ગુજરાત સાથે કચ્છમાં પણ સ્થાનીક સ્વરાજની ચુંટણી માટે મતદાન થયુ છે. આંતરીક અસંતોષ ઉમદેવારોની પસંદગી સહિત અનેક મુદ્દે કચ્છની ચુંટણી આ વખતે રસપ્રદ બની હતી. પરંતુ મતદાનની ટકાવારી પછી આવતીકાલે પરિણામો પહેલા ભાજપ કોગ્રેસના જીતના દાવાઓ સામે આવ્યા છે જો કે લોકોના અભિપ્રાય અને રાજકીય નિષ્ણાંતોના મતે તમામ સ્થિતી વચ્ચે લખપત તાલુકા પંચાયત સિવાય કોઇ જગ્યાએ કોગ્રેસ બહુમતી સાથે સત્તા મેળવતી નથી.
કચ્છમાં મતદાન પ્રક્રિયા પુર્ણ થઇ ગઇ છે.અને રાજકીય પાર્ટીઓ પોતાના તર્જ પર જીતના દાવા કરી રહ્યુ છે. જો કે મતદાતાઓએ કોના વિજય પર મહોર મારી છે તે તો મતદારો જ જાણે છે. તેના પરથી સત્તાવાર કાલે પડદો ઉંચકાશે ગઇકાલે યોજાયેલા મતદાનના આંકડા અને મતદારોની પેટર્ન તથા વિવિધ રાજકીય પાર્ટીઓના દાવા તથા નિષ્ણાંતોના અભિપ્રાય પરથી કેટલાક તારણો સામે આવ્યા છે. આમતો હાલમા કચ્છની તમામ તાલુકા પંચાયતો,જીલ્લા પંચાયત અને પાલિકામાં ભાજપની સત્તા હતી. જો કે આ વખતે લખપત તાલુકા પંચાયત ફરી કોગ્રેસ પાસે જાય તેવુ રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. આ વિસ્તારમાં જીત માટે મુશ્કેલીને ધ્યાને રાખીનેજ ભાજપે મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓને પણ પ્રચારમાં સામેલ કર્યા હતા. પરંતુ તેમ છંતા કચ્છમાં જ્યા સૌથી વધુ મતદાન થયુ ત્યા ફરી કોગ્રેસ સત્તા આંચકે તેવા પરિબળો નિર્માણ આપ્યા છે. તે સિવાય અન્ય પાલિકા,પંચાયતમાં બેઠકોમાં થોડો તફાવત થઇ શકે છે. પરંતુ બાકી તમામ પંચાયત-પાલિકામાં ભાજપ સત્તા આરૂઢ થઇ રહ્યુ હોય તેવુ નિષ્ણાંતો અને મતદારોના અભિપ્રાય પરથી ચિત્ર સામે આવ્યુ છે.
અનેક પરિબળો છંતા ભુજ પાલિકામાં ભાજપ
ભુજમાં આ વખતે જે રીતે સમિકરણો બન્યા હતા તે જોતા શરૂઆતમાં ભાજપમાંજ નારાજગીના સુર ઉઠ્યા હતા.કેમકે વોર્ડમાં ન હોય તેવા ઉમેદવારોને ભાજપે ઉભા રાખ્યા હતા તો અનેક વોર્ડમાં કામ બાબતે પણ લોકોમાં નારાજગી હતી.જો કે હાલમાં સામે આવેલી સ્થિતી મુજબ ભાજપ ફરી પાલિકામાં સત્તા પર આવી રહ્યુ છે. હા કોગ્રેસ શહેર પ્રમુખ કિશોરદાન ગઢવીએ 27 બેઠક જીતનો દાવો કર્યો છે. તો ભાજપ શહેર પ્રમુખ મીત ઠક્કરે બિનહરીફ સિવાયની તમામ બેઠક પર જીતનો દાવો કર્યો છે. પંરતુ તે વચ્ચે નિષ્ણાંતો રાજકીય સમિકરણો જોતા કોગ્રેસને ભુજમાં બેઠકો મળી રહી છે. તો એમઆઇએમઆઇએમ પણ ભુજમાં ખાતુ ખોલાવે તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. આ જોતા 8થી 11 બેઠકોમાં નજીવા માર્જીનથી પરિણામો વિપરીત આવી શકે છે. અને કોગ્રેસ આવી બેઠકો પર મજુબત દાવેદાર જીત માટે છે. વોર્ડ નંબર 1,2,3માં કોગ્રેસ તથા અન્ય પાર્ટી સાથે ભાજપને એકાદ-બે બેઠક મળે તેમ છે.જો કે એક સમયે વોર્ડ નંબર પાંચ,સાત અને આઠમાં આશ્ચર્ચ જનક પરિણામો માટેની ચર્ચા હતી પરંતુ રાજકીય નિષ્ણાંતો માને છે કે ભાજપ છેલ્લી ધડીએ ડેમેજ કન્ટ્રોલ કરવામાં સફળ રહ્યુ હતુ..
મુન્દ્રા નગરપાલિકામાં કાંટાની ટક્કર
બીજી વખત યોજાઇ રહેલી મુન્દ્રા બારોઇ નગરપાલિકામાં લોકોના પ્રશ્નો અનેક છે. અને આ વખતે વોટીંગ પણ ૭૫.૦૩% સારી માત્રામાં થયુ છે. તે જોતા બન્ને રાજકીય પાર્ટીના જવાબદારો જીતના દાવા કરી રહ્યા છે. મુન્દ્રા કોગ્રેસ પ્રમુખે 15 થી વધુ સીટ પર વિજયનો દાવો કરી સત્તા પરિવર્તનની વાત કરી તો ભાજપે તમામ સીટ પર વિજયી બનશે તેવો હુંકાર કર્યો છે.પંરતુ આ તમામ સ્થિતી વચ્ચે અને અગાઉના આંકડા જ્ઞાતી સમિકરણ સહિતની બાબતો જોતા કોગ્રેસ એકથી ચાર વોર્ડમાં બેઠકો મેળવી શકે છે.અને અહી સત્તાના સમિકરણો આજ વોર્ડ નક્કી કરશે રાજકીય નિષ્ણાંતોના મતે મુન્દ્રામા કોગ્રેસ 8થી વધુ બેઠકો મેળવે તો નવાઇ નહી..જો કે મુન્દ્રામાં જીલ્લા તાલુકા પંચાયતમાં કેટલીક બેઠકો પર ભાજપને જીત માટે મુશ્કેલી છે.
અંજારમાં પરિણામોમાં બહુ ફેરફાર નહી…
અંજારમાં ગઇ વર્ષની ટર્મમાં ભાજપ સામે 35 બેઠકો હતી. તેવામાં આ વખતે ભાજપે તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરી 36 બેઠકો કબ્જે કરવાનો દાવ કર્યો છે પરંતુ વોર્ડ નંબર ચાર અને આઠમાં રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો જેથી આ બેઠકો થોડા પરિણામો આધા પાછા કરી શકે છે પરંતુ અહી ભાજપને સત્તા મેળવવા માટે વધુ મહેનત કરવી પડે તેવુ લાગતુ નથી. જો કે એક વિપક્ષી નેતા અંજારમાં ભાજપ સામે બાથ ભીડી રહ્યા છે. તો જીલ્લા તાલુકા પંચાયતમાં પણ અહી ભાજપને બેઠકમાં માર પડે તેવુ લાગી રહ્યુ નથી.
