાર્યક્રરે નનામો પત્ર લખતા ખળભડાટ મચી ગયો છે. તો ક્યાક આંતરીક અસંતોષમાં આ પત્ર લખાયો હોવાની પણ ચર્ચા છે.

સ્થાનીક સ્વરાજની ચુંટણી જાહેર થતાજ રાજકીય પાર્ટીઓમાં અને તેના કાર્યક્રરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સ પ્રક્રિયા સાથે તોડજોડ અને રાજકીય સોગઠા ગોઠવવાની કવાયત વચ્ચે રાજકીય પાર્ટીઓના આંતરીક કકડાટ પણ સામે આવી રહ્યા છે. તેવામાં કચ્છ ભાજપના માંડવી વિસ્તારમાં સ્થાનીક ચુંટણીના ઉમેદવારો જાહેર થાય તે પહેલાજ નનામા વાયરલ થયેલા પત્રએ ભારે ચકચાર સર્જી છે. વાયરલ થયેલા પત્રમાં જીલ્લા ભાજપ પ્રમુખને સંબોધી લખાયેલા પત્રમાં પાર્ટીના એક સનિષ્ટ કાર્યક્રરે નામ વગર પોતાની વ્યથા ઠાલવી માંડવી વિસ્તારમાં સીસ્તબંધ પાર્ટીમાં થઇ રહેલા કારનામાં અને તેનાથી પાર્ટીની જમીની કાર્યક્રરોમાં કેવો કચવાટ છે. તેની વિગતે વાત કરવામાં આવી છે. કોગ્રેસી મુળના વ્યક્તિઓના સમાવેશથી લઇ અશ્લિલ વાયરલ થયેલા ફોટા ચેટની વાત સાથે જમીની સ્તરે પાર્ટીના પ્રચારમાં થતી મુશ્કેલી પણ આ પત્રમાં લખાઇ છે. સાથે જો પાર્ટી આ બાબતે ધ્યાન નહી આપે તો કેવી સ્થિતી નિર્માણ પામસે તેનો ચિતાર પણ અપાયો છે. સાથે આરોપ લગાવાયો છે કે માંડવી શહેર ભાજપ હોદેદારો દ્વારા પોતાની મન માનીથી એક હથ શાસન કરાઇ રહ્યુ છે. તો વર્તમાન રાજકીય ચિતાર રજુ કરી જુના જનસંઘીની ભાજપમાં જરૂર ન હોવાનુ કહી માંડવી મંડળમાં તો ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પણ અવગણના કરાતી હોવાનો ગણગણાટ વ્યક્ત કર્યો છે. જો કે કચ્છ ભાજપમાં આ કોઇ નવી વાત નથી અગાઉ પણ દિલીપ ત્રિવેદ્રી અને દિલીપ દેશમુખની રાજકીય દખલગીરીને ઉજાગર કરતો એક નનામો પત્ર પણ થોડા સમય પહેલા વાયરલ થયો હતો.વાયરલ થયેલા નનામાં પત્રમાં લખનાર પોતે ભારતીય જનતા પાર્ટી શહેર મંડળમાં ઘણા સમયથી મંડળમાં સારી જવાબદારી સંભાળતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

ટીકીટની વહેચણી કેવા લોકો ને કરવી?

આમતો ભાજપે હજુ એક પણ બેઠકના ઉમેદવારો જાહેર કર્યા નથી પરંતુ શિસ્તબંધ પાર્ટીમાં તમામ લોકો જાણે છે. કે પહેલાથીજ કેટલાક રાજકીય મોટા નેતાના નજીકના લોકો ગોઠવાઇ જાય છે.તેવામાં માંડવીનો વર્તમાન સીનારીયો આ પત્રમાં દર્શાવી ઉમેદવાર પસંદગી કરવા માટે કોઈ પણ જાતના વરિષ્ઠ હોદેદારો કે અન્ય કોઈની સાથે સંકલન કરાયો ન હોવાના આરોપ સાથે જે પોતાના માણસો ને હેમ ખેમ રીતે ઉમેદવાર જાહેર કરવા માટે રાત દિવસ મહેનત કરે છે. તેને મંડળના હોદેદારોને ક્યાં સમાજની કેટલી વસ્તી છે એ પણ ખબર નથી તેમજ કોઈ પણ સીમાંકન સીટનું શું છે એ ખબર નથી બક્ષીપંચ જાતીમાં ક્યાં સમાજ આવે છે એ પણ ખબર નથી,તેવા ઉમેદવારને ટીકીટ મળતી હોવા તરફ ધ્યાન દોરાયુ છે. સાથે સામાન્ય સીટ પર બક્ષીપંચના ઉમેદવારને ટીકીટ આપવાના પ્રયત્નો સામે પણ વાંધો ઉઠાવાયો છે.

લોકો પૂછો તો ખરા કે એમનુ ચારીત્ર કેવું છે?

પત્રમાં સૌથી ગંભીર બાબત વારંવાર કચ્છ ભાજપને લાંછન લગાડતા ભાજપ આગેવાનોના કથીત અશ્લિલ ફોટો-વિડીયોના મામલાનો છે. જેનો આ પત્રમાં પણ ઉલ્લખ છે. તાજેતરમાંજ ભાજપને સંગઠનમાં જેને સ્થાન આપ્યુ તે પૈકીના કેટલાક આગેવાનોના કથિત ઓડીયો-વિડીયો સામે આવ્યા હતા. જેને અવગણીને પાર્ટીએ તેને હોદ્દા આપ્યા હતા તેવામાં સ્થાનીક ચુંટણી પહેલા માંડવી વિસ્તારમાં આ મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. પત્રમાં આરોપ લગાવાયો છે. કે જયારે પાર્ટીની સુચનાથી ધરે ઘરે પ્રચાર માટે જઈએ છીએ ત્યારે ખુબ જ દુખદ ઘટના સામે આવે છે.લોકોનો એકજ પ્રશ્ન હોય છે કે માંડવી મંડળના પ્રમુખના કથિત વિડીયો તેમજ ફોટા વાયરલ થયા હતા જે અંગેનું યાદ કરાવે છે. તો બાકી લેણા સહિતના પ્રશ્નો પણ પ્રચાર દરમ્યાન સામે આવે છે. આ સાથે જીલ્લા અગ્રણીઓને વિનંતી પણ કરાઇ છે. કે ભુતકાળ તો ઠીક પરંતુ નમ્ર વિનતી કે પાર્ટીના અન્ય હોદેદારોના કથિત વિડીયો અને ફોટા વાયરલ થાય એ પહેલા કઈ વિચારવું અન્યથા આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને ઘણું નુકશાન થઇ શકે છે.આમ વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો છે.

પાર્ટી આવા લોકોને ટીકીટ આપવા કેમ સક્રિય?

સમાજના નામે રાજકીય દબાણ ઉભા કરવાની વાતનો ઉલ્લેખ પણ પત્રમાં કરાયો છે. અને તેમાં પાર્ટીમાં વર્ષોથી મહેનતથી કામ કરતા લોકોની અવગણના અંગેની વાત પણ કરાઇ છે. તો એવા માણસોના કથિત વિડીયો તેમજ ફોટા લોકો બતાવી પુછે છે કે હવે આમને મત આપવાના આ સાથે પત્રમાં ગત ટર્મ માં પણ જેમના પરિવાર નો ઈતિહાસ કોગ્રેશ પાર્ટી સાથે જોડાયેલ હતો તેવા લોકો ભાજપ ના હોદેદારોના અંગત હોવાથી સીધી ટીકીટ આપી દીધેલ હતી ત્યારબાદ નગરપાલિકામાં હોદેદાર તરીકે પણ જવાબદારી મળી હતી તો હવે ભાજપ પાર્ટીને બારાતુ ઉમેદવાર જ પસંદ છે?? પાર્ટીના જુના લોકો નું શું??? જે લોકો ને ટીકીટની વહેચણી થયા બાદ ચૂંટાઈ ગયા પછી પણ કોંગ્રેસ પક્ષની વિચારધારાને યાદ રાખીને નગરપાલિકા તેમજ ગુજરાત સરકાર વિરુદ્ધ કાગળિયા લખ્યા હતા આવા લોકો માટે અમને મહેનત કરવાની ???તેવા અણીયાણા સવાલ પત્રમાં પુછાયા છે.

ભાજપમાં ભુતકાળમાં પણ શિષ્ટને વરેલા કાર્યક્રરો અને ક્યાક પાર્ટીના નિતીથી નારાજ થઇ આવા પત્રો વાયરલ થયા છે. પરંતુ અંતે ધીના ઠામમાં ધી પડી જાય છે. જેને કારણે આવી સળગતી વાતો સામે આવતી નથી તેવામાં સ્થાનીક ચુંટણી પહેલા માંડવીના કથિત કિસ્સાઓ સાથેના પત્રએ માંડવી સહિત સમગ્ર કચ્છ ભાજપમાં ભડકો કર્યો છે.ત્યારે જોવાનુ એ રહ્યુ કે ભાજપના વરિષ્ઠ આગેવાનો આ પત્રને ગંભીરતાથી લે છે કે નહી..જો કે એ નક્કી છે. કે આગામી દિવસમાં માંડવીમાં ધરબાયેલા આવા કિસ્સા ચોક્કસથી સામે આવશે જો કે પત્રમાં લખાયેલા કિસ્સા ખોટા નથી તેવો પણ ગણગણાટ પણ પાર્ટીના કાર્યક્રરોમાં સંભળાયો હતો.

નીચે લિંકમાં વાયરલ થયેલ પીડીએફની છે.👇

Bjp