શિસ્તબંધ ગણાતી ભાજપ પાર્ટીમાં ચુંટણી શરૂ થઇ તે પહેલાથી અનેક પત્રો ભાજપમાં ચાલતા આંતરીક વિવાદોને ખુલ્લા કરી રહ્યા છે. જો કે ચુંટણી પુર્ણ થઇ પરંતુ હજુ આવા વિવાદો શાંત થયા નથી અને હવે અંજારમાં ભાજપના એક આગેવાન સામે ગંભીર સવાલો ઉભો કરતો પત્ર વાયરલ થયો છે.
ચુંટણી પહેલા ઉમેદવારો જાહેર થાય તે પહેલાજ ભાજપનો આંતરીક વિખવાદ એક પત્ર સ્વરૂપે સામે આવ્યો હતો જે બાદ પાલિકા ચુંટણીમાં ભાજપના નબળા પરિણામો પછી તો જાણે ભાજપના નેતાઓ ખુલ્લીને સામે આવ્યા હોય તેમ પત્રો લખી ભાજપના આંતરીક મામલાઓ ખુલ્લા પાડી ચુંટણીમાં પક્ષ વિરોધ પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી સહિતની માંગણીઓ કરી હતી. જો કે નવાઇ વચ્ચે ભાજપે અત્યાર સુધી કચ્છમાં આવી કોઇ કાર્યવાહી કરી નથી. અને કોઇ પણ સામે શિષ્ટભંગના પગલા કે અન્ય કામગીરી કરી તેનો ખુલાસો કર્યો છે. પરંતુ આ વિખવાદ સમવાનુ નામ લેતો નથી.ચુંટણી પુરી થઇ અને હવે જ્યારે નવી નિમણુંકનો દોર શરૂ થયો છે. તે વચ્ચે હવે અંજારમાં એક અગ્રણીના નામ વગરનો એક પત્ર સોલીયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખની સ્વચ્છ છબીને સંબોધી અંજારમાં ચુંટણી સમયે થયેલા કેટલાક કિસ્સાઓનો ઉલ્લેખ કરાયો છે. જો કે હજુ સુધી આ લેટર મામલે કોઇ સત્તાવાર પુષ્ટ્રી થઇ નથી. પરંતુ વાયરલ પત્રથી ભાજપનો આંતરીક ભડકો ફરી છંતો થયો છે.જો કે અત્યાર સુધી ભુજ,માંડવી તથા ખાસ કરીને ભુજના અનેક વોર્ડમાં ભાજપની હાર પછી ગંભીર આક્ષેપો આગેવાનો તથા પાર્ટીનાજ લોકો સામે થયા હતા જે મામલે કાર્યવાહી થઇ નથી તેવામાં અંજારનો વધુ એક ભડકો નનામાં વાયરલ પત્ર સ્વરૂપે સામે આવ્યો છે.
અંજારમાં કોગ્રેસને જીતાડવાના ગંભીર આરોપ
વાયરલ થયેલા પત્રમાં અંજારમાં વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસને જીતાડવા માટે જીલ્લા ભાજપાના અગ્રણી દ્વારા રૂપિયા સાત લાખનો વેવારથી મોટું કાવતરું રચાયો હોવાનો આરોપ કરાયો છે.સાથે ભાજપના સક્ષમ મહીલા પ્રમુખના ઉમેદવારને હરાવવા મોટું ષડયંત્ર રચાયાની વાતચીત થઈ વાયરલ થઇ હોવાનો પત્રમાં આરોપ લગાવ્યો છે.ચોટલીના ચેલાનો ઉલ્લેખ આ પત્રમાં કરી આ નેતાનુ નામ અગાઉ પણ કરોડોના કૌભાંડમાં ઉજાગર થયેલું છે. તેવો આરોપ કરાયો છે. જો કે તે નેતા કોણ છે તેનો ઉલ્લેખ નથી પરંતુ પત્રમાં શું? સ્વચ્છ છબીની વાતો કરતા જીલ્લા પ્રમુખ આના ઉપર એકશન લેશે ??તેવા સવાલો કરાયા છે. સાથે અંજારમાં નવી ચોટલીનો જન્મ થવા જઈ રહેલો છે .જાગો…અંજાર..જાગો તેવો દાવો પણ કરાયો છે.સાથે પાર્ટી દ્વારા સાઈડ લાઈન કરવા છતાં પોતાના રોટલા શેકવા માટે અલગ અલગ કાવતરા કરનાર આ નાની ચોટલી નંબર-૨ ની સામે કાર્યવાહી માંગ પત્રમાં કરાઇ છે.જો કે જીલ્લા ભાજપ પ્રમુખને ઉદ્દેશની વાયરલ થયેલા આ પત્રમાં લખનારે પોતાને સામાન્ય કાર્યકર્તા ગણાવ્યો છે. જો કે પત્રની તપાસ કરતા અંજારમાં આ પત્રની સાથે પુર્વ કચ્છના એક ચર્ચાસ્પદ ગંભીર મામલામાં અંજારના એક નેતાની સંડોવણીમાં ભીનુ સંકેલાઇ ગયુ હોવાનો પણ ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
ભાજપે કચ્છમાં સત્તાતો તમામ સ્થળે ટકાવી રાખી છે. પરંતુ સ્થાનીક ચુંટણીમાં અનેક સ્થળે આંતરીક વિખવાદ અને અન્ય કારણોસર તેને ફટકો પડ્યો છે. તેવામાં પાર્ટી શિસ્તતામા ન બોલતા કાર્યક્રરો આવા પત્ર વાયરલ કરી પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. તેવામાં પહેલા ભુજમાં લેટર બોંબ બાદ હવે અંજાર ચુંટણીની કેટલીક કથીત વાતો લેટર સ્વરૂપે વાયરલ થઇ છે. જો કે અત્યાર સુધી સામે આવેલા પત્રમાં ભાજપે કોઇ કાર્યવાહી કરી નથી પરંતુ હાલ જ્યારે સંગઠનના અગ્રણી કચ્છની મુલાકાતે છે તેવામાં આ લેટર વાયરલ થવો સુચક છે.કાર્યક્રરોમાં થતો ગણગણાટ અને આ પત્ર મામલે હવે જીલ્લાના નેતાઓ શુ તપાસ કરે છે. તેના પર નજર રહેશે…