Home Current મુન્દ્રામાં ખાલી કન્ટેનર યાર્ડ એસોસિએશને હવે ધરણા પ્રદર્શન યોજ્યુ !

મુન્દ્રામાં ખાલી કન્ટેનર યાર્ડ એસોસિએશને હવે ધરણા પ્રદર્શન યોજ્યુ !

1687

મુન્દ્રામાં ટ્રાન્સપોર્ટરો અને ખાલી કન્ટેનર યાર્ડ એસોસિએશને મોટું એલા કરતા ખાલી કન્ટેનર ઉપાડ બંધ કરવાના નિર્ણય સાથે ૨ સપ્ટેમ્બરથી વાહનો રસ્તા પરથી હટાવવાની જાહેરાત કરી અદાણી પોર્ટના રંગોળી ગેટ પાસે ૨ સપ્ટેમ્બર સુધી ભવ્ય ધરણા અને વિરોધ પ્રદર્શન એમ.ટી. પાર્ક એસોસિએશનના સમર્થનમાં ‘કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન આવ્યુ

કચ્છના આર્થિક અને વ્યાપારિક કેન્દ્ર ગણાતા મુન્દ્રા ખાતે ટ્રાન્સપોર્ટ અને કન્ટેનર વ્યવસાય સાથે સંકળાયેલા હિસ્સેદારો હવે ધરણા કરી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. એમ.ટી.પાર્ક એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા વિરોધ અને બંધના સમર્થનમાં હવે‘કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન’ (KMCTWA) પણ જોડાઈ ગયું છે.સ્થાનિક સ્તરે પડી રહેલી ગંભીર મુશ્કેલીઓ અને આ વ્યવસાય પર નિર્ભર હજારો લોકોની રોજીરોટીને ધ્યાનમાં રાખીને,KMCTWA ના પ્રમુખ ભાગિરથસિંહ જાડેજાની સહીથી એક મહત્ત્વપૂર્ણ ટ્રેડ નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં મોટા પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ખાલી કન્ટેનર પીકઅપ પર તત્કાલ રોક લગાવવાની જાહેરાત કરાઇ છે. આ સાથે ટ્રેડ નોટિસ અનુસાર,આજથી જ (તા. ૩૧/૦૮/૨૦૨૬) એસોસિએશનના સભ્યો દ્વારા કોઈપણ પ્રકારના ખાલી કન્ટેનરનું પીકઅપ કરવામાં આવશે નહીં. આ સાથે ૨ સપ્ટેમ્બરથી વાહનો સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.સ્થિતિ વધુ ઉગ્ર બને તે પહેલાં, આગામી ૨ સપ્ટેમ્બર ૨૦૨૬થી એસોસિએશનના સભ્યો પોતાના વાહનો સ્વૈચ્છિક રીતે રસ્તા પરથી હટાવી લેશે અને આગામી સૂચના સુધી વાહનો પાર્ક જ રાખવામાં આવશે જેના કારણે પરિવહન સેવાઓને વ્યાપક અસર પડશે આ આંદોલનને કારણે મુન્દ્રામાં કન્ટેનર મુવમેન્ટ,માલસામાનની હેરફેર, પિક-અપ અને ડિલિવરી જેવી પરિવહન પ્રવૃત્તિઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે અને તેમાં વિલંબ થઈ શકે છે.”એકતા જ આપણી તાકાત છે” ના નારા સાથે મુન્દ્રાના ટ્રાન્સપોર્ટરોએ સરકાર અને સંબંધિત તંત્ર સામે મોરચો ખોલ્યો છે, જેના પર હવે સમગ્ર કચ્છ પંથકની નજર છે.આગામી દિવસોમાં વિરોધ ગંભીર સ્થિતીમાં પહોંચશે જેના પગલે પોર્ટ પરિવહન સહિત વાહનચાલકોને ભારે મુશ્કેલી થઇ શકે છે.

અદાણી પોર્ટના રંગોળી ગેટ પાસે ૩ દિવસીય ધરણાં-પ્રદર્શન:

બીજી તરફ,મુન્દ્રા એમ્પ્ટી કન્ટેનર યાર્ડ એસોસિએશન (MECYASA) દ્વારા પણ આંદોલનને વેગ આપવા માટે મોટું એલાન કરવામાં આવ્યું છે. અને આજથી ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ (દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી).અદાણી પોર્ટ,મુન્દ્રા નજીક ૩ દિવસીય ધરણાં-પ્રદર્શન પણ યોજવાનુ આયોજન કર્યુ છે. જેના પ્રારંભે આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.એસોસિએશન આહ્વાન કર્યુ છે. કે તમામ જમીનમાલિકો,ખાલી યાર્ડના માલિકો, સ્ટાફ, ટ્રાન્સપોર્ટરો અને સમર્થકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અવાજ બુલંદ કરે જેના પગલે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.એસોસિએશને પોતાના તમામ મૂલ્યવાન ગ્રાહકો, પ્રિન્સિપલ્સ અને બિઝનેસ એસોસિએટ્સને આ મુશ્કેલ સમયમાં સ્થિતિની ગંભીરતા સમજીને સહયોગ આપવા વિનંતી કરી છે.

આયાતી ખાલી કન્ટેનરના દુરુપયોગની સંભાવના અંગે પણ સમયાંતરે સવાલો ઊભા થતા રહ્યા છે તે વચ્ચે અદાણી ગ્રુપ દ્વારા આ નિર્ણય અંગે કોઇ ચોક્કસ કારણ રજુ કરવામાં આવ્યુ નથી. પરંતુ અચાનક સુરક્ષાના મુદ્દે આ નિર્ણય લેવાતા તેની પાંચ હજાર પરિવારો પર ગંભીર અસરની ચિંતા સાથે લડતના મંડાણ થયા છે. જેમાં તબક્કાવાર કાર્યક્રમો જાહેર કરાયા છે.