Home Current કોંગ્રેસે ભુજના નગરપતિ,કારોબારી ચેરમેન અને ભાજપ કાર્યાલયમાં “ઘાસ” નાખતા ખળભળાટ : જાણો...

કોંગ્રેસે ભુજના નગરપતિ,કારોબારી ચેરમેન અને ભાજપ કાર્યાલયમાં “ઘાસ” નાખતા ખળભળાટ : જાણો રાજકીય સનસની

2286
SHARE
ભુજમાં આજે કોંગ્રેસે દર્શાવેલા આશ્ચર્યજનક અને આક્રમક વિરોધે સમગ્ર ભુજમાં સનસની સાથે ચર્ચા જગાવી હતી. મંગળવારે ભુજ ના અરિહંતનગરમાં રહેતા ૩૫ વર્ષીય આશાસ્પદ યુવાન વિક્રમસિંહ ચંદ્રસિંહ ચુડાસમાનું રખડતા ઢોરોના કારણે મોત નીપજ્યું હતુંજે મુદ્દે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસના અન્ય નગરસેવકોએ આજે ભુજ નગરપાલિકામાં હલ્લા-બોલ સાથે આક્રમક વિરોધ દર્શાવી ધડબડાટી બોલાવી હતીકોંગ્રેસે નગરપતિ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બરમાં ઘાસ નાખીને વિરોધ દર્શાવ્યો હતો.વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે રખડતા ઢોરોને પકડવા લાખો રૂપિયા ખર્ચાય છે. ભુજ નગરપાલિકા એ આ માટે ઢોરવાડો પણ બનાવ્યો છે. પરંતુ,ભાજપ ના શાસકોને પ્રજાની સમસ્યાની કોઈ ફિકર જ નથી.
દરમ્યાન કોંગ્રેસનો કાફલો વિરોધ દર્શાવવા ભાજપ કર્યાલયે પણ પહોંચ્યો હતો.અહીં પણ “ઘાસ” નાખીને કોંગ્રેસે ભાજપના રાજના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના છાજીયા લીધા હતા.વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા એ ભાજપ સરકારની “ગૌરક્ષા”ની નીતિને ઢોંગ ગણાવી આકરી ઝાટકણી કાઢી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને અન્ય નેતાઓ, સાંસદ વિનોદ ચાવડા ભુજમાં રહે છે અને રખડતા ઢોરોની સમસ્યાથી વાકેફ હોવા છતાંયે ભુજ નગરપાલિકાની નિષ્ફળ કામગીરી સામે મૌન હોવા અંગે સવાલો કર્યા હતા.જોકે, વાસ્તવિકતા એ છે કે,ભુજ ના મુખ્ય જાહેર રસ્તાઓ ગાયોના વથાણ બની ચુક્યા છે.તો મોટાભાગના રહેણાંક વિસ્તારો અને કોલોનીઓ પણ રખડતા ઢોર ની સમસ્યાથી પરેશાન છે. લોકો વારંવાર રજુઆત કરે છે પણ વિકાસની વાહવાહના નામે પોતાની પીઠ થાબડતા ભુજ નગરપાલિકાના શાસકો પક્ષના વરિષ્ઠ નેતાઓને પણ દાદ આપતા નથી.તો બિચારા આમ આદમી નું કોણ સાંભળે? આ દરમ્યાન હમણાં તો કોંગ્રેસના આશ્ચર્યજનક વિરોધે ભુજ શહેરમાં રાજકીય સનસની સર્જી છે.