Home Crime સગીરાના ધર્મપરિવર્તન-નિકાહ કેસમાં રાપર પોલીસે અજમેરથી કાઝીની ધરપકડ કરી!

સગીરાના ધર્મપરિવર્તન-નિકાહ કેસમાં રાપર પોલીસે અજમેરથી કાઝીની ધરપકડ કરી!

3218

રાપર પોલીસને સગીરાના અપહરણ, દુષ્કર્મ, ગેરકાયદે ધર્મપરિવર્તન અને બાળલગ્નના ગંભીર ગુનામાં મહત્વની સફળતા મળી છે.કેસની તપાસ દરમિયાન રાજસ્થાનના અજમેર સ્થિત ખ્વાજા સાહેબ દરગાહના ઇમામ/કાઝી મોહમદ રમજાન જાનમોહમદની ધરપકડ કરવામાં આવી છે.ફરિયાદ મુજબ સગીરવયની બાળાનું અપહરણ કરી આરોપી જાહીન અબ્દુલ ચૌહાણે તેને લગ્ન અને નિકાહની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.ત્યારબાદ અજમેર ખાતે ખ્વાજા સાહેબ દરગાહમાં સગીરાનું ગેરકાયદેસર ધર્મપરિવર્તન કરાવી તેની સાથે નિકાહ કરાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતુ.મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.અગાઉ મુખ્ય આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે વધુ તપાસમાં ઇમામ/કાઝી મોહમદ રમજાન જાનમોહમદની સંડોવણી સામે આવતા તેને 15 જૂનના રોજ અજમેરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપીને કોર્ટમાં રજૂ કરતાં 19 જૂન 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત કેસમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2021, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 તથા પોક્સો એક્ટની વધારાની કલમો પણ ઉમેરવામાં આવી છે.રાપર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ કરી છે. સમગ્ર ગુજરાતમા આ કિસ્સાએ ભારે ચકચાર સર્જી હતી અને વિવિધ સંગઠનો દ્રારા કડક કાર્યવાહીની માંગ કરી હતી જે બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે