Home Crime ભુજમાં જીવતો સળગાવી દેવાના ગુન્હામાં 12 વર્ષથી ફરાર રમેશને ભુજ પેરોલ ફર્લો...

ભુજમાં જીવતો સળગાવી દેવાના ગુન્હામાં 12 વર્ષથી ફરાર રમેશને ભુજ પેરોલ ફર્લો સ્કોડે ઝડપ્યો

1547
SHARE
વર્ષ 2009માં ભુજમાં ભચુ દેવીપુજક નામના એક વ્યક્તિને જ્વલનશિલ પ્રવાહી છાંટી સળગાવી દેવાના ચકચારી બનાવમાં 12 વર્ષથી ફરાર શખ્સને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો છે. 2009માં રમેશ નાગજી દેવીપુજક તેનો ભાઇ તથા તેના પિતાએ સાથે મળી પડોશમાંજ રહેતા ભચુને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સારવાર દરમ્યાન તેનુ મોત થયુ હતુ. હત્યાના આ બનાવમાં જે તે સમયે વિભો દેવીપુજક તથા નાગજી દેવીપુજકની પોલિસે અટકાયત કરી હતી. અને ત્યાર કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે બન્નેને સજા પણ કરી હતી. જેમાં રમેશનો ભાઇ પેરોલ જંપ કરી ફરાર થયો હતો જેને પણ 9 વર્ષ બાદ પેરોલ ફર્લો સ્કોડે ઝડપ્યો હતો. જો કે તપાસ દરમ્યાન એવુ ધ્યાનમાં આવ્યુ હતુ કે બનાવ સમયે રમેશ પણ હત્યાના ગુન્હામાં ઝડપાયો નથી જેની તપાસ દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડને સચોટ માહિતી મળી હતી. કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરતો રમેશ ભુજ આવ્યો છે જેથી 12 વર્ષથી ફરાર રમેશ નાગજી દેવીપુજકને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી વધુ તપાસ માટે બી-ડીવીઝન પોલિસને સુપ્રત કર્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલિસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા,એચ.એસ.ગોહિલ,તથા હરિલાલ બારોટ ધમેન્દ્ર રાવલ,દિનેશ ગઢવી રધુવિરસિંહ જાડેજા, સહિતનો સ્ટાફ જોડાયા હતો.