નખત્રાણામાં નારાજગી છંતા સત્તા ભાજપની
લખપતની સાથે કોગ્રેસ દ્વારા નખત્રાણા તાલુકા અને જીલ્લા પંચાયત બેઠકોમાં સારા પરિણામો મેળવશે તેવુ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. પરંતુ આ તમામ વચ્ચે પ્રથમવાર યોજાઇ રહેલી પાલિકા ચુંટણીમાં સત્તા ભાજપના હાથમાં આવે તેવુ લાગી રહ્યુ છે. બે બેઠકો અગાઉથી ભાજપ બિનહરીફ કરાવી ચુક્યુ છે. પરંતુ તે સિવાય યોજાયેલી ચુંટણીમાં ભાજપનો હાથ ઉપર રહેશે જો કે નખત્રાણા પાલિકા વિપક્ષ વગરની નહી રહે અને વોર્ડ નંબર સાતથી લઇ અનેક વોર્ડમાં કોગ્રેસના ઉમેદવારોએ મજબુત ટક્કર આપી છે જેથી 7થી વધુ બેઠકો કોગ્રેસ અહી પણ મેળવી શકે છે. જો કે સ્થાનીક નેતાઓની નારાજગી અનેક હોવાથી વધુ બેઠકોની શક્યતા નક્કારી શકાય નહી..જો કે અહી પાટીદાર મતદારો નિર્ણાયક રહ્યા હતા.જો કે તાલુકા જીલ્લા પંચાયતમાં કાઇક નવાજુની આ વિસ્તારમાં થાય તો નવાઇ નહી…
માંડવીનો અસંતોષ પણ પરિણામ નહી બદલે
ભુજમાં બારાતુ ઉમેદવાર મુદ્દે જે નારાજગીનો સુર હતો તેવોજ સુર માંડવીમાં ઉઠ્યો હતો. અને તેની અસર ચુંટણી પરિણામો પર દેખાઇ શકે છે. ચોક્કસથી કોગ્રેસ અહી સત્તા મેળવતુ નથી પરંતુ ભાજપના આંતરીક અસંતોષનો લાભ અહી કોગ્રેસને થઇ શકે છે.જો કે અહી પણ ભાજપ-કોગ્રેસે સત્તા મેળવવાના દાવ કર્યા છે. પરંતુ અહી કોગ્રેસ મુજબત થઇ શકે છે. પંરતુ પાલિકામાં સત્તા ભાજપની આવશે તેવુ નક્કી મનાઇ રહ્યુ છે. તો તાલુકા પંચાયતમાં પણ કોગ્રેસ 6થી સાત બેઠકો મેળવે તેવુ લાગી રહ્યુ છે. જો કે તાલુકા પંચાયતમાં પણ સત્તા ભાજપના હાથમાં રહેશે જીલ્લા પંચાયતની કેટલીક બેઠકો પર મુશ્કેલી સર્જાઇ હતી પરંતુ ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરવામાં સફળ રહ્યુ
ગાંધીધામમાં નિરશ મતદાન છંતા ભાજપને ફાયદો
પ્રથમવાર મહાનગરપાલિકા બન્યા બાદ ગાંધીધામમાં મતદાન થઇ રહ્યુ હતુ. જેના કારણે લોકોમાં ઉત્સાહ હોય તે સમજી શકાય તેવી વાત છે.પરંતુ તેનાથી ઉલ્ટુ ગાંધીધામમાં સૌથી નિરશ મતદાન થયુ જે આંકડા દર્શાવે છે.જેના માટે ભાજપે મેદાને ઉતારેલા ઉમેદવારો કારણભુત હોય તેવુ આ વિસ્તારના જાણકારોએ જણાવ્યુ હતુ.ગાંધીધામની ખરાબ સ્થિતી માટે જે લોકોને જવાબદાર માનવામાં આવતા હતા તેમાંથી મોટાભાગના લોકોને રીપીટ કરાતા લોકોમાં સ્પષ્ટ અસંતોષ જોવા મળ્યો હતો જો કે લોકોએ પરિવર્તનના બદલે ગરમીમાં ઘરે બેસી રહેવાનુ પસંદ કર્યુ હતુ. જેથી મતદાન ઓછુ થયુ જો કે કોગ્રેસે પણ મજબુત ઉમેદવારો મેદાને ઉતાર્યા ન હતા જેથી કોગ્રેસ અહી મજબુત બનશે પરંતુ પરિણામો ફરી ભાજપની તરફેણમાં આવશે જો કે ગાંધીધામ ચુંટણીમાં જવાબદારોએ ટીકીટ ફાળવણથી લઇ લીધેલા નિર્ણયોથી મતદારોમાં અને પાર્ટીના આગેવાનોમાંજ ચોક્કસ નાગજગી જોવા મળી હતી.
જો કે અહી સંભવીત આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે પરિણામ તેના કરતા અલગ હોઇ શકે છે. પરંતુ લખપત સિવાય નેતૃત્વ પરિવર્તનની શક્યતા નખત્રાણા તાલુકા પંચાયતમાં દર્શાવાઇ રહી છે. બાકી તમામ સ્થળે બેઠકો ઉપર નીચે થશે પરંતુ સત્તામાં ભાજપ ફરી આવશે તેવુ ચિત્ર સામે આવ્યુ છે. જો કે મતપેટી ખુલ્યા બાદ પરિણામો વધુ સ્પષ્ટ થશે જેમાં ગત ટર્મ કરતા કોગ્રેસને વધુ ફાયદો થાય તેવુ હાલના સમિકરણો અને મતદાન પરથી અંદાજ લગાવાઇ રહ્યો છે.