
વર્તમાન અછત અને દુષ્કાળની પરિસ્થિતિ દરમ્યાન કચ્છમાં પીવાના પાણી તેમજ ઘાસચારાની બુમરાણ અંગે મીડિયામાં આવેલા અહેવાલોએ સરકારને દોડતી કરી દીધી છે પરિસ્થિતિની ગંભીરતા પારખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોનો એક દિવસનો પ્રવાસ કરીને પાણી તેમજ ઘાસચારાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી કોટેશ્વર મહાદેવના મંદિરે જળાભિષેક કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પવિત્ર નારાયણસરોવરની મુલાકાત લીધી હતી હિન્દુ સમાજના ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન નારાયણસરોવરને તેમણે નર્મદાના નીર વડે ભરવાની જાહેરાત કરી હતી લખપત અને અબડાસાના રાજકીય, સામાજિક આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક યોજીને તેમણે પીવાના પાણી તેમજ ઘાસચારાની પરિસ્થિતિ જાણી હતી કચ્છના દુષ્કાળ ગ્રસ્ત એવા ખાવડા બન્ની પંથકનો પ્રવાસ ખેડીને મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજકીય આગેવાનો સાથે પરામર્શ કરી વર્તમાન દુષ્કાળની પરિસ્થિતિને પાર પાડવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
કચ્છના કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા કરાયેલ વખાણ અને ટકોર સબંધે CM એ શું કહ્યું?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કચ્છ પ્રવાસ સંદર્ભે મીડીયા સાથે કરેલી વાતચીતમાં સરકાર દ્વારા કરાયેલ અછત રાહતની કામગીરીની અત્યાર સુધીની આંકડાકીય માહિતી આપી હજી પણ કામગીરીમાં ક્યાંય અધૂરાશ જણાય તો સરકાર તમામ જરૂરી કામગીરી કરવા તત્પર હોવાની ખાત્રી આપી હતી આ વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા કરાયેલી રજુઆત સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિખાલસતા પૂર્વક જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરાતી કામગીરીનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે તેવી ટકોર કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહે કરી છે. જોકે, સાથે સાથે મુખ્યમંત્રી વિજયભાઈએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ દ્વારા સરકારની અછત કામગીરીના વખાણ કરાયા હોવાનું જણાવીને પોતાની સરકારની પીઠ થાબડી લીધી હતી
લિગ્નાઇટ ખાણ માટેની રજૂઆતનું શું થયું?, જાણો..