Home Current ગુરુવારે ભુજ પાલિકાની સામાન્યસભા થશે? : પરાક્રમસિંહ, અનિરુદ્ધ દવે, પ્રમુખ લતાબેન શું...
ભુજનગરપાલિકા ના કારોબારી ચેરમેનના પદ માટે નવાજુનીના એંધાણ વચ્ચે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમના પુત્ર અને નગરસેવક મહીદીપસિંહ જાડેજા માટે તેમણે ભાજપમાં દરેક જગ્યાએ રજુઆત કરી છે. જોકે, પૂર્વ જિલ્લા મંત્રી પરાક્રમસિંહે સામાન્યસભાના મુદ્દે કઈ પણ બોલવાનું ટાળ્યું હતું અંતિમ નિર્ણય ભલે પાર્ટી કરે પણ મહીદીપસિંહ જાડેજાને પણ પૂરતો ન્યાય મળશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
સામાન્ય સભા થશે કે નહીં તેવી નગરસેવકોમાં અને લોકોમાં થતી વાતો અને ચર્ચા વિશે ન્યૂઝ4કચ્છે પ્રમુખ લતાબેન સોલંકીનો સંપર્ક કર્યો તો તેમણે સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું કે તમે જોજો આવતીકાલે સામાન્ય સભા થશે અને એજન્ડા મુજબ જ કારોબારી ચેરમેન અને અન્ય કમિટીઓના ચેરમેન ની વરણી થશે. ઉપપ્રમુખ ડો. રામ ગઢવી અને ઝોન પ્રભારી અનિરુદ્ધ દવેએ તો કહ્યું કે અમુક નગરસેવકો નારાજ છે એ વિશે તેમને કંઈ ખબર નથી. સામાન્ય સભા એજન્ડા મુજબ જ ચાલશે અને પાર્ટી નક્કી કરશે એમને જ ચેરમેન પદ મળશે.