કચ્છના ચુંટણી પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે.પરંતુ કેટલીક બેઠકોમાં સર્જાયેલી સ્થિતી અને મળેલી હારથી ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. મોટા નેતાજીના ગઢમાં પડેલા આ ગાબડાની ચર્ચા ગાંધીનગર સુધી છે.તો શહેર સંગઠનથી લઇ જવાબદારોની ભુમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતી કોગ્રેસમાં છે. નબળા નેતૃત્વ વચ્ચે પણ કોગ્રેસની બેઠકો વધી છે. પરંતુ કેટલીક પરંપારગત બેઠકો ગુમાવવી પડી છે. જેનુ મંથન કોગ્રેસે પણ શરૂ કર્યુ છે. જે બાદ કેટલીક કાર્યવાહી સંભવ છે
કચ્છમાં સ્થાનીક સ્વરાજની યોજાયેલી ચુંટણીમાં પરિણામો જાહેર થયા બાદ કેટલીક બેઠકો પર અપસેટ સર્જાઇ હતી.પરંતુ અંતે તમામ સ્થળે ભાજપે સત્તા જાળવવામા સફળતા મેળવી હતી. 9 તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત અને પાંચ નગરપાલિકા સહિત મહાનગર પાલિકામાં પણ ભાજપે વિજય મેળવ્યો હતો.જો કે ભાજપના વિજયી બુલડોઝર વચ્ચે કોગ્રેસનુ સ્થાન વિપક્ષ તરીકે વધુ મજબુત બન્યુ હતુ.અને તાલુકા પંચાયત તથા પાલિકામાં પોતાની બેઠક કોગ્રેસે વધારી હતી. જો કે કોગ્રેસની કેટલીક પરંપરાગત બેઠકમાં હાર પણ થઇ હતી. આમ બન્ને રાજકીય પાર્ટીઓમાં સર્જાયેલી ઉથપાથલ રાજકીય પાર્ટીઓમાં મંથન અને સમિક્ષાનો વિષય બની છે.
આ બેઠકોએ અપસેટ સર્જયા !
-કચ્છમાં સૌથી વધુ ચર્ચા રતનાલ બેઠકની હતી કેમકે જીલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ કચ્છના એકમાત્ર મંત્રી અને ધારાસભ્ય ત્રિક્રમ છાંગા અને પુર્વ મંત્રી વાસણ આહિર સહિતના નેતાઓ આ ગામના હોવા છંતા અહી અપસેટ સર્જાયુ હતુ અને કોગ્રેસે તાલુકા પંચાયત બેઠક પર જીત મેળવી આમતો કોગ્રેસ આ બેઠકમાં જીત માટે પોતાને જવાબદાર માને છે. પરંતુ રાજકીય સુત્રોમાં ચર્ચા છે. કે વાસણ આહિરની અવગણના અને નારજગી ભાજપને ભારે પડી છે. સોસીયલ મિડીયામાં વાસણ આહિરના પુત્રની હારના બદલા તરીકે આ ધટનાને સાંકડીને મેસેજો પણ વાયરલ થઇ રહ્યા છે. જો કે દેવજી વરચંદે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ મુદ્દે વધુ કઇ કહેવાનો ઇન્કાર કરી પ્રજાનો નિર્ણય સર્વોમાન્ય હોવાની વાત કરી આ મામલે મંથન કરાશે તેમ કહ્યુ તો ભુજના ધારાસભ્યના ગામ નિરોણામાં પણ કોગ્રેસનો વિજય થયો હતો.
-તો કોગ્રેસ પ્રમુખ સહિત કોગ્રેસના મોટા નેતાઓએ જ્યા મહેનત કરી હતી. તેવી ભીમાસર-ચકાસર જીલ્લા પંચાયતમાં કોગ્રેસને ઝટકો મળ્યો હતો.અંજારમાં ભાજપે ચારેય જીલ્લા પંચાયત બેઠકો પર જીત મેળવી કોગ્રેસને ઝટકો આપ્યો છે. તો પચ્છિમની દિનારા જીલ્લા પંચાયત બે દાયકા બાદ ભાજપને મળી તો કેરામાં પણ કોગ્રેસને ઝટકો આપી ભાજપે વિજય મેળવ્યો તો અબડાસાની વાયોર બેઠક જે ત્રણ ટર્મથી કોગ્રસ પાસે હતી. તેના પર ભાજપે વિજય મેળવ્યો હતો. તો લખપતમાં દોઢ દાયકા બાદ ભાજપને સંપુર્ણ સમર્થન ચુંટણી પરિણામમાં મળ્યુ હતુ.તો રાપરમાં પણ કોગ્રેસનુ નબળુ પ્રદર્શન રહ્યુ હતુ.
માંડવીમાં કોગ્રેસને સત્તા નહી પરંતુ બીજે બેઠકો વધી
આટલુ મોટુ સંગઠન અને તમામ મોરચે વર્ષોથી ભાજપની સત્તા છંતા કોગ્રેસ મુક્ત વિજયના ભાજપના સપના દરેક જગ્યાએ સાકરા થતા નથી પરંતુ પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવી વિસ્તારના ધારાસભ્યના નેતૃત્વમાં ભાજપે સંગઠને માંડવીમાં આ કરી દેખાડ્યુ હતુ અને પાલિકામાં કોગ્રેસને એક પણ બેઠક જીતવા દીધી ન હતી. જો કે તાલુકામાં કોગ્રેસની બે બેઠક વધી હતી. જો કે અન્ય નગરપાલિકામાં કોગ્રેસનુ સંખ્યાબળ વધ્યુ હતુ. ભુજમાં કોગ્રેસે 13 બેઠકો મેળવી હતી. તો અંજારમાં 9 અને મુન્દ્રામાં 9 તથા ગાંધીધામમાં 11 બેઠકો કબ્જે કરી હતી.તો ભુજ વોર્ડ નંબર પાંચમાં તો ભાજપને કોગ્રેસે મોટો ઝટકો આપ્યો હતો.અને પરંપરાગત અને વેપારી વિસ્તારની બેઠક કબ્જે કરી હતી જેના એક ભાજપી ઉમેદવાર હિરેન રાઠોંડ સમગ્ર ચુંટણીમાં ચર્ચામાં રહ્યા હતા. પાલિકામાં વિપક્ષ તરીકે કોગ્રેસ મજબુત રહ્યુ હતુ. તો પંચાયતોમાં પણ કોગ્રેસનુ સંખ્યાબળ વધ્યુ હતુ.જો કે રાપરમાં ધારાસભ્ય બેઠક જીત્યા બાદ ભાજપે સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. જેની નોધ પ્રદેશકક્ષાએ લેવાઇ છે.તો ભાજપની હાર બાદ આ વિસ્તારના સોસીયલ મિડીયા ગ્રુપમાં ભાજપની ભુલ અંગેની ટકોર સાથેના મેસેજો પણ વાયરલ થયા છે.
હાર-જીતના સમિકરણ અને સંગઠનનની સમિક્ષા
ભાજપ પાસે તમામ મોરચે મજબુત સંગઠન છે. છંતા પરિણામો અપેક્ષીત આવ્યા નથી ખાસ કરીને પાલિકા વિસ્તારમાં કોગ્રેસે નબળા સંગઠન અને નેતૃત્વના અભાવ વચ્ચે વ્યક્તિગત અને ક્યાક ભાજપની નારાજગીનો લાભ લઇ બેઠકો વધારી છે. જો કે રાજકીય નિષ્ણાંતો માને છે. કે શહેરી વિસ્તારમાં ભાજપની નિતીરીતી અને ઉમેદવારોની પસંદગીમાં સારો કરતા મારોની નિતી તથા અન્ય ફેક્ટરો હાર માટે જવાબાદાર છે. માંડવીમાં પેરાસુટ ઉમેદવારો છંતા પાલિકા કોગ્રેસ મુક્ત બની પરંતુ ભુજ શહેર સંગઠન અને તેના પ્રમુખ સતત ચુંટણીમાં ચર્ચામાં રહ્યા હતા. તેમ પરિણામો માટે ક્યાક ઉમેદવારની પસંદગી,ભાજપ પ્રત્યે નારજગી ભુજમાં ઓછી બેઠકો માટે જવાબદાર છે. પાર્ટીમાં ચર્ચા છે. કે સૌથી નબળુ પ્રદર્શન શહેરી વિસ્તારમા ભુજમાં રહ્યુ છે. જો કે રાજકીય સુત્રોનુ માનીએ તો શહેર સંગઠન સામે કાર્યક્રરોએ વ્યક્ત કરેલી નારજગી અને હવે આવેલા પરિણામો પછી આ અંગે ભાજપના આગેવાનો મંથન કરશે જો કે ભુજ નહી શહેરી વિસ્તારોમાં આવેલા પરિણામો પર ભાજપ ચોક્કસથી ગહન મંથન કરશે અને સીટો ઓછી થવાના કારણો જાણશે અને સાથે તેમાં ભાજપના જ કાર્યક્રરો આગેવાનોની ભુંડી ભુમીકા નથી તે પણ….તો આંકડાકીય રીતે પણ હાર જીતની સમિક્ષા કરાશે તો ગાંધીધામ નગરપાલિકામાં જે ઉમેદાવારો અને એકજ પરિવારમાંથી બેઠકો આપવાનો વિવાદ ઉભો થયો તેનુ હાર થતા તેને ઉભા રાખી હાર માટેના કારણો જાણવા કવાયત કરાશે
કચ્છમાં યોજાયેલી ચુંટણીમાં આમતો અનેક બેઠકના પરિણામો ચર્ચામાં રહ્યા હતા.ક્યાક સંગઠન સામે નારાજગી,ક્યાક લોકોના પ્રશ્ન અને ક્યાક ઉમેદવારની પસંદગી સહિતના મુદ્દાઓને કારણે પ્રજાએ અપેક્ષીત ન હોય તેવા પરિણામો આપી ઝટકો આપ્યો છે. પંરતુ હવે નવા હોદ્દેદારોની નિમણુંક સાથે ભાજપે હાર માટે પણ મંથન શરૂ કર્યુ છે. જે બાદ અન્ય જીલ્લાની જેમ કચ્છમાં કોઇ મોટી કાર્યવાહી અથવા ફેરફાર થાય તો નવાઇ નહી કેમકે કોગ્રેસના મજબુત દેખાવમાં ભાજપના કેટલાક નેતાઓની નિષ્ક્રિયતા અને નારાજગી આમા કારણભુત હોય તેવી ચર્ચા છે….જો કે હાલતો ભાજપમાં સત્તામાં બેસવા માટે અને કોગ્રેસમાં વિપક્ષી નેતાઓ માટે દોડ જામી છે.